SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપ્ત નથી કરી શકતા. બીજું કારણ એ છે કે લોકાકાશના બહાર ધર્માસ્તિકાય નથી, તેથી જીવના પ્રદેશોની લોકાકાશથી બહાર ગતિ નથી હોઈ તથઈ) શકતી.” એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે - “અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંત જીવ કેવી રીતે સમાઈ શકે છે ?” આનો જવાબ એ છે કે - સૂક્ષ્મ ભાવથી પરિણત હોવાથી નિગોદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ ક્ષેત્રમાં સાધારણ શરીર અનંત જીવ એક સાથે રહે છે અને મનુષ્ય વગેરેના એક દારિક શરીરના અંદર અને ઉપર અનેક સમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવામાં આવે છે. તેથી લોકાકાશમાં અનંતાનંત જીવોનો સમાવેશ અસંગત નથી.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાથી આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. દ્રવ્યથી આકાશ એક ભાગ છે, ક્ષેત્રથી તે લોક-અલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, કાળથી આદિ અંતરહિત છે, ભાવથી રૂપ-રસ-ગંધ-સ્પર્શ-રહિત છે અને ગુણથી અવગાહના સ્વભાવવાળો છે અર્થાત્ અન્ય બધાં દ્રવ્યોને અવકાશ આપે છે. પુગલાસ્તિકાય : આ એકમાત્ર રૂપી અજીવ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ - તે રૂપી પુગલના ગુણ છે. એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ જોવા મળે છે. ક્રિપ્રદેશી કધ(યણુક)માં બે વર્ણ, બે રસ, બે ગંધ અને ચાર સ્પર્શ જોવા મળે છે. જ્યારે ત્રણ આદિ પરમાણુઓનો સંયોગ થાય છે અને એમનો સ્કન્ધ બને છે, તો એમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન થાય છે. પુદ્ગલ દ્રવ્યનો નાનામાં નાનો સૂક્ષ્મતમ અંશ જેનો પછી વિભાગ ન થઈ શકે, પરમાણુ કહેવાય છે. બે પરમાણુઓના મળવાથી ઢિપ્રદેશી સ્કન્ધ, કયણુક, ત્રણ પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશી સ્કલ્પચુણક યાવતું સંખ્યા પરમાણુઓના મળવાથી સંખ્યાત્ પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત પરમાણુઓના મળવાથી અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અને અનંત પરમાણુઓના મળવાથી અનંતપ્રદેશી સ્કન્ધ બને છે. આ સ્કોમાં ભેદ હોવાથી ન્યૂનતા હોય છે અને સંયોગ હોવાથી વૃદ્ધિ થાય છે. આ રીતે પુદ્ગલોમાં ભેદ અને સંઘાત થતા રહે છે. આ રીતે પુગલ દ્રવ્યના સ્કન્ધ અન્ય ચાર દ્રવ્યોની જેમ નિયતરૂપ નથી કારણ કે કોઈ પુગલ સ્કધુ સંખ્યાત પ્રદેશોનો હોય છે, કોઈ અસંખ્યાતુ પ્રદેશોનો, કોઈ અનંત પ્રદેશોનો અને કોઈ અનંતાનંત પ્રદેશોનો હોય છે. પુદ્ગલ તથા અન્ય દ્રવ્યોમાં અંતર એ છે કે પુગલના પ્રદેશ પોતાના સ્કલ્પથી અલગ થઈ શકે છે પણ અન્ય ચાર દ્રવ્યોના પ્રદેશ પોત-પોતાના સ્કધથી અલગ નથી થઈ શકતા, કારણ કે પુદ્ગલના સિવાય અન્ય દ્રવ્ય અમૂર્ત છે અને અમૂર્તનો સ્વભાવ ખંડિત ન હોવો છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. મૂર્તિના ખંડ (ભાગ) થઈ શકે છે. સંશ્લેષના દ્વારા મળવાની અને વિશ્લેષના દ્વારા અલગ થવાની શક્તિ મૂર્ત દ્રવ્યમાં હોય છે. આ જ અંતરના કારણે સ્કલ્પના નાના-મોટા બધા અંશોને અવયવ કહે છે. અવયવ અર્થાત્ અલગ થનારો અંશ. (૪૩૨) OOOOOOOOOOD છે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy