SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૨ ] રાજકાટ–ચાતુર્માસ [ ૫૭૫ નથી. તેમનું મૃત્યુ ચિન્તનીય છે કે જેમણે આત્માના કલ્યાણનાં કામે કર્યા નથી પણ અકલ્યાણનાં કામેા કર્યા છે. કહેવાના આશય એ છે કે, જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે શું શરીરને રાખી શકાય છે! જો નિશ્ચેતન શરીરને રાખવામાં આવે તે શરીર ગધાવા માંડશે અને તેમાં કીડા પડી જશે. શરીરનું સડી જવું અને તેમાં કીડાનું પડવું એ જ બતાવે છે કે, આ શરીરમાં જે કાઈ હતું તે ખીજો કાઈ હતા અને આ શરીર પણ તેનાથી ખીજાં છે; પણ લા શરીર-પુદ્ગલને જ આત્મા સમજી બેઠા છે એ જ માટી ભૂલ છે. હું પુદ્ગલ હું એવી લેાકેામાં શ્રદ્ધા બેસી ગઈ છે. અને પછી જેવી શ્રદ્ધા હેાય છે. તેવું જ બની જાય છે. કહ્યું પણ છે કેઃ — શ્રદ્ઘામોડાં પુર્ણ ચો ચન્દ્ર સપા અર્થાત્—પુરુષ શ્રદ્ધામય છે, જે જેવી શ્રદ્દા કરે છે તે તેવા જ બની જાય છે. આ જ કારણે પુરુષ આત્માના મૂત્ર સ્વરૂપને ભૂલી જઈ એમ માનવા લાગે છે કે, હું અસત્, અમ'ગલ' અને અસુંદર છું. જે આત્મા પોતાના મૂલ સ્વરૂપને સમજીને પછી ભગવાન શાન્તિનાથનું સ્મરણ કરે તે શાન્ત પણ થઈ જાય અને તેની બધી ઇચ્છા પણ પૂર્ણ થઈ જાય. ભગવાનનું સ્મરણ કરવાથી કાઈ પ્રકારની ઉપાધિ બાકી ન રહે.. કોઈ એમ હે કે, “ ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવાથી શાન્તિ મળે છે પરંતુ અનેકવાર એવું બને છે કે, ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવા છતાં પણું રાગ શાન્ત થતા નથી. આવી દશામાં ભગવાન શાન્તિનાથના નામસ્મરણ કરવાથી શાંન્તિ મળે છે એ કથન ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? આ જ પ્રમાણે કેટલાક લોકો એમ પણ કહેશે કે, આ પ્રાર્થનામાં એમ કહેવામાં આવ્યું શાન્તિનાથનું નામ છે કે, ભગ જપવાથી બધી આશા પૂરી થઈ જાય છે, પણ અમે નામ જપતાં જપતાં ઘરડાં થઈ ગયા છતાં અમારી આશા પૂરી ન થઈ. તે પછી ભગવાન શાન્તિનાથના નામસ્મરણથી આશા પૂરી થાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે?” આ પ્રશ્નના ઉત્તર એ છે કે, માના કે કોઈ ભાગુસે ખીજા માણસને એમ કહ્યું કે, સાયકલદ્વારા એ ચાર મિનિટમાં જ અહીંથી સ્ટેશને જઈ શકાય છે. જે માણસને આમ કહેવામાં આવ્યું તે માણુસ સાયકલ ચલાવવી જાણતા ન હતા, છતાં તે સાયકલ ઉપર બેસી ચાલવા ગયે, પણ તે નીચે પડી ગયા અને તેના હાથે તથા પગે સખ્ત ચેોટ લાગી. એટલે તે પે'લા માણસને કહેવા લાગ્યા કે, તમે મને ખાટું કહ્યું કે એ ચાર મિનિટમાં સાયકલદ્દારા સ્ટેશને પહેાંચી શકાય છે. હવે તમે એ વિચાર કરી જુએ કે, પે'લા માણસે જે કાંઈ કહ્યું હતું તે ખાટું હતું કે ઠીક હતું ? તે માણસનું કહેવું તે બરાબર હતું કે,. એ–ચાર મિનિટમાં અર્થાત્ જલ્દી સાયકલદ્દારા સ્ટેશને પહેાંચી શકાય છે, પણ ત્યારે કે જ્યારે સાયકલ ખરાખર ચલાવતાં આવડતી હાય. જો સાયકલ ઉપર ચડતાં જ આવડતું ન હેાય તે। સ્ટેશને પહેાંચવાને બદલે 'હાથ-પગ ભાંગે તે એમાં આશ્ચર્યની વાત શી છે? સાયકલ તે સ્ટેશને પહેાંચવાનું એક સાધન છે, આ સાધનના જે ઉપયેગ કરતાં જાણે છે તે જ સ્ટેશને જલ્દી પહેાંચી શકે છે..
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy