________________
શુદી. ૨] રાજકોટ–ચાતુર્માસ
[૫૩૫ સુદર્શન મુનિ ધ્યાનમાં તલ્લીન રહેતા હતા. તેઓ શહેરની બહાર જ ઉતરતા હતા. શહેરમાં તે કેવળ ભિક્ષાને માટે જ આવતા હતા. પંડિતાએ મુનિને આવતા જોવા અને વસ્યાને ભરમાવી. એટલા જ માટે એમ કહ્યું છે કે –
- સુરંગ: સર્વથા ચાર મધમમતિના સર્વનાશ: | રવા તાતાઓfજ ને સંભાત સમુદાયરિત . . જે તરંગ જેવડો પણ ધ, માન, કામ, લોભ, મેહ કે સ્મૃતિનાશ હોય તે તે દુસંગથી સમુદ્ર જેવડું થઈ જાય છે. જે પ્રમાણે એક ચીનગારીથી ભયંકર આગ ફાટી નીકળે છે તે જ પ્રમાણે કુસંગથી ક્રોધાદિ વધવા પામે છે. હરિણી વેશ્યા હતી. તેનામાં જે દુર્ગુણ હતાં તે સાધુસંતને કાંઈ પતિત કરવા માટે નહિ પણ પૈસા કમાવવા માટે જ હતાં; પૂરતુ પંડિતાની સંગતિથી તેના તરંગ જેવા દુર્ગુણે પણ સમુદ્ર જેવડાં થઈ ગયાં. એટલા માટે દુસંગ સર્વથા ત્યાજ્ય છે. આ વાતને ભક્તજને મેંઢું ફાડીને વારંવાર કહે છે કે – - તજે રે મન પ્રભુ વિમુખનકે સંગ;
જિનકે સંગ તે કુમતિ ઊપજે હોત ભજનમેં ભંગ. ત. કાગણિ કાહ કપૂર ચુગાયે મરકટ ભૂષણ અંગ;.
દૂધ પિલાયે હેત કાહ રે વિષ નહીં તજત ભુજંગ. તજે ભક્ત લકે કહે છે કે, જો તમે ભગવાનની ભકિતના રસિક છે તે દુર્સગનો સર્વથા ત્યાગ કરે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાgarઈ યુવરાવાળા જ
અર્થાત-જે લેકે સમકિતથી ભ્રષ્ટ થયા છે અને બીજા દર્શનમાં પડી ગયા છે તેમના સંગને ત્યાગ કરે; નહિ તે તમારા ગુણો પણ ભ્રષ્ટ થઈ જશે; જેમકે હરિણમાં સાધુને પતિત કરવાની ભાવના ન હતી. પણ પંડિતાના સંગને કારણે તે એવું દુષ્કૃત્ય કરવાને માટે પણ તૈયાર થઈ ગઈ. - પંડિતાએ હરિણીને ખૂબ જોશ આપ્યો એટલે તે કહેવા લાગી કે, “હું વેશ્યા છું એટલે એને પતિત કરવો એ શું મારે માટે મુશ્કેલ કામ છે? હું એને પતિત કરું તે જ મારું નામ હરિણું.આ પ્રમાણે નિશ્ચય કરી હરિણી વિચારવા લાગી કે, સાધુને મારે ઘેર કેવી રીતે લાવવા? સાધુ લેકે વેશ્યાને ત્યાં ગોચરી આવતા નથી અને આ સાધુ તે નગરની બહાર રહે છે. એટલા માટે તેને ઘેર કેવી રીતે લાવવા! કારણ કે તેને ઘેર તેડી લાવ્યા વિના ઈચ્છિત કામ પાર પડી શકે એમ નથી. આખરે તેણીએ એક ઉપાય શોધી કાઢ. તે શ્રાવિકા બની, તેણીએ શ્રાવિકા જે બાહ્ય દેખાવ કરે પણ શીખી લીધો. શ્રાવિકાને ઢંગ કરી હરિણી,
જ્યારે મુનિ ગેચરી માટે બહાર નીકળ્યા. ત્યારે તેમની સામે આવી, બે હાથ જોડી કહેવા લાગી કે, “આજે મારા સદૂભાગ્ય છે કે આપના દર્શન થયા. હવે આપ મારે ત્યાં ગોચરી માટે પધારો. મારો એવો નિયમ છે કે, મહાત્માઓના દર્શન થયા બાદ તેમને દાન આપ્યા વિના ખાવું નહિ. એટલા માટે આપ મારે ત્યાં પધારે. આપના છેડા કષ્ટથી હું તરી જઈશ. કોઈ મારા ઘરને વેશ્યાનું ઘર કહે તે પણ તમે તેનું ન માનશે. હું પહેલાં વસ્યા હતી પરંતુ હવે હું વેશ્યા નથી પણ શ્રાવિકા છું.”