SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતો ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે, એમ સાધુ પણ અનેક દેશોમાં વિહાર કરે છે. (૫) જેમ પવન સુગંધ અને દુર્ગધનો પ્રસાર કરે છે, એમ સાધુ ધર્મ-અધર્મ તથા પુણ્ય-પાપ વગેરેનું સ્વરૂપે પ્રગટ કરે છે. (૬) જેમ પવન કોઈના રોકવાથી રોકાતો નથી, એમ સાધુ મર્યાદા ઉપરાંત કોઈના રોકવાથી નથી રોકાતા. (૭) જેમ વાયુ ઉષ્ણતાને દૂર કરે છે, એમ સાધુ સંવેગ, વૈરાગ્ય અને સમ્બોધરૂપી પવનથી આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ઉષ્ણતાનું નિવારણ કરીને શાંતિનો પ્રસાર કરે છે. સાધુની અન્ય ૩૨ ઉપમાઓ ૧. કાંસ્યપાત્ર ઃ જેમ કાંસ્યની કટોરી પાણી દ્વારા ભેદી શકાતી નથી, તેમ મુનિ મોહ માયાથી ભેદી શકાતા નથી. ૨. શંખ ઃ જેમ શંખ પર રંગ નથી ચડતો, એમ મુનિ પર રાગ-સ્નેહનો રંગ નથી ચડતો. 3. જીવગતિ પરભવમાં જનારા જીવની ગતિ (વિગ્રહગતિ)ને જેમ કોઈ રોકી શકતું નથી, એમ મુનિ અપ્રતિબદ્ધ વિહાર થઈને વિચરે છે. ૪. સુવર્ણ : જેમ સુવર્ણ (સોના) ઉપર કાટ નથી ચડતો, એમ સાધુને પાપરૂપી કાટ નથી લાગતો. ૫. દર્પણ : જેમ દર્પણમાં રૂપ (ચહેરો) દેખાય છે, એમ સાધુ જ્ઞાન દ્વારા પોતાના આત્માના સ્વરૂપને જુએ છે. કર્મ : કોઈ વનમાં એક સરોવર હતું. એમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહારની શોધમાં પાણીથી બહાર નીકળતા હતા. એ સમય વનમાં રહેતા અનેક મૂંગાલ એમને ખાવા માટે આવી જતા હતા. એટલે જે કાચબા સમજુ હતા એ શૃંગાલને જોતાં જ આખી રાત પાંચેય અંગોને (ચાર પગ અને માથું) ઢાલના નીચે છુપાવીને સ્થિર પડ્યા રહેતા, જ્યારે સૂર્યોદય થતો અને શૃંગાલ ચાલ્યા જતા ત્યારે તે કાચબાઓ પોતાના ઠેકાણે જતા અને સુખપૂર્વક રહેતા હતા. પરંતુ કેટલાક કાચબા એવા પણ હતા કે જેઓ સતત સ્થિર રહી શકતા નહોતા. “શૃંગાલ હજુ આવ્યા છે કે નહિ એ જોવા પોતાનું મસ્તક બહાર કાઢતા અને એ જ સમયે છુપાયેલા મુંગાલ એમના પર ઝપટી પડતા અને મારી ખાતા. સાધુ એ સ્થિરતાવાળાં કર્મો(કાચબા)ની જેમ પાંચેય ઇન્દ્રિયોને જ્ઞાન તથા સંયમની ઢાલ નીચે જીવનપર્યત દબાવી રાખે છે. તે સ્ત્રી, આહાર વગેરે ભોગોરૂપી શૃંગાલોના શિકાર નથી બનતા અંતમાં તેઓ શાંતિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષરૂપી સરોવરમાં અવગાહન કરીને સુખના પાત્ર બને છે. ૩. પર્મ ઃ જેમ પહ્મ કમળ જળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં જ વૃદ્ધિ પામે છે, છતાંય જળથી અલિપ્ત રહે છે, એમ સાધુ સંસારમાં રહેવા છતાંય સંસારમાં લિપ્ત થતા નથી. સાંસારિક કામભોગોથી સર્વથા વિરક્ત રહે છે. [ સાધુ તો છે જ પ૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy