________________
શુદ ૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૩૮૧ લગાવી દઈશ. ભક્ત લોકો, આમ કહે છે એ ઉપરથી એમ જણાય છે કે, પરમાત્મા પાસેથી કઈ અપૂર્વ ચીજ તેમને મળી છે. પરમાત્મા પાસેથી જે અપૂર્વ ચીજ મળી છે તેના એક અંગને જ અત્રે કહું છું. ભકતે કહે છે કે, હે ! પ્રભો ! તારી કૃપાથી મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે.
ભગવાનના સ્વરૂપથી પિતાની અપૂર્ણતાનું જ્ઞાન થાય છે. પિતાની અપૂર્ણતાને જાણવી એ કાંઈ ઓછી વાત નથી. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે, “પરમાત્માની ભક્તિમાં અભિમાનદંભાદિને ત્યાગ કરવો જોઈએ? જ્યારે પિતાને પૂર્ણ માની લેવામાં આવે છે ત્યારે જ તંભ અને અભિમાન પેદા થાય છે, પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતે અપૂર્ણ છે તેનું ભાન થાય છે. જ્યારે પિતાનામાં ડાં ગુણ હોવા છતાં પોતાનામાં વધારે ગુણ છે એમ માનવામાં આવે છે, ત્યારે અભિમાન પેદા થાય છે; પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતાની અજ્ઞાનતાનું ભાન થાય છે અને તેનું અભિમાન ગળી જાય છે. ભક્ત લેકે પરમાત્માના સ્વરૂપને જોઈ પિતાનામાં અભિમાન રાખતા નથી પણ પિતાને લઘુથી પણ વધુ માને છે. સંસારમાં એવા પણ લેકે હોય છે કે જેઓ પિતાને પંડિત માને છે, અને પિતાને પૂર્ણ માને છે એટલું જ નહિ પણ બીજાઓ પાસે એવો મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે પરમાત્માના સાચા ભક્ત છે તે તે પિતાને અપૂર્ણ માની નમ્ર રહે છે.
મતલબ કે, પરમાત્માની કૃપાથી અપૂર્ણતાનું ભાન થયું છે અને એ કારણે જ મક એમ કહે છે કે, આજે “અમે પરમાત્માનું ભજન કરીશું, અને તેમના ગુણગાન ગાઈશું.”
જેઓ પોતાની અપૂર્ણતા માને છે, તેઓ પણું એાછા ઉપકારી નથી. તેમને પણ બહું ઉપકાર છે. આ વાત એક કથાકારા સમજાવું છું.
દેહલી જેવા શહેરમાં એક આબરૂદાર અને ચતુર ઝવેરી રહેતો હતો. કે ઝવેરી હોશીયાર હતા પણ હોશીયાર માણસથી પણ કઈવાર ભૂલ થઈ જાય છે. “મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” એ કથનાનુસાર તે ઝવેરીની પણ મોટી ભૂલ થઈ ગઈ. તેણે એક પેટા હીરાને સાચો અને કીંમતી હીરે સમજી ખરીદી લીધે, અને એ ખોટા હીરાની ખરીદીમાં તેણે પતેના ઘરની બધી પૂંછ રેકી દીધી. હીસની ખરીદી કર્યા પછી તેને ખબર પડી કે, ખરીદેલે એ હીરે તે તદ્દન ખોટો છે. તે વિચારવા લાગ્યો કે, હવે શું કરવું! વેચનાર માણસ ચાલ્યો ગયો છે. હવે એ વિષે હો-હા કરવાથી કાંઈ વળે એમ નથી. ઊલટી પિતાની આબરૂના કાંકરાં થશે, પણ મેં એ હીરા પાછળ ઘરની બધી પૂંજી ખરચી નાખી છે એટલા માટે મારા મૃત્યુ બાદ મારા કુટુંબીજને શું ખાશે? અત્યારે માથે આવી પડેલા આ દુઃખને સહ્યા સિવાય છૂટકે પણ નથી. પણ મારે એક મિત્ર છે તે જરૂર દુઃખના સમયે સહાયભૂત નીવડશે. આ હીરે તે ખેટે નીકળ્યો, પણ મારે મિત્ર તે ખેટો નીકળે એવો નથી.
ગ્રન્થમાં સન્મિત્રની બહુ જ પ્રશંસા કરવામાં આવી છે અને કહ્યું છે કે, સદ્દભાગ્યે જ સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. સુખના સમયે તે સાથ આપનાર અનેક મિત્રો મળી આવે છે પણ દુઃખના સમયે સાથ આપનાર મિત્રે બહુ જ ઓછા મળે છે.
તે ઝવેરી વિચારવા લાગ્યો કે, મારે મિત્ર તે સાચો મિત્ર છે. પણ મારે મિત્ર પાસે માંગવાની નહિ પણ તેને આપવાની બુદ્ધિ રાખવી જોઈએ. એટલા માટે જ્યાં સુધી હું