SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા થાય છે. જમાલિકુમારની માતાએ એ પહેલાં કટ કરી. કસોટી કુંદનની થાય છે, કથીરની નથી થતી. દરેક વૈરાગીની થેડીઘણી કસોટી તે થાય છે. શ્રાવકેની પણ કલેટી થાય છે. (અહેવક શ્રાવકની કસોટીને ન્યાય આપી સુંદર રીતે સમજાવ્યું હતું ને ટકેર કરતાં કહ્યું કે આવા સમયે પણ શ્રાવકે કેટલા દઢ રહ્યા !) ' જ્યાં સુધી આવી શ્રદ્ધા ન રહે ત્યાં સુધી તમે દ્રવ્યથી શ્રાવક છે. જેમ રણમેદાનમાં ઉતરેલે ક્ષત્રિય તેની પાસે ઢાલ અને તલવાર રાખે છે તેમ સાધુ પાસે અને શ્રાવક પાસે પણ શ્રદ્ધાની તલવાર અને ક્ષમાની ઢાલ હેવી જોઈએ. મારણાંતિક ઉપસર્ગમાં પણ દઢ રહેવું જોઈએ. જમાલિકુમાર પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિબિકામાં સિંહાસન રહેલું છે તેના ઉપર બેઠા. ત્યાર પછી જમાલિકુમારની માતા સ્નાન કરી બલિકમ કરીને શરીરને અલંકૃત કરી હંસ લક્ષણવાળા (ત પટશાટકને ગ્રહણ કરીને) હંસ લક્ષણયુકત એવી થવેત સાડી પહેરીને શિબિકાને પ્રદક્ષિણા કરીને તેના ઉપર ચઢે છે, ને ચઢીને ક્ષત્રિય જમાલિકુમારના જમણા પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારપછી તે જમાલિકુમારની ધાવમાતા સ્નાન કરી ચાવત્ શરીરને શણગારીને રજોહરણ અને પાત્રા લઈને તે શિબિકાને પ્રદક્ષિણ કરીને તેના ઉપર ચઢીને જમાલિકુમારના ડાબા પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. તેની જમણી બાજુ તેની માતા બેઠા ને ડાબી બાજુ ધાવમાતા પાતરાં અને રજોહરણ લઈને બેઠી. જમાલિકુમારની પાછળ એક સૌંદર્યવાન સ્ત્રી જુઈ અને મગના ફૂલ જેવું વેત ઉત્તમ છત્ર ધરીને ઉભી છે. જમાલિકુમારના બંને પડખે મનહર રૂપવાળી બે સ્ત્રીઓ, મણ-રત્ન અને સેનાના બનાવેલા ઉજજવળ અને સુંદર દાંડાથી શેલતા શંખ-અંક-મેગરાનું ફૂલ, ચંદ્ર અને અમૃતના ફીણ જેવા વેત ચામર હાથમાં લઈ વીંઝતી ઉભી છે. વળી જમાલિકુમારની ઉત્તર-પૂર્વ દિશામાં એક ઉત્તમ સ્ત્રી પવિત્ર સુગંધીદાર પાણીથી ભરેલો સેનાને ઉત્તમ કળશ લઈને ઉભી રહી છે. તેની દક્ષિણ દિશાએ એક સુંદર સ્ત્રી સેનાની દાંડીવાળે વિઝણે લઈને ઉભી છે. આ બધું તૈયાર થયા પછી જમાલિકુમારના પિતા તેમના કૌટુંબિક પુરૂષને બોલાવે છે ને કહે છે તે દેવાનુપ્રિયે! તમે એકસરખી ઉંમરના, એકસરખી ચામડી અને રૂપવાળા, એકસરખા વસ્ત્રાલંકારે સજેલા એક હજાર પુરૂષને બેલા. જમાલિકુમારની શિબિકા તૈયાર થઈ ને પછી સરખી ઉંમરના ને સરખા વસ્ત્રાભૂષણે પહેરેલાં એક હજાર પુરૂષને બોલાવવાની આજ્ઞા આપી છે. એ હજાર પુરૂષ આવીને શિબિકા ઉંચકશે ને પ્રભુના સસરણમાં કેવી રીતે જશે તેના ભાવ અવસરે કહેવાશે. - જયકુમારની દીક્ષા ચરિત્ર – જયરાજા, લીલાવંતી રાણી અને પ્રધાન ત્રણેય પવિત્ર આત્માઓએ સંસાર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy