SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શુઠ્ઠી ૭ ] રાજકોટ–ચાતુર્માસ [ ૫૫૯ કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરેવરાની બહુલતા હાય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હેાય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખા દિવસ માછલીના માંસના લાભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રાયા જ કરે છે. આ કારણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કુરરી પક્ષીની માફક ભોગપભોગામાં ગૃદ્ધિ રાખે છે અને એ કારણે તે કે, તે અસાધુએ કષ્ટાને પામે છે. ભગવાન અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે. તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ- આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેાકાએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હાય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હાય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હાય છે તે જ ઉપદેશ પાતપાતાની યાગ્યતાનુસાર બધાએ સમજવા જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ ! પશુ-પક્ષીએ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈ ને કાંઈ શિક્ષા આપે છે; અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કાઈ ને કાઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાય હાય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કુરરી પક્ષી માંસની ગૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈ ને પણ્ સંસારભાવનામાં ગૃહિ રાખે છે તે પણ દુઃખને પામે છે. જે પ્રમાણે સડેલી નારંગી પેાતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાના લેપ કરે છે તે પેાતાની હાનિ તેા કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે. કદાચ કાઈ કહે કે, અનાથી મુનિને કુશીલા ઉપર દ્વેષ હતા કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલા ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પેાતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારા પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કાઈ પિતાના પુત્ર ખરાબ રસ્તે જાય તે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાને પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજીમતિએ રથનેમિને કહ્યું હતું કે, ‘ હે ! અપયશકામી ! તારા માટે મરણુ એ જ શ્રેયસ્કર છે. ' રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કાઈ પ્રકારના દ્વેષ હતા ? ડાક્ટર રાગીને ચીરા લગાવે છે તા તે રાગીના પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું ને ચીરું છું પણ દર્દી ઉપર તેા મા કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુએ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કાઈના પ્રતિ દ્વેષભાવ નથી. તે તે સાધુએના આત્માને શાન્તિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જો સાધુએ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પેાતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકાનું પણ કલ્યાણ થાય.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy