SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ [ ૫૫૯ કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરવરેની બહુલતા હેય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હોય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખો દિવસ માછલીના માંસના લેભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રેયા જ કરે છે. આ કાણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કે, તે અસાધુઓ કરરી પક્ષીની માફક ગોપભેગોમાં વૃદ્ધિ રાખે છે અને એ કારણે તેઓ કોને પામે છે. ભગવાન અનાથી મુનિએ કુરશી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેકેએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હોય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હોય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હેય છે તે જ ઉપદેશ પિતપોતાની યોગ્યતાનુસાર બધાએ સમજવો જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ કે પશુ-પક્ષીઓ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈને કાંઈ શિક્ષા આપે છે અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કઈને કોઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાયક હોય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કરી પક્ષી માંસની વૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈને પણ સંસારભાવનામાં વૃદ્ધિ રાખે છે તે પણ દુઃખને પામે છે. જે પ્રમાણે સડેલી નારંગી પિતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાને લોપ કરે છે તે પિતાની હાનિ તે કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે. કદાચ કઈ કહે કે, અનાથી મુનિને કુશીલ ઉપર ષ હતો એ કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલ ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પિતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારો પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કેાઈ પિતાને પુત્ર ખરાબ રસ્તે જાય છે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજમતિએ રથનેમિને કહ્યું હતું કે, હે ! અપયશકામી ! તારા માટે મરણ એ જ શ્રેયસ્કર છે.” રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કોઈ પ્રકારનો દ્વેષ હતો ? ઑકટર રોગીને ચીરે લગાવે છે તે તે રોગીને પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું દઈને ચીરું છું પણ દર્દી ઉપર તે મારો કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કોઈને પ્રતિ દ્વેષભાવ નથી. તેઓ તે સાધુઓના આત્માને શાંતિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જે સાધુઓ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પિતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકેનું પણ કલ્યાણ થાય.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy