SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શારદા સરિતા નથી સંભળાતે ? શું હશે? લાવ, ત્યાં જઈને તપાસ કરું. ત્યાં જઈને જોયું તે પિતાના મોટાભાઈ શ્રીકૃષ્ણને જોયા! અરેરે...મોટાભાઈ! તમે અહીં કયાંથી? મેં જ આપને બાણ માર્યું. મેં તે હરણીયું માની શિકાર કરવા તીર છોડયું. હું કે પાપી ! હત્યારે ! મેં ભયંકર ભૂલ કરી છે. એમ કરી મૂછો ખાઈને ભેંય પડી ગયો. ભગવાન કહે છે માણસ ગમે તેમ કરે પણ કયારે ય કર્મ છોડતા નથી. જુઓ, કૃષ્ણના જીવનમાં શું બન્યું? એક વખત કૃણ વાસુદેવે તેમનાથ ભગવાનને પૂછ્યું કે પ્રભુ ! મારું મૃત્યુ કોના હાથે થશે? ત્યારે તેમનાથ પ્રભુએ કહ્યું-તારૂં મૃત્યુ તારા ભાઈ જરાસકુમારના હાથે થશે. આ સમયે જરાસકુમારને બહુ દુઃખ થયું. મારા મોટા ભાઈનું મૃત્યુ મારા હાથે થશે? હું રાજ્યમાં રહું તો એ પ્રપંગ બને ને ? માટે મારે આ રાજ્યમાં રહેવું નથી. માતા-પિતા, ઘરબાર છોડીને જરાસકુમાર એકલા જંગલમાં ચાલ્યા ગયા. પણ કર્મ કહે છે તું કયાં જાય છે? તું જઈશ ગાડીમાં તે હું જઈશ તારમાં. તું જઈશ પ્લેનમાં તે હું આવીશ રેકેટમાં, પણ તારો પીછો નહિ છોડું. પૃથ્વી ફેડીને એના પેટાળમાં પિસી જઈશ તે પણ હું તને જવા નહિ દઈ. અને આ તે સર્વજ્ઞા પ્રભુના વચન હતા. તીર્થંકરના વચનં ત્રણ કાળમાં ખોટા ન પડે. જરાસકુમારે બાર-આર વર્ષો સુધી વગડે વેશે પણ અંતે તે જે બનવાનું હતું તે બન્યું. જરાસકુમાર છાતી ફાટ રૂદન કરવા લાગ્યાઃ હું કે ગોઝારો ! ભાઈ ! મેં ભયંકર ભૂલ કરી. આ સમયે કૃણ એને ખૂબ આશ્વાસન આપે છે. ભાઈતારે જરાય વાંક નથી. રડીશ નહિ. એ તો મારા કર્મે મને સજા કરી છે. એમાં તારે શું દોષ? હવે તું શાંત થઈને અહીંથી ચાલ્યા જા. મોટા ભાઈ બળદેવજી મારા માટે પાણી લેવા ગયા છે. તેમને મારા પ્રત્યે અનહદ પ્રેમ ને મોહ છે. મને તીર વાગ્યું છે. આ અવસ્થામાં તને અહીં જોશે તો તને મારી નાંખશે. માટે તું ચાલ્યું જા. પણ જરાસકુમારનું રૂદન બંધ થતું નથી. ઢગલે થઈને ધરતી ઉપર ઢળી પડે ને ખૂબ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા. જરાસકુમારને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. એને વિલાપ કઠોર હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવો હતો. એને વિલાપ હદયના પશ્ચાતાપ હતે. આ દાખલ ભગવતી સૂત્રમાં ગોશાલકનો છે. ભગવાન મહાવીર છદ્મસ્થઅવસ્થામાં હતાં ત્યારે ગે શાલક તેમની પાસે આવેલો. ભગવાન જયાં વિચરતા ત્યાં તેમની પાછળ પાછળ જો. ભગવાન જયાં ઉતરે ત્યાં તેમની સમીપમાં જઈને ઉતરતો ને કહે ભગવાન! તમે મારા ગુરૂ ને હું તમારો ચેલો. તીર્થકર સર્વજ્ઞ બન્યા વિના શિષ્યને સ્વીકાર ન કરે. પ્રભુ તો કંઈ બોલતા નહિ. મિાન રહેતા. પણ એ ભગવાનની પાછળ ફરતે એટલે કંઈક વખત એવા પ્રસંગ બની ગયા કે ભગવાનને એની રક્ષા કરવી પડી છે. એક
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy