SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા અટવીને પાર કરવા માટે પણ કેટલી સાવધાની રાખવી પડે છે. તે જેને ચતુર્ગતિ રૂપ સંસાર અટવી પાર કરવી હોય તેને કેટલી સાવધાની રાખવી જોઈએ! રાત્રીના પ્રથમ પહોરે એક મિત્ર ખુલ્લી તલવારે પહેરો ભરે છે ને બીજા ત્રણ મિત્રો ઉંધી ગયા છે. ડીવાર પછી ઉચેથી અવાજ આવે પતામિ પડું! ત્યારે પહેરે ભરનાર મુસાફરે ઉંચે જોયું તે એક સુવર્ણ પુરૂષ તેના જેવામાં આવ્યો. સુવર્ણ પુરૂષ કહે છે હું પડું ? આજે તો પાળુ જોઈને ભલભલાનું મન શીળું બની જાય છે. આ મુસાફરનું મન પીળું જોઈને શીળું બન્યું ને તેણે કહ્યું “પડી. સેનાને પુરૂષ પડવા માંગતા હોય તે કોણ ના પાડે? ત્યારે સામેથી આવ્ય-પડુ તે ખરે પણ “સનર્થ વજાનિ સન્તિ ” અનર્થ બહુ છે બોલ પડુ ? આ સાંભળી મુસાફર વિચાર કરવા લાગે કે જેની પાછળ અનર્થ હોય તે સુવર્ણપુરૂષ શા કામને? આમ વિચાર કરી મુસાફરે ના પાડી. આમ કરતાં રાત્રીને બીજો પહોર આવ્યા ત્યારે પણ તેમ જ બન્યું. ત્રીજા પહારે પણ તેમ બન્યુ પણ બધાએ ના પાડી. છેવટે ચોથાને વારે આવ્યો ને અવાજ આ “પુતાનિ” પડુ? ઉંચે જોયું તે સેનાને પુરૂષ હતું. તરત ચોથા મિત્રે કહ્યું પડ’. વિલંબ ન કર. પણ સામે અવાજ આવ્યો કે અનર્થ વદુરનિ સત્તિા પડું તે ખરે પણ પાછળ અનર્થ બહુ છે. ત્યારે ચોથા મિત્રે વિચાર કર્યો કે લક્ષ્મી કંઈ અનર્થ વિના થડી મળે છે. લક્ષ્મીના લેભે અનર્થ જાણવા છતાં હા પાડી. ભલે અનર્થ આવે પણ તું તારે પડ. તરત સુવર્ણપુરૂષ ધબ કરતે નીચે પડે. જોરદાર અવાજ આવ્યું. તેથી સૂતેલા ત્રણે મિત્રે જાગી ઉઠયા અને બધાએ સુવર્ણપુરૂષ જોયો અને સૌ તેને લેવા તૈયાર થયા. ત્યારે મિત્ર કહે છે ખબરદાર! એને અડયા છો તે ! મારા કહેવાથી એ સુવર્ણપુરૂષ પડે છે. આમાં તમારે જરા પણ હક નથી માટે આપ દૂર રહો. બધા કહે કે અમારો સૈન હક્ક છે. છેવટે લડાઈ થઈ, તલવારે ઉડી ને ચારે જણું મૃત્યુ પામ્યા. સુવર્ણપુરૂષ ત્યાં ને ત્યાં પડી રહ્યો. કેઈના હાથમાં ન આવ્યો. આ રીતે ભગવાન કહે છે ધન એ અનર્થનું મૂળ છે. એના ખાતર અંદગી ફના કરી નાંખવી એ સમજુ મનુષ્યનું કર્તવ્ય નથી માટે સમયને અને હાથમાં આવેલી અમૂલ્ય તકને ઓળખે. જેના અંતરમાં આત્મકલ્યાણની કેડીએ જવાની પ્યાસ જાગી છે તેવા જમાલિકુમારને દીક્ષાની આજ્ઞા મળી ગઈ. એના અંતરમાં અપૂર્વ આનંદ થયો. બસ, હવે જલ્દી દીક્ષા લઉં ને કર્મની ભેખડેને તેડી નાંખ્યું. બંધુઓ ! તમે જમાલિકુમારની જેમ દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ જેમ બને તેમ વધુ ધર્મ આરાધના કરું, બ્રહ્મચર્યનું પાલન કરું, સદાચારી બનું, આરંભ બને તેટલા ઓછા કરું અને જે દીક્ષા લે છે તેને ધન્ય છે. મને પણ આવો ધન્ય અવસર જલ્દી પ્રાપ્ત થાય એવી ભાવના ભા, આટલું કરશે તે પણ કયારેક દીક્ષા લેવાની ભાવના જાગશે. બા.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy