________________
શુદી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૭૫
મન કામવાસનાથી રંગાઈ જશે અને વીર્યને પાણીની માફક દુરુપયોગ થવાને કારણે પરિણામે નિળતા આવશે. વીર્ય એ મનુષ્યનું જીવનસત્ત્વ છે. એ વીના હાસ થવાથી મનુષ્યજીવનના હાસ થાય છે. જે વીય મનુષ્યનું જીવનસત્ત્વ ગણવામાં આવે છે એ વીના પાણીની માફક દુરુપયેાગ કરવા એથી વિશેષ દુ:ખની બીજી વાત કઇ હાઈ શકે ? એટલા માટે સંતતિની વૃદ્ધિ વિષયભાગને કારણે વધવા પામી છે એમ માનેા અને સંતતિને રાકવા માટે વિષયભોગને છેડી સંયમના મા ગ્રહણુ કરેા. સંયમને માર્ગ ગ્રહણ કરવાથી સંતતિને નિરોધ પણ થશે અને તમે સખળ થઈ તમારું કલ્યાણુ પણુ સાધી શકશે. તીર્થંકરદેવ પાતે કહી ગયા છે કે, જો કે, ‘અમારા જન્મ માતા-પિતાના રજ–વીથી થયા છે તાપણ આત્માનું કલ્યાણ તા બ્રહ્મચદ્વારા જ થાય છે. ' તીર્થંકરદેવના આ કથન ઉપર ઊંડા વિચાર કરે। અને બ્રહ્મચર્યને આદશ માની સંતતિનિધ માટે સંયમના માર્ગ ગ્રહણ કરે. કૃત્રિમ ઉપાયેાદ્વારા સંતતિના નિરાધ કરવા એ સાચા ઉપાય નથી. એ ઉપાય તે આત્માને પતનને માર્ગે લઇ જનારા અને આત્માનું અહિત કરનારા છે. આ ઉન્માર્ગે જૈનસમાજ ન ચડે તે સારું છે નિહં તે તેનું પિરણામ બહુ ભયંકર છે.
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “ હે રાજન! મારે બહેન પણ હતી. તેમણે પણ માતા-પિતા તથા ભાઇઓની માક મારા રાગનિવારણ માટે અનેક પ્રયત્ન કર્યા પણ સફળ ન નીવડયાં. એવી મારી અનાથતા હતી.
“ હે રાજન્ ! બહેનની પાસેથી કાંઈ ન લેતાં, તેને સામુ' આપવું જોઇએ, એ ભાઇના ધર્મ છે. પણ મારી બહેને તે મારા દુઃખે દુ:ખી રહેતી હતી. હું મારી બહેનને કાંઈ આપી સુખી બનાવું એ મારું કર્ત્તવ્ય હતું પણ હું પોતે જ દુ:ખી હતા એટલે તેમને હું સુખી બનાવી શક્યા નહિ. મારા શરીરની આટલી બધી પરવશતા જોઈ મને ભાન થયું કે, “ વાસ્તવમાં આ શરીર જ દુઃખનું કારણ છે, માટે આ શરીરથી મુક્ત થવાથી જ હું સુખી થઈ શકીશ. મારું દુઃખ બીજા કાઈ મટાડી શકે એમ નથી, પણ હું જ મારું દુઃખ દૂર કરી શકીશ.
""
મુનિના આ કથન ઉપર તમે પણ જરા વિચાર કરા. તમારા દુઃખને બીજો કાઇ હરી શકે એમ નથી. તમારા આત્મા જ આ દુ:ખને દૂર કરવાને સમય છે. એટલા માટે પેાતાના આત્માને જ સુદર્શન શેઠની માફક દુ:ખથી મુક્ત થવા માટે સાવધાન કરવા જોઇએ.
સુદર્શન ચરિત્ર—૨૯
નારી નપુંસકકી વ્યભિચારી, જન્મ્યા પુત્ર ઈન પાંચ;
તુમ જો મેલા શીયલવતી હૈ, યહી હૈંસીયા સોંચ. ડા ધન૦ ૩૬ ।
ફૈસે જાના હાલ સુનાવા, કહી વીતક સબ યાત;
રાણી મેલી મતિ મન્દતારી, હારી સુદર્શન સાથે ॥ ધન૦ ૩૭૪૫
છલ કર તુજકા છલી સુઘડને, તૂ નહી' પાયા ભેદ; ત્રિયાચરિત્રકા ભેદ ન સમજી, ગ્રંથ' હુઆ તુજ ખેદ. ૫ ધન૦ ૩૮ના