SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રી પ ] રાજકોટ–ચાતુર્માસ [ ૫૮૩ એ દશામાં તા તે લેઢુ જ રહેશે. પણ જો તે લેઢુ પારસને સ્પર્શ કરી લે તે, પારસ તે લેઢામાં અને પૂજામાં રાખવામાં આવતા લેાઢામાં કાંઈ ભેદભાવ ન રાખતાં તેને સેાનું બનાવી દેશે. પારસને માટે તે લેાઢાની ષ્ટિએ બન્ને સમાન જ છે. આ જ પ્રમાણે પાપ ન રહેવાથી આત્માની દૃષ્ટિએ બધા સમાન જ છે. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા અને હરકેશી મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા છતાં સિદ્ધ થયા બાદ તેમનામાં કાઈ પ્રકારના ભેદ ન રહ્યો. ગંગા અને ગટરમાં કેટલું બધું અંતર હેાય છે ? પણ ગગા એ ગટરને પણ પોતાનામાં મેળવી લે છે. જે પ્રમાણે ખુલ્લી પડેલી ગટર એટલી બદબૂ મારતી નથી જેટલી બદબૂ બંધ પડેલી ગટર મારે છે, તે જ પ્રમાણે પ્રકટ કરેલાં પાપાની અપેક્ષા દખાએલાં પાપા અધિક હાનિ કરે છે, એટલા માટે પાપાને ન દબાવતાં પ્રકટ કરી પશ્ચાત્તાપ કરે। તા તેમાં કલ્યાણ રહેલું છે. અભયા વ્યન્તરીની વાતને વધારે ન વિસ્તારતાં એટલું જ કહું છું કે, તે પાતાનાં પાપાને પશ્ચાત્તાપ કરી સમકિતધારિણી બની ગઈ. હવે સુદર્શન ભગવાનનું શું થાય છે તેના વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસા વદી ૫ મગળવાર પ્રાથના કુથ્રુ જિનરાજ તૂ એસા, નહિ કાઇ દેવ તા *સા; ત્રિલાકીનાથ તૂ કહિયે, હમારી બાંહ દૃઢ ગહિયે. પ્રથ॰ ૧ u —વિનયચંદ્રજી કુંભટ ચેાવીશી શ્રી કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના આત્માએ કઈ રીતિએ કરવી જોઈએ એ વાત હું વારંવાર કહું છું, છતાં આ વાત જ એવી છે કે તેને પાર આવે એમ નથી. પક્ષીએ પાતાની પાંખાદ્વારા આકાશમાં ગમે તેટલા ઊંચા ઉડે પણ તેઓ અનન્ત આકાશને પાર પામી શકતા નથી. છતાં જ્યાંસુધી તેમનામાં ચેતના હેાય છે ત્યાંસુધી તેઓ આકાશમાં વિચરતા જ રહે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થનાના પાર નથી છતાં પોતાની શક્તિ અનુસાર પરમાત્માની પ્રાથના કરતાં જ રહેવી જોઈએ. પરમાત્માની પ્રાર્થના કરવાથી શે। લાભ થાય છે તે અત્રે જોવાનું છે. આને માટે શાસ્ત્રકારા અને યેાગાભ્યાસીએ એમ કહે છે કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પાતંજલિ યેાગસૂત્રમાં કહ્યું છે કેઃ— वीतरागविषयचित्तं वा योगसिद्धिः અર્થાત્-—વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી–વીતરાગનું ધ્યાન ધરવાથી યેાગની સિદ્ધિ થાય છે. પ્રાર્થના વિષે પણ એમ જ સમજો. પાતંજલિ યેાગશાસ્ત્રમાં જે કાંઈ કહ્યુ છે તે જ વાત જૈનશાસ્ત્રમાં ખરી રીતે જોતાં ખ ્ મળે છે, જૈનશાસ્ત્ર કહે છે કે, આપણા
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy