SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ દરર શારદા સરિતા જમાલિકુમારની માતા કહે છે હૈ દીકરા ! તું આ બધું ભાગવ. દાન આપ અને આ સંસારમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે. તારી ઇચ્છા પ્રમાણે મનગમતા સુખા ભાગવી લે. પછી દીક્ષા લેજે. પણ જમાલિકુમારની દૃષ્ટિ હવે બદલાઈ ગઈ છે. જેની પાસે આટલી ઋદ્ધિ છે છતાં તેને ત્યાગ કરવા તત્પર બન્યા છે અને તમારી પાસે નથી છતાં મેળવવા મહેનત કરી છે. મહેનત કરે છે એટલું નહિ પણ પૈસાને ખાતર પંચશીલરૂપ ધર્મ પણ ખાઇ નાખેા છે. સાધુના પાંચ મહાવ્રત છે. મહાવ્રતમાં નવેનવ કાટીએ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત ને ચાર શિક્ષાવ્રત છે. એમાં મર્યાદામાં અંશે અંશે છૂટ રાખવામાં આવે છે. તેમાં અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ આ પાંચ શીલ ધર્મ છે. જે પૈસા મળતા હોય તે આ પંચશીલરૂપ ધર્મને પણ વેચી દે છે. આ ધન કેવા અન કરાવે છે. તમારે ત્યાં કોઈ થાપણ મૂકી ગયા હોય અને તેને તમે ગા દે તે તેને તેના પ્રાણ જાય તેટલેા આઘાત લાગે છે; કારણ કે અજ્ઞાની જીવા ધનને અગ્યારમા પ્રાણ સમાન ગણે છે. ધનને પ્રાણુ માનનારાનું ધન પડાવી લે, ધન લૂંટી લે તે કયારેક પ્રાણ પણ ચાલ્યા જાય છે. જેમણે પોતાના આત્માને ઉર્ધ્વગામી બનાવવા હાય તેમણે કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ. પેાતાના પ્રાણની જેમ ખીજાના પ્રાણુનુ રક્ષણ કરવુ જોઇએ. ખાતા-પીતા-હાલતા-ચાલતા, બહેન રસેઇ આદિ ગૃહકાર્યાં કરતાં ઉપયેગ રખે તે જીવયા પાળી શકાય છે. આચારાંગસૂત્રમાં ભગવાન ફરમાવે છે કે જેની તુ હિંસા કરવા ઇચ્છે છે તે તું પોતે છે. જેવા તારા આત્મા તેવા ખીજાના આત્મા છે તેમાં જરા પણ ભેદ નથી. સ્વરૂપથી બધા આત્માએ અભેદ છે. વેપારી ખીજાને છેતરતા હાય, કાઇને ચૂસી લેતે હોય, ત્યારે એ એમ સમજે છે કે મારી ચાલાકીથી હું ખીજાને છેતરૂ છું પણ ખરી રીતે તેા પેાતાની જાતને છેતરી રહ્યા છે. આટલા માટે ભગવાન કહે છે સ્વયાને માટે પણ પરઢયા પાળવી જોઈએ. તમને તમારી યા તે છે ને? જેનામાં સ્વદયા હૈાય તેનામાં પરયા તે હેાય. શુભ પરિણામથી જેણે પેાતાના આત્માનું રક્ષણ કર્યું" હાય તે અવશ્યમેવ ખીજા જીવાનુ રક્ષણ કરી શકશે. અહિંસા વ્રત મહાન છે. તેની રક્ષા કરવા માટે સત્ય અને અચૌર્ય વાડરૂપ છે. વાડ કાઢી નાંખવામાં આવે તેા ખેતર ખેદાનમેદાન થઈ જાય. તેમ જીવનમાં જો સત્ય અને અચૌર્યાં ન હોય તે અહિંસારૂપી ખેતર ખેદાનમેદાન થઇ જાય છે. માટે અહિંસાની રક્ષા કરવા માટે સત્ય વ્રતનું પાલન કરવું જરૂરી છે. એ સત્ય વચન પણુ કેવુ હાવુ જોઈએ? 7 સત્યમવિ માર્પત પરપીડામાં વર્ષે:। સત્યવચન હોવા છતાં એવુ ન હાવું જોઇએ કે જે ખેાલતાં બીજાને પીડા ઉત્પન્ન થાય. સત્ય પણ હિંત-મિત ને પથ્યકારી હાવુ જોઇએ. હિત એટલે સામાને હિતકારી હાવુ જોઈએ. મિત્ર એટલે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy