________________
(3) અમાર્ગને માર્ગ અને (૪) માર્ગને અમાર્ગ સમજવો : જે સંસાર-વૃદ્ધિના કારણ હોવાથી ઉન્માર્ગ છે, તેને મોક્ષમાર્ગ માનવો અને જે સારા અર્થમાં મોક્ષમાર્ગ છે તેને સંસારનો માર્ગ સમજવો - માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. પ્રશ્ન સહજ ઊઠે છે કે માર્ગ કયો છે ? શાસ્ત્રકારોએ તેનો ઉત્તર આપતા ફરમાવ્યું છે -
णाणं च दंसणं चेव चरितं च तवो तहा । एस मग्गोत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૮, ગાથા-૨ “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષના માર્ગ છે.” એવું શ્રેષ્ઠ જ્ઞાની જિનેશ્વરોએ કહ્યું છે. આ વાતને પ્રકારાન્તરથી આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૧ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર જ મોક્ષમાર્ગ છે.
સૂત્રકૃતાંગ સૂત્રમાં માર્ગ અધ્યયનમાં પણ પ્રશ્ન ઉઠાવીને સમાધાન દ્વારા માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે - प्रश्न : कयरे मग्गे अक्खाते, माहणेण मतीमता ।
जं मग्गं उज्जु पावित्ता, ओहं तरति दुत्तरं ? ॥ गाथा-१ तं मग्गं अणुत्तरं सुद्धं, सव्व-दुक्खविमोक्खणं ।
जाणासि णं जहा भिक्खू ! तं णे बूहि महामुणी ॥ गाथा-२ उत्तर : अणुपुव्वेण महाघोरं, कासवेण पवेदियं ।
जमादाय इओ पुव्वं, समुदं ववहारिणो ॥ गाथा-५ अतरिंसु तरंतेगे, तरिस्संति अणागता । तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ गाथा-६ सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सव्वे अक्कंतदुक्खा य, अतो सव्वे ण हिंसया ॥ गाथा-८ एयं खु णाणिणो सारं जं ण हिंसई कंचणं । अहिंसा-समयं चेव एयावंतं विधाणिया ॥ गाथा-१०
- સૂત્રકૃતાંગ, અ-૧૧, જંબૂ સ્વામીએ પ્રશ્ન કર્યો કે - “હે ભગવાન ! સર્વજ્ઞ ભગવાન મહાવીરે તે કયો માર્ગ બતાવ્યો છે જેના પર ચાલીને આત્મા આ દુષ્કર ભવસમુદ્રને તરીને પાર થઈ જાય છે? હે ભંતે ! એ અનુત્તર શુદ્ધ અને સર્વ દુઃખથી છોડાવનાર માર્ગને તમે સારી રીતે જાણો છો તેથી કૃપા કરી એ માર્ગ બતાવો.”
[ મિથ્યાત્વ 200000000000000(૫૦૦)