SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શારદા સરિતા ડેકર મારે છે કેઈ સુખના ભંડારને (૨) જકડીને રાખે છે તું સસ્તા ભંગારને (૨) એ છવડા રે.. ચીંથરાને વળગ્યા રહેવું તને શેભે ના મનવા જે સુખની મહાન પુરુષે સંસારને ભંગારની જેમ છેડીને નીકળી ગયા. અમારી શ્રાવિકાબહેનને પૂછી જેજે કે ભંગાર ઘરમાં રાખે છે ખરા કે જલદી ભંગારને કંસારાને ઘેરી વળાવી દે છે? જ્ઞાનીઓને સંસાર ભંગાર જેવું લાગે તે સંસાર છોડીને નીકળી ગયા. પણ તમને સંસાર કેવો લાગે છે? કંસાર જે. એટલે છેડે ગમતું નથી. વિચાર કરજો, સંસારને કંસાર જમતાં તમારે કસ કાઢી લેશે. ચક્રવર્તિ જેવા ચક્રવર્તિઓએ પણ સંસારને ભંગાર સમજી છોડી દીધું. બાર ચકવતિમાં બે ચકવતિ બ્રહ્મદત્ત અને સુભ્રમ એ બને ચક્રવતિઓએ છેક સુધી સંસારને રસ ન છે તે અંતે મરીને નરકમાં ગયા ને તેમના કસ નીકળી ગયા. નરકની મહાન વેદના ભગવતી વખતે કઈ ભાગીદાર ન થયું. માટે વિચાર કરે. સંસાર દાવાનળ જેવો છે એવું લાગશે અને જ્ઞાનીને ભેટ થશે ત્યાં તમારા અંતરના દરવાજા ખુલી જશે ને જ્ઞાનરૂપી રને ઝળકવા લાગશે. જમાલિકુમારે પ્રભુના સમોસરણમાં જઈને પ્રભુના દર્શન કર્યા. દ્રવ્યદર્શન કરતાં ભાવદર્શન કરી લીધા. પ્રભુના દર્શન કરતાં મિથ્યાત્વ ટળી ગયું ને સમકિત પામી ગયા. જેને સમ્યવની પ્રાપ્તિ થાય તેની લોટરી લાગી જાય. તમારી લેટરી લાગે તે બે-પાંચ લાખને નફે મળે પણ સમ્યકત્વ પામી જવાની લોટરી લાગે તો ભવભ્રમણ ટળી જાય. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી રહ્યા છે. વીતરાગ વાણી માનવભવમાં સાંભળવા મળે છે. જ્ઞાનીઓએ ચાર બેલ દુર્લભ કહ્યા છે. चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुइ सध्धा, संजमम्मिय विरियं । ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૧ મનુષ્યભવ, શાસ્ત્રની વાણીનું શ્રવણ ને તેના પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. વીતરાગ વાણી સાંભળીને સંયમમાં પુરુષાર્થ ફેરવો જોઈએ પણ આજે તે “સધ્ધા પરમ કુ ” શ્રદ્ધા થવી દુર્લભ છે. ડૉકટરની દવા લાવે પણ એને પીવે નહિ તે રેગ ક્યાંથી મટે. તેમ જિનવાણી સાંભળો પણ શ્રદ્ધા ન કરે, આચરણ ન કરે તે ભવઠ્ઠી ક્યાંથી થાય! માનવજન્મ પામીને થવું જોઈએ કે મારો પંચપરમેષ્ટિમાં નંબર કેમ ન આવે. આ ખટકા થવા જોઈએ. પગમાં કાંટે વાગે તે ખટકે છે ને સેયની વેદના સહન કરીને કાઢવો પડે છે! આંખમાં તણખલું પડે તે ખૂંચે છે ને બીજા પાસે કઢાવવા જવું પડે છે. તેમ અહીં પણ જ્ઞાની કહે છે કે “જે ભવને ખટકારે થાય તે સંસારથી છૂટકારો થાય તે મુકિતનગરીમાં જીવને ઉતારો થાય.'
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy