SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ KCC (આત્યંતર તપ) જે તપમાં શારીરિક ક્રિયાઓની પ્રધાનતા ન થતાં માનસિક તથા અંતઃકરણની વૃત્તિઓની પ્રધાનતા હોય, તે આત્યંતર તપ છે. એના છ ભેદો આ પ્રમાણે છે ઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. ૧. પ્રાયશ્ચિત્ત ઃ અંગીકૃત વ્રતોમાં પ્રમાદજન્ય દોષોનું શોધન કરવું પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રાયશ્ચિત્ત એ મલમ છે, જે અતિચારો અને દોષોના ઘાને ભરે છે. લાગેલા અતિચારોના મેલને ધોવા માટે પ્રાયશ્ચિત્ત પાણી છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર : (૧) આલોચનાઈ : કેટલાક અતિચારો કે દોષો આ શ્રેણીના હોય છે, જેમની શુદ્ધિ આલોચના કરવા માત્રથી થઈ જાય છે. જેમ ભિક્ષા કે અંડિલ માટે ગમનાગમન કરવામાં તથા શય્યા-સંસ્મારક, વસ્ત્ર-પાત્ર વગેરેના ગ્રહણ-નિક્ષેપ વગેરેમાં ઉપયોગ રાખવા છતાંય સૂક્ષ્મ દોષ લાગ્યા હોય, એમની શુદ્ધિ આલોચનાથી થઈ જાય છે. આલોચનાનો અર્થ છે - ગુરુ કે રત્નાધિક સમક્ષ જે પણ વ્યતિક્રમ થયો હોય, એને પ્રગટ કરી દેવો. આ ન્યૂનતમ પ્રાયશ્ચિત્ત છે. (૨) પ્રતિક્રમણાઈ : “મિચ્છામિ દુરું . અર્થાત્ મારું પાપ નિષ્ફળ થાઓ, આ રીતે પ્રતિક્રમણ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે તે પ્રતિક્રમણાઈ દોષોને ત્યાગીને પુનઃ શુદ્ધાચારની સ્થિતિમાં આવવું પ્રતિક્રમણ છે. દોષોથી શુદ્ધિની તરફ ફરવું પ્રતિક્રમણ છે. આહારમાં, વિહારમાં, પ્રતિલેખનમાં, બોલવા-ચાલવામાં અજાણતાં જે દોષ લાગ્યો હોય, એની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય છે. (૩) તદુભચાઈ: આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જેમની શુદ્ધિ થાય છે, તે તદુભયાઈ છે. નિદ્રાવસ્થામાં દુઃસ્વપ્ન વગેરેને કારણે જે દોષો લાગે છે, એમની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે. અર્થાત્ એ દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવા અને એની માટે “મિચ્છામિ દુક્કડું આપવું જોઈએ. એવું કરવાથી તે દોષો શુદ્ધ થઈ જાય છે. (૪) વિવેકાઈ ? અજાણતામાં અકલ્પનીય આધાકર્મ વગેરે દોષયુક્ત આહાર વગેરે આવી જાય અને પછી એમની સદોષતા ખબર પડી જાય, તો એ આહાર વગેરે સામગ્રીને યતનાપૂર્વક પરઠી દેવી જોઈએ. (ત્યાગ કરી દેવો જોઈએ.) ગ્રહણ કરેલી સદોષ વસ્તુનો ત્યાગ કરી દેવો જ એની શુદ્ધિ છે. આ વિવેકાઈ પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સગઈ કાયોત્સર્ગથી જેમની શુદ્ધિ થાય, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉચ્ચાર વગેરે પરઠવા તથા ગમનાગમનના સાધારણ દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી થઈ જાય છે. (૯૬) છે કે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy