SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ મોહના ઉદયથી આત્મા પોતાના શુદ્ધ મૌલિક સ્વરૂપને યાદ કરતો નથી. તે પોતાના અતીત અનંત વૈભવને ભૂલી બેઠો છે. હા હા ! આ કેટલા ખેદનો વિષય છે . વધુ પણ કહ્યું છે . विकल्पचषकैरात्मा पीत मोहासवोह्यम् । भवोच्चतालमुत्ताल - प्रपंचमधितिष्ठति ॥ આ આત્મા સંકલ્પ-વિકલ્પ રૂપી પ્યાલામાં મોહરૂપી મદિરા પીને સંસારરૂપી મધુશાળામાં, તાલ આપી-આપીને નાચે છે. જેમ મદ્યપાન કરનાર વ્યક્તિ સતુ-અસતુના વિવેકથી વિકલ બની જાય છે, એવી રીતે મોહના કારણે જીવ મૂઢ બનીને કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન બની જાય છે. મોહાસક્ત પ્રાણીની આ દુર્દશા ખૂબ જ શોચનીય છે. કહેવાયું છે - जह भज्जपाण मूढो, लोए पुरिसो परव्वसो होइ । तह मोहेण वि मूढो, जीवो उ परव्वसो होइ ॥ આત્મા પર મોહરાજાનો આ વિજય મુખ્યત્વે તેના પ્રધાન સેનાપતિ મિથ્યાત્વના અદ્વિતીય પૌરુષના કારણે થઈ છે. આઠ કર્મોમાં સૌથી પ્રધાન કર્મ મોહ છે અને મોહની પ્રકૃતિઓમાં સૌથી પ્રધાન પ્રકૃતિ દર્શનમોહ અર્થાતુ મિથ્યાત્વ છે. આનો સીધો અર્થ એ છે કે આ મિથ્યાત્વ આત્માને સંસારમાં ભટકાવનાર, ભવ-ભવમાં રોવડાવનાર, સંસારની રંગશાળામાં નાટકીય ઢબે નચાવનાર, મોહની મદિરા પિવડાવનાર, વિવેકરૂપી આંખોને કાઢીને અંધ બનાવનાર અને અમૃતના બહાને હળાહળ વિષ પિવડાવનાર છે. કહેવાયું છે - न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्व समं विषम् । न मिथ्यात्व समो रोगो, न मिथ्यात्वसमं तमः ॥ - ધર્મસંગ્રહ મિથ્યાત્વની સમાન કોઈ શત્રુ નથી, મિથ્યાત્વની સમાન કોઈ વિષ નથી, મિથ્યાત્વની સમાન કોઈ રોગ નથી અને મિથ્યાત્વની સમાન કોઈ અંધકાર નથી. અર્થાતુ મિથ્યાત્વ સૌથી પ્રબળ શત્રુ છે. સૌથી ભયંકર વિષ છે, સૌથી અધિક ઘાતક રોગ છે અને સર્વાધિક ગાઢ અંધકાર છે. - મિથ્યાતત્ત્વ બધાં પાપો અને આસ્ત્રવોનો સરદાર અથવા સેનાપતિ છે. આ આત્માનો ભયંકર શત્રુ છે. તેની ભયંકરતા એટલા માટે છે કે આ ન માત્ર આત્માની દૃષ્ટિ જ છીનવી લે છે, પરંતુ દષ્ટિમાં વિપર્યય (વિપરીતતા) પેદા કરે છે, જેના કારણે આત્માને ન કેવળ સન્માર્ગ સૂઝતો નથી પરંતુ વિપરીત માર્ગમાં તેની પ્રવૃત્તિ થઈ જાય છે. અદૃષ્ટિની અપેક્ષા દૃષ્ટિની વિપર્યયતા વધુ ભયંકર હોય છે. મિથ્યાત્વ-આત્માની દૃષ્ટિ છીનવી લેતો નથી, પરંતુ તેને વિપરીતતા પ્રદાન કરે છે. આ અર્થમાં તે અધિક ભયંકર છે. મિથ્યાત્વના કારણે આત્માની દૃષ્ટિ વિપરીત થઈ જાય છે. તેના કારણે તે પર સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે, પર પુગલોમાં મમત્વ અને સ્વગુણોમાં અનાદર કરવા લાગે છે. (૪૯) વીર રાજા છે. જિણધર્મોો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy