________________
વદી ૧૩ ]
રાજકોટ–ચાતુર્માસ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૧૩ બુધવાર
[ ૬૧૭ :
પ્રાર્થના
ધન ધન જનક સિધારથ’ રાજા, ધન ‘ત્રિશલા’દે માત રે પ્રાણી, જ્યાં સુત જાયા ને ગાદ ખિલાયા, બહુમાન” વિખ્યાત રે પ્રાણી; શ્રી મહાવીર નમે વરનાણી. ॥ ૧॥
—વિનયચંદ્રજી કુભટ ચાવીશી
શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માર્ગ બતાવવામાં આવ્યે છે. પરમાત્માને મળવાની જેમની ઇચ્છા છે એને માટે જ્ઞાનીજનેએ સરળ અને સુંદર માગ બતાવ્યા છે. તેઓ કહે છે કે, પરમાત્માને મળવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરેા. પરમાત્માની પ્રાર્થના એ પરમાત્માને મળવાના સુંદર અને સરળ માર્ગ છે.
પરમાત્માની પ્રાથના કરવાથી શું લાભ થાય છે, તે એને માટે કહ્યુ` છે કેઃ— ततः प्रत्येकचेतनाऽधिगमोऽप्यन्तरायाभावश्च ।
:
પરમાત્માની પ્રાર્થના કરવાથી સૌથી મેાટા લાભ તા એ થાય છે કે, પ્રત્યેક આત્માતા સાક્ષાત્કાર થાય છે. વિષયભાગના પદાર્થો અર્થાત્ બુદ્ધિકલ્પિત પદાર્થોથી આત્મા અળગા થઈ જાય છે અને પ્રત્યેક આત્માના ખેાધ થઈ જાય છે. આત્મા જ્યારે બહાર જોવામાં જ રહી જાય છે ત્યારે તેને પ્રત્યેક આત્માના ખાધ થતા નથી. જો કે આત્મા દૃષ્ટા છે પણ તે દૃષ્ટાભાવમાંથી નીકળી દૃશ્યભાવમાં ચાલ્યા ગયા છે અને તેથી જ તે ગેાથાં ખાઈ રહ્યો છે, અને સંસારમાં ભટકી રહ્યો છે. પરમાત્માની પ્રાના કરવાથી તે દૃશ્યભાવમાંથી નીકળ દૃષ્ટાભાવને પ્રાપ્ત થાય છે.
છાન્દ્રયાદ્દારા ગ્રહીત વિષયે અર્થાત્ જોવામાં, સાંભળવામાં, સુંધવામાં, ચાખવામાં અને સ્પર્શ કરવામાં જે આવે છે તે પદાર્થો દૃશ્ય છે અને આ આત્મા તેને દષ્ટા છે. દૃષ્ટાને જ આ દશ્ય પદાર્થાંનું ભાન થાય છે. દૃષ્ટાને માટે જ આ પદાર્થો દૃશ્ય છે. જો દૃષ્ટા-આત્મા જ ન હાય તા આ પદાર્થો દશ્ય કાના થશે ? એટલા માટે જ્યાંસુધી દષ્ટા આત્મા છે ત્યાંસુધી જ આ દશ્ય પદાર્થો લેવામાં આવે છે. પણ દૃષ્ટા આત્માથી એ ભૂલ થાય છે કે, તે પેાતાને જ ભૂલી જાય છે અને જે દૃશ્યને તે જુએ છે, તે જ પાતે બની જાય છે. દૃશ્યમાં જ તે મશગૂલ બની જાય છે. કાઈ સારું ગાયન સાંભળી તે એટલા બધા મુગ્ધ બની જાય છે કે તે પેાતાનું જ ભાન ભૂલી જાય છે. પરંતુ એમ ભાન ભૂલી જવાથી આત્માને કેવા પ્રકારની હાનિ થાય છે! એ વાત જ્ઞાનીઓએ અનેક ઉદાહરણા આપી સમજાવી છે. હરણ જ્યારે ગાયન ઉપર મુગ્ધ બની જાય છે ત્યારે તે પોતાનાં પ્રાણ જ ગુમાવી બેસે છે. તેને એટલું ભાન નથી કે આ ગાયન મને ફસાવનાર છે અને મારા પ્રાણ લેનાર છે. પતંગીયું દીપકના રૂપ ઉપર મુગ્ધ બની જઈ તેમાં પડી મરી જાય છે. તે એટલું જાણતા નથી કે આ દશ્યમાં પડી જઈ
33