________________
‘૫૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
ચેતન ભજ તૂ અરહનાથને તે પ્રભુ ત્રિભુવનરાયા.
“હે ! ચૈતન્ય આત્મા ! અત્યાર સુધી પરમાત્માને ભૂલી જઈ તે ગંભીર ભૂલ કરી છે. હવે અમારી વાતને ધ્યાનમાં લઈ તારી થયેલી ભૂલ સુધારી લે અને પરમાત્માનું ભજન કર; કારણ કે, ભગવાન અરહનાથ ત્રિભુવનના સ્વામી છે. તારે તા એ ત્રિભુવનના સ્વામી અરહનાથની જ મુલાકાત કરવી જોઈ એ. તારું અને તેમનું સ્વરૂપ એક.જ છે એટલા માટે તારે તેમને જ મળવું જોઈ એ. તું પોતે જ પાતાના કર્તા છે અને બહારના બધાં પદાર્થો તારા સહાયક છે. તું તે એ બધા પદાર્થો પાસેથી કામ લેનાર સ્વામી છે. છતાં તું આ વાતને ભૂલી જઈ સ્વામી હોવા છતાં તે પદાર્થોને વશ થઈ રહ્યો છે અને એ પદાર્થીની સાધનેાની સાથે અહીંતહીં ભટકી રહ્યો છે. માટે તું અજ્ઞાનને દૂર કરી જરા જો કે તારાં આ સાધને તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે? વાસ્તવમાં તારે કઈ બાજુ જવું જોઈ એ, અને તારાં આ સાધના તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે તે તું બરાબર જો. આમ બરાબર જોવાથી જ તું પેાતાના સ્વરૂપને સમજી ભવિષ્યની ગતિ માટે દિશા પરિવર્તન કરી શકીશ.”
[ આસે
આત્મા કાને આધીન થઈ કેવી રીતે કઈ બાજુ જઈ રહ્યો છે એ બતાવવા માટે પૂર્વાચાર્યોએ એક સુંદર કલ્પના કરી છે. તેમની કલ્પના એવી છે કે, એક રથ છે, તેને ઘેાડાઓ જોડવામાં આવેલ છે. ધેાડાની લગામ સારથીના હાથમાં છે, તે રથના માલિક રથમાં બેઠેલ છે અને રથને સારથી ચલાવી રહ્યો છે. જો રથમાં બેઠેલા રથના માલિક સાવધાન હશે તે તે સારથીને એમ જ કહેશે કે, મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે બાજુ જ હુંકારજે. રથના સ્વામીએ આ પ્રમાણે સાવધાન રહેવું જ જોઈ એ. સારથીના પણ એ જ ધર્મ છે કે, રથીની સૂચનાનુસાર રથને ચલાવે અને ધેડાઓને લગામદારા કાજીમાં રાખી યશેષ્ટ સ્થાને રથને લઈ જાય. આ પ્રમાણે જો રથી સાવધાન હશે, જો સારથી રથીની સૂચનાનુસાર રથને ચલાવતા હશે, જો લગામદ્વારા ઘેાડાઓને સારથી કાજીમાં રાખતા હશે અને ધેડાએ જો જાતવંત હશે તે તેા રથીને યથાસ્થાને લઈ જવામાં કાઈ પ્રકારની મુશ્કેલી આવી શકશે નહિ. આથી વિપરીત જો રથને સ્વામી અસાવધાન હેાય, જો સારથી સ્વચ્છંદ હાય અને મરજી મુજબ રથને ચલાવતા હાય, જો ઘેાડાઓની લગામ બરાબર કાબુમાં રાખવામાં આવતી ન હોય અને ધાડા પણુ અડીયલ ટટ્ટુ હેાય તેા તે રથ અને તેની સાથે જ સારથી તથા તેને માલિક યચેષ્ટ સ્થાને પહેાંચવાને બદલે રસ્તામાં જ પડી જાય.
કરી છે.
આ ઉદાહરણ આત્માને પણ લાગુ પડે છે. આત્મા પણ એક રથી છે કે જે આ શરીરરૂપી રથમાં બેઠેલા છે. ઉપનિષમાં કહ્યું છે કેઃ—
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव च । बुद्धिन्तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥ इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् । . आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥
અર્થાત્—હે ! બુદ્ધિમાને ! આ શરીર એક રથની સમાન છે. આ શરીરમાં બેઠેલા આત્મા આ શરીરને રથી છે. નિશ્ચયાત્મક બુદ્ધિવિવેક એ આ શરીરરૂપી રથને સારથિ છે. મન એ આ શરીરરૂપી રથમાં જોડેલા ધાડાઓની લગામ છે અને ન્દ્રિયા આ શરીર