SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ [ માલ છો? શુલીને તેડીને સિંહાસન તે કોઈ કારીગર પણ બનાવી શકે છે પણ શત્રુને મિત્ર માનવાની ભાવના કેઈ કારીગર બનાવી શકતું નથી. એટલા માટે સુદર્શનની સદ્દભાવનાને દષ્ટિમાં રાખી એવો વિચાર કરો કે, સુદર્શને તે અપરાધીને પણ ક્ષમા અપાવી તે હું કેઈન ઉપર ખોટું કલંક તે ન ચડાવું? કોઈ નિરપરાધીને તે ન મારું ? જે મારામાં આટલી પણ સદ્દભાવના ન આવી તે પછી સુદર્શનની કથા હમેશાં સાંભળવાથી શું લાભ? તમે ઉપદેશ સાંભળીને રેવા-કૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ કર્યો એ તો સારું જ કર્યું. એ તે લાભનું કામ થયું પણ કેવળ એટલું જ કહીને રહી ન જાઓ; પણ બીજી જે કાંઈ ખરાબીઓ હોય તેને પણ દૂર કરે. કોઈ રોગીને અનેક રોગ થયા હોય અને તેમાંથી કોઈ એક રોગ શાન થયો હોય એથી ડોકટરને એવી આશા આવે છે કે આ રોગીના બધા રોગો મટી જશે ! આ જ પ્રમાણે રાજકોટ સંઘે એક કામ તે કર્યું પણ હવે બીજો કો સુધાર હાથમાં લે તેને વિચાર કરે. આ પ્રમાણે સુધારનું કામ કરવું એ નૌકાને સુધારવા જેવું કામ છે. એક માણસ નૌકામાં બેઠેલી અમુક વ્યક્તિને જ બચાવી રહ્યો છે અને એક માણસ તૂટી ગએલી નૌકાને સુધારી રહેલ છે. તે આ બેમાં કેણ મોટું કહેવાય ? આ જ પ્રમાણે સામાયિક-પૌષધ વગેરે ધાર્મિક ક્રિયા પણ આત્માનું કલ્યાણ કરનારી છે પણ કેટલાંક એવાં પણ કામ છે કે જે કામ દ્વારા અનેક ગરીબ અને વિધવાઓ દુઃખ પામી રહી છે તે દુઃખ મટાડી શકાય, તેમનું દુઃખ દૂર કરી શકાય. આવાં કોઈ કામ હાથમાં લેવા જોઈએ. અભયા સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવી તેને શ્રેણીની સજા અપાવી મનમાં પ્રસન્ન થતી હતી અને કહેતી હતી કે, “મારું કહ્યું ન માનનારને કે દંડ મળે છે! હમણાં જ તેના પ્રાણ નીકળી જશે.” આ પ્રમાણે અભયા મનમાં અભિમાન કરી રહી હતી પણ જ્યારે તેણુએ સાંભળ્યું કે, શૂળીનું સિંહાસન બની ગયું છે અને શેઠ બચી ગયા છે ત્યારે તેના મનમાં ધ્રાસકો પડયો. પિતાનું પાપ પિતાને જ દબાવે છે. આ કથનાનુસાર રાણીનું પાપ રાણીને જ દબાવવા લાગ્યું. રાણી તે વખતે એમ વિચાર કરી શકતી હતી કે, જે થયું તે થયું, પણ હવે મારે આ સમયે પાપનું પ્રક્ષાલન કરી નાંખવું જોઈએ, અને દુષ્કૃત્ય માટે સુદર્શનની પાસે ક્ષમાં માંગી લેવી જોઈએ પણ તેના મનમાં એવી ભાવના પેદા ન થઈ. જે તે એમ કરત તે તેને કઈ પ્રકારની હાનિ ન થાત પણ તેનું કલ્યાણ જ થાત કારણ કે સુદર્શને તેના માટે પહેલેથી જ રાજા પાસેથી અભય વચન માંગી લીધું હતું, પરંતુ તેનામાં એમ કરવાની બુદ્ધિ જ પેદા ન થઈ આ કથા તે ભૂતકાળની છે પરંતુ વર્તમાનમાં તમારા વિષે પણ જુઓ કે, તમે શું કરે છે ? લોકે પિતાના પાપને દબાવી રાખે છે અને જ્યારે પાપ પ્રગટ થઈ જાય છે ત્યારે પણ પાપનું પ્રક્ષાલન કરવાની ચેષ્ટા કરતા નથી. શું આ અભયાના જેવી ભૂલ થતી નથી ? જે પિતાના પાપને પ્રગટ થયાં પહેલાં જ પોતે નિંદે છે, અને ગહે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે પણ જે પાપને છેવટ સુધી દબાવી રાખે છે તેની અવદશા કેવી થાય છે એ અભણાના ચરિત્ર ઉપરથી જુઓ – સુની વાત અભયા ફુઈ સભયા, પાપકા યહ પરિણામ; ગલે ફાંસ લે લજા પ્રાણુકે, ગમાયા આપના નામ. ધન૦ ૧૨૪
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy