SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકાટ–ચાતુર્માસ લાલસાજી, થિરતા ન ધરે મન; કામલેગ પિણુ તુમ ભજન પ્રતાપથી, દાઝે દુરમત વન. પ્રભુ॰ હે! પ્રભા ! જ્યારે કામ, ક્રોધ, લાલ, મેહ, મદ મત્સરની ધારા વહે છે ત્યારે એના પ્રવાહમાં નિ`લ પ્રાણીઓ તણાઈ જાય છે. તેમને એ પ્રવાહમાંથી પાર જવું મુશ્કેલ જણાય છે. જે પ્રમાણે પાણીના પ્રવાહમાં પગ લપસી જવાથી તે માણુસ પ્રવાહમાં તણાઈ જાય છે અને પછી તેને પત્તો લાગવા કઠીન જણાય છે; તે જ પ્રમાણે કામ, ક્રોધ આદિના પ્રવાહમાં તણાઈ જનાર પ્રાણીઓના પત્તો મેળવવા મુશ્કેલ થઈ પડે છે. અને એ કારણે તે પ્રાણીઓની દશા વ્યાપાત્ર બની જાય છે. તેમની દયનીય દશા જોઈ કોનું હૃદય દ્રવિત નહિ બને? પાણીના પ્રવાહમાં તણાતાં લકાને જોઈ કયા ક્યાળુનું હૃદય દ્રવિત નહિ થાય અને યથાશક્તિ પ્રમાણે તેમને બચાવવાના પ્રયત્ન નહિ કરે ? આ જ પ્રમાણે જ્ઞાનીજનેાને પણ કામ ક્રોધના પ્રવાહમાં તણાતાં લાકોને જોઈ કરુણા આવે છે અને તેઓ કહે છે કે, “ હે ! પ્રભા! તારા જેવા ત્રિભુવનનાથ હોવા છતાં પણ આ લેાકો તારા શરણે ન આવતાં, કામ, ક્રોધાદિના પ્રવાહમાં શા માટે તણાઈ જાય છે? ” આ પ્રમાણે જ્ઞાનીજને કામ-ક્રોધાદિના પ્રવાહમાં તણાતાં પ્રાણીઓ પ્રત્યે કરુણા ભાવ બતાવે છે. તે બધા પ્રાણીઓને આત્મતુલ્ય માને છે, અને તેમને કામ-ક્રોધાદિના પ્રવામાંથી અચાવવાના પ્રયત્ન પણ કરે છે. તેઓ કહે છે કે, જો કે કામ-ક્રોધાદિના પ્રવાહ કાંઈ ઓછે નથી પણ એથી કાંઈ ગભરાઈ જવાની જરૂર નથી. આ પ્રવાહમાંથી અનેક લેાકેા અવલંબન લઈ બહાર નીકળી પણ શક્યા છે. આ જ પ્રમાણે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી બચવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે તો કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકાય છે. શુક્ર પ ] [ ૩૯૯ જો તમે એમ માનતા હેા કે, પરમાત્માની પ્રાÖનાના અવલંબનથી કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકશેા, તા પરમાત્માની ભક્તિને જીવનમાં વણા. અહીં તે ભક્તિને કેવળ ઉપદેશ આપવામાં આવે છે પણ એના વ્યવહાર તા સંસારનાં કામેદ્દારા જ થઈ શકે છે. અહીં તા પરમાત્માની ભક્તિ બતાવા અને બહાર જઈ પરમાત્માને ભૂલી જાએ અને એમ સમજવા લાગેા કે, અમે ગમે તે કરીએ તેને અહીં કાણુ જુએ છે! પણ આમ ઢોંગ કરવા એ તેા અવલંબનને છેાડી દઈ કામક્રોધાદિના પ્રવાહમાં તણાઈ જવા જેવું છે. એટલા માટે જ્યારે તમારા ભક્તિમાર્ગની વચ્ચે કામ, ક્રોધ, લાભ, માહના પ્રવાહ આડા આવે ત્યારે જો તે વખતે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેશે તે પ્રવાહમાંથી નીકળી સામે પાર જઈ શકશેા. મતલબ કે, ભક્તાએ કામ-ક્રોધાદિને વિકારા માન્યા છે અને એ વિકારા ઉપર વિજય મેળવવા માટે જ પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લીધું છે, તમે પણ કામ-ક્રોધાદિ વિકારને જીતવા માટે પરમાત્માની પ્રાČનાનું અવલંબન લા; અને પરમાત્માને ભૂલી ન જા. 'આ પ્રમાણે પરમાત્માના નામનું અવલંબન લેશેા તો કામક્રેાધાદિના પ્રવાહમાંથી પાર જઈ શકશો. પણ એમ થવું ન જોઈ એ કે પરમાત્માના નામને કામક્રોધાદિના પ્રવાહમાં ડુબાડી દે।. જેમકે, તમે જો ખાટા દાવા કરેા અને પરમાત્માને કહેા કે આ ખાટા દાવામાં હું હતું તા તમારી શક્તિ જાણું. કાઈ તે ખોટા માલ આપીને પરમાત્માને એવી પ્રાર્થના કરાં હૈ,
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy