SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કોસ્તક દુખેથી પણ મુક્ત થશે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અર્થાત જાણી લેવું કે સાંભળી લેવું એ કાંઈ કામનું નથી પણ જ્ઞાનાનુસાર ક્રિયા કરવામાં આવે ત્યારે જ જ્ઞાન સફળ બને છે. આજે જે રાગ-દુઃખ વગેરે પેદા થાય છે તેનું પ્રધાન કારણ જ્ઞાનયુક્ત ક્રિયા ન કરવી એ છે. કેટલાક લેકે કહે છે કે વેદનીય કર્મોના ઉદયથી રેગે પેદા થાય છે પણ વિચારવાનું અત્રે એ છે કે, વેદનીય કર્મની ક્રિયા કોણ કરે છે ! તમે જે ચાહે તે વેદનીય કર્મને પેદા પણ કરી શકે છે અને નષ્ટ પણ કરી શકે છે. એટલા માટે કેવળ વેદનીય કર્મને છેષ કાઢી બેસી ન જાઓ. ( શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, રેગ થવાનાં નવ કારણ છે, ભગવાન મહાવીરે કહ્યું છે કે, હે ! જગજજી ! જ્ઞાનઠારા જોયું છે કે નવ કારણથી રેગે પેદા થાય છે. આ 'નવે કારણો ઉપર સાવધાની રાખવામાં આવે. તે રોગોથી બચી શકાય. . આ પહેલું કારણ અતિ આસન કે અતિ અશન છે. એક જ આસન ઉપર શક્તિથી વધાર બેસવામાં આવે તે પણ રોગ પેદા થાય છે અને બહુ ખાવાથી રોગ પેદા થાય છે. વૈદ્યો કહે છે કે, બહુ બેસવાથી જ હરસ આદિ રોગ પેદા થાય છે. આ જ પ્રમાણે બહુ ખાવાથી પણ રોગ પેદા થાય છે. એક ઉર્દૂ શાયરે ઠીક જ કહ્યું છે કે :“વિના ભૂખ ખાના ઔર રાગ કે બુલાના.” ભૂખ ન હોવા છતાં વધારે ખાવું એ જ રોગનું મુખ્ય કારણ છે. મજુર લેકે લુખીસૂકી રોટલી જ ખાય છે અને શેઠ-શેઠાણી માલતાલ ઉડાવે છે. પણ રંગી વધારે કાણું હેય છે? મજૂર કે શેડ શ્રીમતે એમ તે એક પૈસે પણ ન આપે પણ ડૉકટરોને માટે તે ખીસ્સાં ખાલી જ કરી દે છે. પરંતુ એનું શું કાણું છે? મારા આ કથન ઉપરથી વેંકટરો કદાચ એમ કહેતા હશે કે, અમારા રેગ્ગાર ઉપર કુઠારાઘાત કરે છે પણ એ વિચારથી સત્ય વાતને કેમ બાવી શકું ? એમ તે વેશ્યાગમનને ત્યાગ કરાવવાથી વેશ્યાઓ પણ એમ કહી શકે કે, અમારો રોજગાર બગાડે છે. આ જ પ્રમાણે શરાબને નિષેધ કરવાથી કલાલ પણ એમ કહી શકે કે, અમારે રોજગાર બગાડે છે. આ પ્રમાણે સંસારમાં લેકે કહ્યા જ કરે છે પણ જે ભગવાનના વચનાનુસાર વ્યવહાર રાખવામાં આવે તે રોગી થવાનું કે દુઃખી બનવાનું કઈ કારણ નથી. " અતિ ભોજન પણ રોગનું કારણ છે. કેટલાક ભેજનર લોકે વધારે ખાવા માટે ભાંગ પણ પીએ છે, પણ આ પ્રમાણે વિશેષ ખાવાથી અજીર્ણ-ખાંસી વગેરે રોગો પેદા થવા પામે છે. રેગ પેદા થવાનું બીજું કારણ અહિતકારી આસન ઉપર બેસવું એ છે. આસન કેવું જ હોવું જોઈએ એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, કઠિન અને સ્થિર આસન ઉપર બેસવાથી હાનિ થાય છે અને કેમલ આસન ઉપર બેસવાથી લાભ થાય છે. આજે તે લોકોને પત્થરનાં મકાને પસંદ છે પણ એટલું વિચારતા નથી કે પત્થર ઉપર બેસવામાં અને માટી ઉપર બેસવામાં કેટલું બધું અંતર રહેલું છે ! આજે મકાન તે પાકું બનાવવામાં આવે છે પણ મકાન પાકું બનાવી શરીર કાચું બનાવવામાં આવે છે. કેવી ખુરશી ઉપર બેસવાથી લાભ થાય છે, અને કેવી ખુરશી ઉપર બેસવાથી હાનિ થાય છે એ વાત યુપીય લેકે પણ સમજવા લાગ્યા છે પણ ભારતીય લેક એ વાત જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી કિન્તુ કેવળ અનુકરણ કરવા લાગે છે,
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy