SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૫] રાજકોટ–ચાતુર્માસ [૫૩૯ આધ્યાત્મિકતાને અનુપયોગી અને અવ્યાવહારિક કહેવાનું કારણ એ છે કે, કેટલાક લે કે એમ કહે છે કે જે આધ્યાત્મિકતાને પ્રાપ્ત થાય છે તેને માટે બાહ્ય ક્રિયાની જરૂર જ રહેતી નથી. આ કથન ઉપરથી જ એમ કહેવામાં આવે છે કે, આધ્યાત્મિક વિષય અવ્યાવહારિક છે. ઊંચી સ્થિતિએ પહોંચ્યા બાદની વાત જુદી છે પરંતુ તે પહેલાં જ આધ્યાત્મિક્તાના નામે વ્યવહારને ત્યાગ કરવાથી જ લોકોને આધ્યાત્મિકતા તરફ અરુચિ પેદા થઈ છે અને યુવક લેકે તે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે. જે લોકો આધ્યાત્મિકતાને નામે વ્યવહારની જરૂર જોતા નથી અને એ કારણે જે લેકે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે એ લેકોને જ્ઞાનીજને કહે છે કે, તમે લેકે ભૂલ કરી રહ્યા છે. આધ્યાત્મિકતાના નામે વ્યવહારને છોડી દેવે પણ અનુચિત છે અને આધ્યાત્મિક્તાને અવ્યાવહારિક માની તેનાથી કંટાળી જવું એ પણ અનુચિત છે બહિક આધ્યાત્મિકતાથી વિમુખ રહેવાને કારણે જ હાનિ પેદા થઈ છે અને થઈ રહી છે. પ્રાર્થના પણ આધ્યાત્મિક વિષય છે. કેટલાક લેકે પ્રાર્થનાને પણ ભ્રમરૂપ માને છે પણ વાસ્તવમાં આત્માને ઉન્નત કરવામાં પ્રાર્થના સહાયક છે. આત્મા પ્રાર્થનાદ્વારા કેવી રીતે ઉન્નત થઈ શકે છે અને ઉન્નત થવા માટે આત્માએ કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. એના સીધા સાદા સરલ ઉપાયો આ પ્રાર્થનામાં બતાવવામાં આવેલ છે. એ ઉપાય એવા સરલ છે કે તે ઉપાયોને બધા લેકે આચરી શકે છે. ભમરાને કેતકી ઉપર એકનિષ્ઠ પ્રીતિ હોય છે. તેની એકનિષ્ઠા પ્રીતિ કેમ હૈય છે? એને માટે એમ કહી શકાય કે એમાં સુગંધ છે. પરંતું જેમાં સુગંધ છે તે કેતકીની સાથે પ્રીતિ બાંધવાનું ભમરાને કેણે શીખવ્યું ! * ભમરે કુલને પહેલાં સાક્ષાત જ નથી પરંતુ ગંધથી જ તે એ વાતને નિર્ણય કરીલે છે કે, આ બાજુએથી ગંધ આવે છે એટલા માટે આ બાજુ નજદીક કે દૂર ફુલ હોવું જ જોઈએ. પહેલાં તે તે ભ્રમમાં રહે છે પણ જ્યારે તેને સુગંધ આવે છે ત્યારે તે તેની સહાયતાથી ભ્રમણ કરતા કરતા કુલને મળી જાય છે. આ જ પ્રમાણે પરમાત્મારૂપ કેતકીની સુગંધને આધારે તમે લેકે પણ આગળ ચાલવા માંડે તે તમને પણ પરમાત્માને ભેટ થઈ જશે અને એ રીતે તમારી પ્રાર્થના પણ સરળ થઈ જશે. તમે કહેશો કે, પરમાત્માની ગંધ કેવી હોય છે! જ્ઞાનીજને એના ઉત્તરમાં કહે છે કે, “તમે લોકો નજદીકની વાત પણ ભૂલી રહ્યા છે ! જો તમે પરમાત્માની સાથે એકનિષ્ઠ પ્રીતિ બાંધો તે તમને તેમની સુગંધ અવશ્ય આવે. ભ્રમર સુગંધની સાથે એકનિષ્ઠાથી પ્રીતિ બાંધે છે એટલા માટે જ્યારે તે સુગંધની તપાસ કરે છે ત્યારે વચમાં દુર્ગધ પણ આવે છે પરંતુ તે દુર્ગધની તરફ જતા નથી પણ સુગંધની તરફ જ જાય છે. કિંતુ પરમાત્માના વિષે લેકિની એ ભૂલ થઈ રહી છે કે, લેકે પરમાત્મારૂપી સુગંધની શોધમાં નીકળવા છતાં પણ વિષયરૂપ દુર્ગધને ગ્રહણ કરવા ચાલ્યા જાય છે, આ જ મોટી ખરાબી છે. એટલા માટે તમે તમારા વિષે જુઓ કે તમારો આત્મા કેવી રીતે વિષયમાં પડી જઈ સાચા સિદ્ધાંતને ભૂલી રહ્યો છે અને સાચા સિદ્ધાંતને નષ્ટ કરી કેવી રીતે ખરાબીમાં પડી રહ્યો છે? તમને આત્માની સુગંધ તે આવે છે કારણ કે, આત્મા તે તમારા સમીપ જ છે. વાસ્તવમાં આ આત્મા જ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy