SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૨ ] - રાજકોટ–ચાતુર્માસ : [ પ૭૭ નથી. સંસારમાં જેને અમંગલ કે અશાન્તિ કહેવામાં આવે છે તેને પણ ભગવાનને ભક્ત શાન્તિ અને મંગલરૂપ બનાવી લે છે. અનાથી મુનિનો અધિકાર–૬૪ 'અનાથી મુનિ પણ આ જ વાત કહે છે. તેઓ કહે છે કે, હું પોતે જ શાન્તિને પામ્યો ન હતો એટલે ભાઈ, બહેન, માતાપિતા વગેરે કેઈને પણ શાન્તિ આપી શકે ન હતા. મને શાન્તિ ન મળવાનું કારણ એ જ હતું કે, મને રેગ બીજો હતા અને ઉપાય. બીજે કરવામાં આવતાં હતા. તમે શરીરના છે કે શરીર તમારું છે? જો તમે એમ માનતા છે કે, અમે શરીરના નથી અને શરીર અમારું નથી તે તે ઠીક જ છે પણ જો એમ માનતા છે કેઅમે શરીરના નથી પણ શરીર અમારું છે તે પણ ઘણુંખરું કામ થઈ જાય. એ દશામાં એમ, થવું ન જોઈએ કે શરીર રોગી હોવાથી પોતાને રેગી માને અને શરીર સ્વસ્થ હોવાથી પિતાને સ્વસ્થ માને. જે શરીર રોગી હોવાથી પિતાને રેગી અને શરીર સ્વસ્થ થવાથી પિતાને સ્વસ્થ માનવામાં આવે તે તમે શરીરના થયા કે શરીર તમારું થયું? અનાથી મુનિ કહે છે કે, જ્યાં સુધી હું શરીરને પિતાનું માની રહ્યો હતો ત્યાં સુધી હું દુઃખ ભોગવતે રહ્યો; પણ જ્યારે હું શરીર અને આત્માને પૃથક્ માનવા લાગ્યો અને હું શરીર નથી પણ શરીર મારું છે એમ સમજવા લાગ્યો ત્યારે શરીરના રેગે ચાલ્યા ગયા. જે તમે શરીરને આધીન થઈ જશે તે ઘણું દુશ્મ પામશે પણ જો શરીરને પિતાને આધીન કરી લેશે તે એ દિશામાં તમારું ખાવું, પીવું, દેખવું, સાંભળવું વગેરે જુદા જ પ્રકારનું થઈ જશે અને ત્યારે દુ:ખ પણ નહિ થાય; તથા ઇન્દ્રિયને વશ થઈ આજે જે ન ખાવા યોગ્ય ખાવામાં આવે છે, ન જોવા યોગ્ય જોવામાં આવે છે અને ન સાંભળવા યોગ્ય સાંભળવામાં આવે છે તે ખાવામાં, જોવામાં કે સાંભળવામાં આવશે નહિ. જેમકે, સિનેમા-નાટક જેવા કે સાંભળવા યોગ્ય નથી. સીનેમા–નાટકને જેનાર ઘરને કે ઘાટને રહેતું નથી. સનેમાની નટી જેવી તેની સ્ત્રી હોતી નથી એટલે સીનેમા જોયા બાદ ઘરની સ્ત્રી તેને રાક્ષસી જેવી લાગે છે અને સીનેમાની નટી તેને મળતી નથી એટલા માટે તે એકેય બાજુને રહેતે નથી. આ પ્રમાણે શરીરને આધીન બની જવાથી તે ન જેવા લાગ્યને પણ જવાનું બને છે, પણ જો શરીર પિતાને આધીન હોય તે એમ થતું નથી. ' - અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન! જે સાધુ થઈને પણ શરીરને ગુલામ બની જાય છે તે અનાથ જ છે, તે કુશીલ છે. હે ! રાજન ! તું એ કુશીલને માર્ગ છોડી દઈ મહાનિર્ચન્થના માર્ગે ચાલ. તું એમ ન સમજ કે, “મને જે શિક્ષા આપવામાં આવી છે તે સાધુઓને માટે જ હિતકારી છે. તું આ શિક્ષાને પિતાના હિત માટે પણ માન અને કુશલેને માર્ગ છેડી દે તે તેમાં તારું કલ્યાણ રહેલું છે. ” , કઈ કુશલોને તે છોડી દે પણ તેમને માર્ગ છોડે નહિ તે એથી કાંઈ લાભ થત નથી. લાભ તે ત્યારે થાય કે જ્યારે કુશલેને માર્ગ છોડી દેવામાં આવે. જે વસ્તુ જે કામ માટે મળી છે તે વસ્તુને વિપરીત કામમાં ઉપયોગ કરવો એ કુશીલેને માર્ગ છે અને જે. એમ કરે છે તે કુશીલ છે. જેમકે કપડાં, લજજા ઢાંકવા માટે પહેરવામાં આવે છેપણ જે
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy