________________
૯૩૮
શારદા સરિતા
એક દુકાને જવું. કરીયાણાની બજારમાં એક કરીયાણાની દુકાને, એમ દરેક બજારમાંસોની બજારમાં એક સોનીની, ઝવેરી બજારમાં એક ઝવેરીની દુકાને જઈને તું આ પથ્થરની કિંમત કરાવજે. બધે ફરીને છેલ્લે રાજાના દરબારમાં જજે. ગમે તેટલી કિંમત અંકાય પણ તું આ પથ્થર કેઈને આપતો નહિ. મને લાવજે.
મહાત્માના કહેવા પ્રમાણે આ ગરીબ માણસ પથ્થર લઈને બજારમાં ગયે. એના મનમાં વિચાર થાય છે કે મહાત્માએ કહ્યું એટલે જાઉં છું પણ ચટણી વાટવાના મામૂલી પથ્થરમાં એવું શું હશે? જે હશે તે હશે પણ મહાત્માએ કહ્યું છે માટે એમાં કંઈક મહત્વ તો જરૂર હશે. શ્રદ્ધાપૂર્વક પથ્થર લઈને તે બકાલાવાળાની દુકાને ગયે ને કહ્યું – ભાઈ ! તારે આ પથ્થર લે છે? ત્યારે કહે છે હા, પથ્થર દેખાવે સારે છે એટલે ખરીદી લઉં પણ તને આઠ આના આપીશ. તો કહે છે “ના”. મારે આઠ આનામાં વેચ નથી. ત્યાંથી આગળ ચાલ્યા ને અનાજના વહેપારી પાસે ગયે તે કહે કે પાંચ રૂપિયા આપું. ચેક્સી પાસે ગયો તે કહે કે પચ્ચીસ રૂપિયા આપું. ઝવેરી પાસે ગયો તે કહે કે લાખ રૂપિયા આપું. એમ દરેક વહેપારી પાસે ગયે. જેમ જેમ આગળ વધે તેમ તેમ પથ્થરની કિંમત વધતી ગઈ. એક ચટણી વાટવાના પથ્થરની લાખ રૂપિયાની કિંમત અંકાણી. ગરીબ માણસના રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. તમારા જીવનમાં પણ આવું બની જાય તે તમને પણ આનંદ થાય ને? (સભા –કેમ ન થાય) શેને આનંદ થાય ? સંસારને કે આત્માને? (હસાહસ).
જીવને અનાદિકાળથી જડને સંગ છે. એ સંગનો રંગ લાગે છે એટલે એને એ જ ગમે ને ? ચેતનને સંગ કોઈ દિવસ કર્યો છે? સદ્દગુરૂને સંગ કદી કર્યો છે? તમે તમારા દેહના દર્દી મટાડવા માટે તમારે ફેમીલી ડેકટર રાખે છે, ફેમીલી વકીલ રાખે છે પણ આત્માના દર્દ મટાડવા માટે કઈ ફેમીલી ગુરૂ રાખ્યા છે? દુર્ગતિમાં જવાના કામ કરતા હે તે વખતે તમારું કાંડુ પકડીને કહે કે તું શું કરે છે? તને આ ન શોભે. તમારા ડોકટરે દેહના દર્દ મટાડશે. તમારા વકીલો તમારે કેસ તમારી ફેવરમાં લાવી આપશે. પણ દૂર્ગતિના દ્વારે જતા અટકાવશે નહિ. સદ્દગુરૂ તે તમને દુર્ગતિમાં જતા અટકાવશે.
પેલ ગરીબ માણસ પથ્થર લઈને હરખાતે હરખાતે રાજાના દરબારમાં આ. રાજા કહે છે ભાઈ! મારો આ કઈ વ્યવયાય નથી. આ પથ્થર કિંમતી છે એટલું કહી શકું પણ એની કિંમત કેટલી છે તે ઝવેરીઓને બોલાવીને અંકાવી આપું. બંધુઓ ! એક ચટણી વાટવાને પથ્થર જેની આ લોકોને પિછાણ નહતી પણ સંતની દષ્ટિ પડતાં તે સાચી વસ્તુની કેવી પિછાણ થાય છે! રાજાએ ગામના ઝવેરીઓને બોલાવ્યા ને એ પથ્થરની કિંમત અંકાવે છે. ઝવેરીએ પથ્થરને જોઈને કહે