SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ આસો પ્રકારે માન્યું નહિ અને પરિણામે રાણીને મરવું પડયું અને હવે તે તે એમ કહે છે કે, “હવે તે હું સાધુ થઈ ગયો છું એટલે કઈ સ્ત્રી અને હવે શું કરી શકે એમ છે? આવો તે અભિમાની છે. જો તમે તમારામાં શક્તિ સમજતા હે તે એને ભ્રષ્ટ કરી જુઓ તે તમને ખરી માનું!” - પંડિતાનું કથન સાંભળી હરિણીને અહંકાર આવ્યું. તે કહેવા લાગી કે, તારી માલિક રાણી હતી પણ અમે તે વેશ્યા છીએ. અમારી આગળ. એની શું શક્તિ છે તે અમારા ફંદામાંથી નીકળી જાય ? પંડિતાએ કહ્યું કે, હું પણ જોઉં છું કે તમારામાં કેવી શક્તિ છે? પંડિતાની વાત સાંભળી હરિણીને જેશ આવ્યું. તેણુએ સુદર્શનને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે શુદી ૨ શનિવાર = = - પ્રાર્થના આજ મ્હારા સંભવ જિનકે, હિતચિતણું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ આલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. રાજ ૧૫ - - -વિનયચંદ્રજી કુંભ, ચોવીશી | સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - " ભકતે કહે છે કે, હે ! પ્રભો! આજે હું તમારા ગુણગાન કરીશ. ભકતના આ કથનમાં જે “આજ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આજ ' શબ્દને કહેવાનો શો મતલબ છે એ અત્રે જોવાનું છે. જેમના હૃદયમાં પરમાત્માની પ્રીતિ પ્રગટ થઈ છે તેઓ આથી વિશેષ શું કહી શકે? તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટ થઈ છે. એટલા માટે તેઓ એ જ કહે છે કે, “હે! પ્રભો! હું આજે આપનાં ગુણગાન કરીશ; ભલે કઈ પ્રસન્ન થાઓ કે નારાજ થાઓ પણ હું તે આપના ગુણગાન આજે અવશ્ય કરીશ. કેઈની પ્રસન્નતા કે નારાજગીની હું પરવા કરીશ નહિ. આંબામાં મંજરી આવ્યા બાદ કેયલ કોઈની નિંદા પ્રશંસાની પરવા કરતી નથી અને બોલ્યા વિના રહેતી નથી. કેતકીની સુગંધથી જ્યારે વન સુવાસિત બની જાય છે ત્યારે ભમ ગુંજારવ કર્યા વિના રહેતા નથી. આ જ પ્રમાણે “હે! પ્રિભો! જ્યારે મારા હૃદયમાં આપની ભક્તિ પ્રગટ થઈ છે ત્યારે હું આપના ગુણગાન કર્યા વિના કેમ રહી શકું? હું આપના ગુણગાન એ જ રીતિએ કરીશ, એમાં જ મારું હિતા માનીશ અને મારું ચિત્ત પણ એમાં જ પવીશ. કેવળ લેકેને બતાવવા માટે જે ઉપરથી ગુણગાન નહિ કરું.” ભક્ત લેકે તે પરમાત્માની પ્રાર્થના આ પ્રમાણે કરે છે. હવે તમે તમારા વિષે જુઓ કે, તમે જે હમણાં પ્રાર્થના કરી તે ઉપરથી કરી છે કે હૃદયથી કરી છેઆ વાતને નિર્ણય તે તમે પોતે જ કરી શકે છે,
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy