SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઈન્દ્રિયોના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતનો વિચાર કરે જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સેના–ચાંદી આદિના પાત્રોનો ત્યાગ કર્યો છે તે પછી અમે કોઇના પાત્રો ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જ રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ? અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓના નાથે છે.” અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર છે. પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી; અબ તૌસું ગાડી બણ, પ્રભુ આશા પૂરે હમ ત. મુજ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી.૧ –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી | ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લકે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દૃષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દષ્ટિએ એ ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણું ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જેવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે – જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે! પ્રભા ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તું સ્વામી રહે. ભક્તિ કે પરમાત્માને જગતશિરોમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરોમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કે સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપી તમને સમજાવું છું -
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy