SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ બે પરમાણુ મળે છે ત્યારે ક્રિપ્રદેશિક સ્કન્ધ થાય છે, આ સંઘાતજન્ય સ્કન્ધ છે. આ જ રીતે ત્રિપ્રદેશિક વાવતું અનંતાનંત પ્રાદેશિક સ્કન્ધ છે. સંઘાતજન્ય સ્કન્ધ છે. કોઈ મોટા સ્કલ્પના તૂટવાથી જે નાના-નાના અધ થાય છે, તે ભેદજન્ય છે. જ્યારે કોઈ એક સ્કલ્પના તૂટવાથી એના અવયવની સાથે એ જ સમયે બીજું કોઈ દ્રવ્ય મળી જવાથી નવું ઔધ બને છે. તે ભેદ સંઘાતજન્ય કહેવાય છે. પુદ્ગલના પરિણામ વિવિધ છે, તેથી કોઈ પુદ્ગલ સ્કન્ધ અચાક્ષુષ (ચક્ષુથી અગ્રાહ્ય) થાય છે તો કોઈક ચાક્ષુષ, જે સ્કન્ધ પહેલા સૂક્ષ્મ હોવાથી અચાક્ષુષ થાય તે નિમિત્ત વશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (ચૂલ) પરિણામવાળા બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. તે કલ્પના ચાક્ષુષ બનવામાં ભેદ અને સંઘાત - બંને હેતુ અપેક્ષિત છે. માત્ર પરમાણુઓના સમુદાય માત્રથી કોઈ ઔધ ચાક્ષુષ નથી થઈ શકતા. તેના માટે પરિણામ ભેદ અપેક્ષિત હોય છે અર્થાત્ સૂક્ષ્મત્વ પર્યાયને છોડીને જ્યારે પૂલત્વ-પર્યાય રૂપ પરિણામ-ભેદ થાય છે અને પરમાણુઓની અનંત સંખ્યામાં સંઘાત થાય છે ત્યારે કોઈ સ્કન્ધ ચાક્ષુષ થાય છે. તેથી “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - મેરäયાતિથ્ય વાક્ષષા: ' - તત્ત્વાર્થ સૂત્ર, અ.૫, સૂત્ર-૨૮ (ફાળ-દ્રવ્ય) અરૂપી અજીવના ભેદોમાં કાળનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કાળ-દ્રવ્યના કાર્યનો ઉલ્લેખ કરતાં કહ્યું છે - वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । તત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૨૨ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ - એ કાળના ઉપકાર છે. પોત-પોતાના પર્યાયનો ઉત્પત્તિમાં સ્વયંમેવ પ્રવર્તમાન ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને નિમિત્ત રૂપથી પ્રેરણા કરવી વર્તના છે. સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર પૂર્વ-પર્યાયને છોડીને ઉત્તર-પર્યાયને ધારણ કરવું પરિણામ છે. જેમ કે કહ્યું છે - તાવ: પરિપITE: - તત્ત્વાર્થ સૂત્ર, અપ, સૂ-૪૧ એવું પરિણામ જીવમાં જ્ઞાન વગેરે તથા ક્રોધાદિ રૂપ, પુદ્ગલમાં નીલ-પીત વગેરે રૂપ અને ધર્માસ્તિકાય વગેરે શેષ દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણની હાનિ-વૃદ્ધિ રૂપ છે. ગતિ પરિસ્પદંને ક્રિયા કહેવામાં આવે છે. જયેષ્ઠત્વને પરત્વ અને કનિષ્ઠત્વને અપરત્વ કહેવામાં આવે છે. જો કે વર્તના વગેરે કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના જ છે, છતાં કાળ એમનું નિમિત્ત કારણ હોવાથી એમને કાળના ઉપકારના રૂપમાં બતાવવામાં આવ્યા છે. [કાળ-દ્રવ્યDOOOOOOOOOOOOOD(૪૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy