SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ [૪૦૯ લોકે નિર્ચન્વધર્મને સ્વીકાર કરીને પાછા પડતા હશે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કેટલાક લોકો સારાં કાર્યોમાં પણ દુઃખ પામે છે અને પાછા પડે છે. માને છે, કેઈએમ કહે કે, અહીંથી પચાસ ગાઉ ઉપર એક ધનને પ્રજાને પડ્યો છે. જે ત્યાં જાય તેને તે ખજાને મળી શકે. ખજાનાને લેભ કોને ન હોય ! ધન લેવાની આશાએ ઘણું લેકે ચાલવા માંડ્યા પણ કેટલાક લોકો તે ત્યાં સુધી પહોંચ્યા અને કેટલાક માર્ગમાં જ થાકીને પાછા ર્યા. આ જ પ્રમાણે કેટલાક માણસે મોક્ષમાર્ગે જવા માટે સયમ ધારણ કરે છે તેમાંના કેટલાક લકે તે યથાસ્થાને પહોંચે છે અને કેટલાક તે માર્ગમાં જ થાકીને માર્ગમાં આવતાં પ્રલોભનેથી ભ્રષ્ટ થઈ જાય છે. સંયમમાં લેકે કયા કયા કારણોથી ભ્રષ્ટ થઈ જાય છે એ વિષે શ્રી જ્ઞાતાસૂત્રમાં બહુ લાંબો વિચાર કરવામાં આવ્યો છે અને એ વિષે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે – એક ધનાવા નામનો શેઠ હતું. તે કેવળ નામને જ શેઠ ન હતા. લેકેનું દુઃખ દૂર કરવામાં તે પિતાની શેઠાઈને ઉપયોગ કરો. વાસ્તવમાં શેઠ તો તે છે, કે જે બીજાનું દુઃખ દૂર કરે અને બીજાઓ ઉપર કૃપાભાવ રાખે. - ધનાવા શેઠે નગરમાં એવા ઢંઢેરો પીટાવ્યો કે, “મારે એક સંઘ કાઢવો છે, તે જેની ઈચ્છા હોય તે મારી સાથે આવે. માર્ગમાં બધી વ્યવસ્થા હું કરીશ. રસ્તામાં ખાન-પાન, કપડાં–લત્તા વગેરે હું આપીશ અને જેને કમાઈ કરવા માટે પૂછ જોઈશે તેને પૂંછ પણ આપીશ.” આ અવસર કોણ ભૂલે. એટલા માટે ઘણા લેકે શેઠની સાથે જવા તૈયાર થયા. શેઠે સંઘ તૈયાર કર્યો અને બધો પ્રબંધ કરી સંઘ રવાના થયો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મોટું જંગલ આવ્યું. શેઠે તે બધા લેકેને કહ્યું કે, તમારા બધાની જવાબદારી મારો ઉપર છે એટલા માટે તમને એક સૂચના આપું છું તો તે ખાસ ધ્યાનમાં રાખશે. “આ જંગલમાં નંદીફલ નામનાં વૃક્ષે છે. તે વૃક્ષે દેખાવમાં ઘણાં જ સુંદર છે. તેમની ગંધ પણ મોહક છે અને તેમની છાયા પણ શીતલ છે. તે વૃક્ષો એવાં આકર્ષક છે કે તે મનુષ્યોને પિતાની તરફ ખેંચે છે. તેમનાં ફળો પણ દેખાવમાં બહુ સુંદર અને ખાવામાં બહુ મીઠાં છે. તે વૃક્ષ નીચે જઈ બેસવાથી તેનું ફળ ખાવાની ઈચ્છા થાય છે. તે ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠું છે, પણ તે ખાવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. તે ખાનારનું મૃત્યુ થઈ જાય છે. ખરું કહીએ તો તે ફળ “મીઠું' વિષ” છે, માટે તેની બરાબર સાવધાની રાખશે. કડવા વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે તમે લેકે વૃક્ષની સુંદરતાથી, છાયાની શીતળતાથી કે ફલની સ્વાદિષ્ટતાથી લેભાઈ જશો નહિ. આ મારું કહેવું માની, તમે જે મારી પછવાડે ચાલ્યા આવશે તે તે આ જંગલને સુખરૂપે પાર કરી શકશે, પણ જે વૃક્ષનાં ફલ ખાવામાં લેભાઈ જશે તે તો તમે રસ્તામાં જ મરણને શરણ થઈ જશે. માટે નંદીફળ વૃક્ષના પ્રભનમાં પડશે નહિ. આ મારી સૂચના ખાસ ધ્યાનમાં રાખશે.” ( આ પ્રમાણે બધાને સાવધાન કરી શેઠે આગળ ચાલવા માંડયું. જે લેકે શેઠના કથન ઉપર વિશ્વાસ રાખી તેમની પાછળ ચાલ્યા અને નંદીલના વૃક્ષમાં લેભાયા નહીં તેઓને
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy