SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૦િ શારદા સુવાસ તે વધે ન આવે, આ શેઠ બીજા નોકરીના ચઢાવ્યા ચઢી ગયા, પણ દશ દશ વર્ષથી શેઠ પ્રત્યે મારાપણું માનીને કામ કરનાર નેકરની કદર ન કરી શકયા. શેઠે કહ્યું–અરે દૌલત! દૌલત કહે-જી સાહેબ, ફરમાવે, શેઠે કહ્યું–તને હું દિવાળીએ છૂટે કરવાને છું. શું બેલે છે શેઠ ! મારે ગુને? શેઠ કહે-ગુને કાંઈ નહિ પણ એક વાત સમજી લે કે દિવાળીએ મારે તને છૂટો કરવાને છે. શેઠની વાત સાંભળીને બિચારા દોલતના તે હોશકેશ ઉડી ગયા. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યું. દિવાળીને હજુ એક મહિને બાકી હતું પણ આને તે અસર થઈ ગઈ. દૌલત ખૂબગરીબ હતું, તેને કેઈની લાગવગ કે ઓળખાણ ન હતી. એટલે એના મનમાં હાય લાગી કે શેઠ મને દિવાળીએ રજા આપશે તે હું કયાં જઈશ? મારું શું થશે ? મારા બૈરા છોકરાનું શું થશે? દૌલત કામ ઘણું કરતો પણ તેનામાં બાહોશી ન હતી. જે બહેશી હેત તે શેઠને કહી દેત કે હું અત્યારથી છૂટે થઈ જાઉં છું. મને તમારા જેવા શેઠ મળી રહેશે, પણ આ તે બિચારો ગભરાઈ ગયે. શું કરવું તે સૂઝતું નથી. ચિંતામાં ને ચિંતામાં દૌલત ઘેર આવ્યો. તે ખૂબ ઉદાસ બની ગયે. એનું મોટું જોઈને પત્ની પૂછે છે કે આજે તમને શું થયું છે? આજે તમારું મુખ આટલું બધું ઉદાસ કેમ છે? ત્યારે દૌલત રડતે રડતે કહે છે આજે તે ચિંતાને પાર નથી. શું છે તે કહે તે ખરા. શેઠ મને દિવાળીએ છૂટે કરવાના છે. પત્ની કહે છે શેઠ તમને છૂટા ન કરે. અરે, શું ન કરે! મને આજે ચેખું કહી દીધું છે, ત્યારે એની પત્ની કહે છે તમે ચિંતા ન કરે. હજુ દિવાળીને એક મહિને બાકી છે. પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે શેઠને સદ્બુદ્ધિ મળે ને તમને છૂટા ન કરે. નાના નક્કી મને છૂટો કરવાના છે. બિચાર દૌલત એક દિવસ લોટે લઈને જંગલ જવા ગયો. ચિંતામાં ને ચિંતામાં ખૂબ દૂર ચાલ્યા ગયે. કારણ કે ચિંતા બહુ બૂરી ચીજ છે. ચિંતા જીવતા માણસને વગર અગ્નિએ બાળી મૂકે છે. અતિ ચિંતા કરવાથી મ ણસની બુદ્ધિ ઘટી જાય છે ને રૂપ પણ ઝાંખું પડી જાય છે. એટલે ચિંતાતુર માણસ જીવતે છતાં મરેલા જેવો છે. દૌલત ચિંતામાં ને ચિંતામાં ઘણે દૂર નીકળી ગયું. છેવટે થાકીને એક ઝાડ નીચે બેઠો ને વિચાર કરે છે શું કરવું? મને શેઠ જે દિવાળીએ નેકરીમાંથી છૂટો કરવાના છે તે પહેલાં આ દેહથી છૂટે થઈ જાઉં તે શું બેટું ? - દૌલત મનમાં આ વિચાર કરે છે ત્યાં સામે એક સંતને જોયા. સંતને જોતાં એનું હૈયું હરખાઈ ગયું. અહે! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે મારે જંગલમાં માલ થયું. મરતાં પહેલા સંતના દર્શન કરી લઉં તે મારું મરણ સુધરી જાય. એમ વિચાર કરીને તે સંત પાસે આવ્યા. સંતના દર્શન કર્યા. એનું મુખ જોઈને સંત સમજી ગણ કે આ માણસ દુઃખમાં ઘેરાયેલે લાગે છે. સંતે પૂછ્યું, ભાઈ ! તું જંગલમાં શા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy