SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા તમે કહેશે કે, અમે તે એમ સમજતા હતા કે, જ્યારે સંસારનું સુખ વધે ત્યારે પ્રાર્થનાનું બલ વધ્યું છે એમ મનાય. પરંતુ શત્રુને પણ મિત્ર માનવામાં પરમાત્માની પ્રાર્થના નાનું બલ રહેલું છે એમ માનવું એ તે બહુ મુશ્કેલ માર્ગ છે. અને વાસ્તવમાં પરમાત્માની પ્રાર્થનાને માર્ગ એવો જ છે. પિતાની વિષયવાસનાને પોષવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તો કેવળ પ્રાર્થનાને ટૅગ છે. જ્યારે પ્રતિકૂલ પદાર્થો અનુકૂલ લાગવા માંડે ત્યારે પ્રતિકૂલ પદાર્થો પણ અનુકૂલ થઈ જશે. અને સાથે સાથે તમારો આત્મા પણ બંધનમાં સપડાશે નહિ. જ્યારે તમે કઈ ચેરે વગેરેના ઘેરામાં ઘેરાઈ જાઓ ત્યારે એમ માને છે, હે ! પ્રભો ! એ લેકે મને, મારી ભૂલ બતાવી તારી તરફ ધકેલી રહ્યા છે. હું તને સમજી શક્યો નથી. એની સજા આપવા માટે એ લોકે તૈયાર થયા છે. જ્યારે તમે આ પ્રકારની ભાવના ભાવશે ત્યારે શું કઈ માણસ તમારે વૈરી રહી શકે ખરે? પરંતુ આવી ભાવનાને કેળવવા માટે તેના અભ્યાસની જરૂર રહે છે. ભક્ત કહે છે કે, “હે! પ્ર! જે સત્યની રાહ ઉપર હોઉં તે ભલે કઈ રાજા નારાજ થઈને મને કારાગારની સજા આપી મારી ઉપર ત્રાસ વર્તાવે તો પણ હું તે તેને . ઉપકાર જ માનીશ. હું તે એમ જ વિચારીશ કે, એ રાજાએ મને શાન્તિ જ આપી છે અને મારે ઉપકાર કર્યો છે; તેમજ મારા આત્માની જે દશા હું અત્યાર સુધી સમજી શકો નથી એ દશા સમજ્યારે એણે મને આ સુઅવસર આવે છે.” પહેલાંના વખતમાં વિદ્યાર્થીઓ જ્યારે બરાબર અભ્યાસ કરતા ન હતા ત્યારે તેમને ધમકી અને શારીરિક દંડ આપવામાં આવતું. જો કે આમ કરવું એ અત્યારે એક પ્રકારની ભૂલ માનવામાં આવે છે, પણ એમ કરનારાઓને ઉદ્દેશ તે એ જ રહે કે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરે. આ જ પ્રમાણે ભક્ત લેકોને માથે જ્યારે કષ્ટ આવી પડે છે ત્યારે તેઓ એમ કહે છે કે, “હે ! પ્રભો ! આ કન્ટે મને તારી પ્રાર્થના કરવાને અભ્યાસ કરાવે છે. આ મહાદિ કષ્ટોને અત્યાર સુધી હું કષ્ટ રૂપે માનતો હતો પણ હવે મને જણાયું કે, એ કષ્ટ વાસ્તવમાં કષ્ટ રૂપ નથી પણ પ્રાર્થનાને અભ્યાસ કરવા માટે એક શિક્ષા રૂપ છે.” જ્યારે તમે પણ ભક્તોની માફક આવી ઉચ્ચ ભાવના ભાવતા થશે અને તમારા આત્માને ઉજ્જવળ બનાવશે, ત્યારે રાજા પણ તમને હાથ જોડવા લાગશે. ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભે ! ભ્રમને કારણે આ આત્મા ડાકણ-શાકણ વગેરથી ભયભીત થઈ અહીં તહીં ભટકે છે પણ મને એવો વિશ્વાસ છે કે, આપના શરણે આવવાથી એ કલ્પનાનાં ભૂતો તે ક્ષણભર પણ ઉભા રહી શકશે નહિ અને જે કઈ દેવે પણ ભયંકર પિશાચ રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ મને ડરાવવા ચાહશે તે પણ તેનાથી ન ડરતાં, હું એમ જ માનીશ કે, એ તે મારી ઉપર ઉપકાર કરે છે, અને મારી પરીક્ષા લઈ રહ્યો છે. ” ' કઈ વિઘાથી, જે તે પોતાને અભ્યાસ બરાબર કરતે હેય, તે તે પરીક્ષાથી જરા પણ ડરતે નથી, પણ તે તે ઊલટે મારી પરીક્ષા અવશ્ય લે એમ કહે છે તે જ પ્રમાણે જે કઈ દેવ પરીક્ષા લે, તે તે ભક્ત એમ જ માને છે કે, “આ મારું શરીર ભલે તે નષ્ટ કરી નાખે, પણ આવા સમયે જે પરમાત્મા ઉપર મારે વિશ્વાસ દૃઢ રહે અને
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy