SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ઘરના ને બહારના બધા જોઇ જ રહ્યા કે આ શુ'? ખરેખર આ શેઠની પુત્રવધૂએ તે આપણને નવજીવન આપ્યું. આપણે તે રાતાની રાતેા અંધકારને કાઢવા માટે ઉજાગરા કર્યાં ને થાકી ગયા. આપણી પાસે આ બધી જ સામગ્રી હતી પણ અત્યાર સુધી આપણે અજ્ઞાનના કારણે દુઃખના દરિયામાં ડૂબકી માર્યાં કરી. આ પુત્રવધૂ પર પ્રસંશાના જેટલા પુષ્પા વેરીએ તેટલા એછા છે. જુઓ, ગામમાં એક સ ંસ્કારી વહુ આવી તે બધાનુ અજ્ઞાન ટાળીને નવું માગદશન આપ્યુ. એણે તા દ્રવ્ય અંધકાર દૂર કરવાનું માર્ગદર્શન આપ્યુ પણ ભગવાને તે અજ્ઞાન ભાવ અંધકારને ટાળવાના માર્ગ આપણને બતાવ્યા છે. “ કાટી જન્મના પુણ્યથી, મળ્યે ભાવ ધરી પ્રભુ ભજ્યા નહિ, મનુષ્યને અવતાર, લાખા વાર ધિક્કાર, ' આ રીતે જ્ઞાનીપુરૂષાના વચન સમજીને આપણે ભાવ અંધકારને નષ્ટ કરી જ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. આ મનુષ્ય જન્મમાં જ ભાવ અંધકાર નષ્ટ કરી શકાશે. આ જીવન ચાર દિવસની ચાંદની જેવું છે. પછી જીવન મૂઝાઈ જશે ને જો ભાવ અંધકાર દૂર કરવાના પ્રયત્ન નહિ કર્યાં હાય તેા ચતુતિ સંસારમાં પરિભ્રમણ ચાલુ રહેશે. આ રીતે છઠ્ઠા અધ્યયનની પહેલી ગાથાના ભાવ છે. ખીજી ગાથાઓમાં પણ ઘણાં ભાવ ભરેલા છે. હવે સાતમા અધ્યયનમાં ભગવાને સમજાવ્યું છે કે જે જીવે રસમાં આસક્ત અને છે તેની કેવી દશા થાય છે તે સમજાવવા માટે આ અધ્યયનમાં એલક, કાકિણી, આમ્રફળના દૃષ્ટાંત આપ્યા છે. તે જો જીવ સમજે તે તેની આસક્તિ એછી થઈ જાય. હું તમને એક દૃષ્ટાંત ટૂંકમાં સમજાવુ. એક માણસને ઘેર એક એકડો રાખવામાં આવ્યા હતા, તેમજ એક ગાય અને એક વાછરડી હતી. એકડાને રાજ લીલુ ઘાસ, અનાજ વગેરે સારું સારું ખવડાવતા હતા. એટલે એકડો તે અલમસ્ત અન્ય. તે ગાયને સૂકુ ઘાસ ખવડાવતા. આ જોઈને વાછરડી એની માતાને કહે છે મા! તુ તે મને પૂરૂ દૂધ પીવડાવતી નથી અને માલિકને બેધરણુ ભરીને દૂધ આપે છે. છતાં માલિક આપણુને સૂકુ ઘાસ ખવડાવે છે તે આ એકડો તે કાંઈ આપતા નથી છતાં તેને કેવું સારું સારું ખાવા મળે છે. તે કેવા હષ્ટપુષ્ટ બન્યા છે! ત્યારે ગાયે એના મચ્ચાને કહ્યુ−મેટા! તું ચિંતા ન કર. આ સૂકું ઘાસ ખાવામાં મઝા છે, એવી મલમલીઢા ખાવામાં નથી. જ્યારે માલિકના ઘેર કેાઈ મહેમાન આવશે ત્યારે આ ખિચારા એકડાના બાર વાગી જશે. એને ગળે છરી ફેરવીને મારી નાંખશે, ને એનુ માંસ રાંધીને મડેમાાને ખવડાવશે. સમય જતાં એ જ પ્રમાણે બન્યું. ખાકડાની દીન હીન દશા જોઇને વાછરડી ધ્રુજી ઉડી અને એની માતાને કહે છે મા ! તારી વાત
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy