________________
અ.-૨, સૂત્ર-૧૨, યોગ તથા વેદાંત વગેરે દર્શન કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનીને એને પ્રકૃતિ-પુરુષ - (જડ-ચેતન)નું જ રૂપ માને છે. આ બીજો પક્ષ નિશ્ચય દષ્ટિ-મૂલક છે અને પહેલો પક્ષ વ્યવહાર-મૂલક. જૈનદર્શનમાં જેને સમય અને દર્શનાંતરોમાં જેને “ક્ષણ” કહ્યો છે, એનું સ્વરૂપ જાણવા માટે તથા “કાળ' નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, તે માત્ર લૌકિક દૃષ્ટિવાળાઓને વ્યવહાર નિર્વાહના માટે ક્ષણાનુક્રમના વિષયમાં કરેલી કલ્પના માત્ર છે. આ વાતને સ્પષ્ટ સમજવા માટે યોગદર્શન', પા.-૩, સૂ.-પરનું ભાષ્ય જોવું જોઈએ. ઉક્ત ભાષ્યમાં કાળ સંબંધી જે વિચાર છે તે જ નિશ્ચય દૃષ્ટિમૂલક છે, તેથી તાત્ત્વિક લાગે છે. વિજ્ઞાનની સંમતિઃ
વિજ્ઞાનવેત્તા કાળને દિશાની જેમ કાલ્પનિક માને છે, વાસ્તવિક નથી.
ઉક્ત આલોચના અને આગામોમાં ઉલ્લેખિત તથ્યો પર વિચાર કરવાથી એ નિષ્કર્ષ કાઢી શકાય છે કે નિશ્ચય નયની દૃષ્ટિથી કાળ સ્વતંત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. નયોની દષ્ટિને ધ્યાનમાં રાખવાથી જીવાભિગમોક્ત પક્ષ અને ભગવતીમાં કથિન પક્ષની સંગતિ થઈ શકે છે. જીવાભિગમમાં પ્રતિપાદિત પક્ષ નિશ્ચય દૃષ્ટિપરક છે, જ્યારે “ભગવતી'માં પ્રતિપાદિત પક્ષ વ્યવહારમૂલક છે. નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિના સમન્વયથી તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ-દ્રવ્ય રૂપ પાંચ અજીવ દ્રવ્યોનું નિરૂપણ થયું.
Fu૮)
(અજીવના ભેદ-પ્રભેદ)
અજીવ તત્ત્વના સંક્ષેપમાં ૧૪ ભેદ અને વિસ્તારથી પ૬૦ ભેદ કહેવામાં આવે છે. અજીવ તત્ત્વના ચોદ ભેદ :
(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય - આ ત્રણેયના ત્રણ-ત્રણ ભેદ છે – સ્કધ, દેશ (ઔધનો એક ભાગ) અને પ્રદેશ (સૂક્ષ્મતમ્ ભાગ જે અલગ ન હોય) આ રીતે ત્રણેય દ્રવ્યોના નવ અને કાળ-દ્રવ્ય મળીને અરૂપી અજીવના દસ ભેદ થાય છે. એમાં રૂપી અજીવના ૪ ભેદ મિલાવવાથી ચૌદ ભેદ થઈ જાય છે. તે ચાર ભેદ એ છે - પુદ્ગલાસ્તિકાયના સ્કધ, પુગલાસ્તિકાયના દેશ, પગલાસ્તિકાયના પ્રદેશ અને પુદ્ગલ પરમાણુ. અજીવ તત્વના પાંચસો આઠ ભેદ :
વિસ્તારની દૃષ્ટિથી અરૂપી અજીવના ૩૦ ભેદ છે અને રૂપી અજીવના પ૩૦ ભેદ છે. અરૂપી અજીવના દસ ભેદ પહેલાં બતાવવામાં આવ્યાં છે, એમના સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ - આ ચારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, [ અજીવના ભેદ-પ્રભેદો જ છે ) છે૪૪૫]