SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણના છે. એમની પાસે આઠ મોતી સોળ-સોળ મણના છે, એમની પાસે ચૌસઠ મોતી બેબે મણના છે. એમની પાસે એક્સો અઠ્યાવીસ મોતી એક-એક મણના છે. એ મોતી હવાથી પોતાનાથી ટકરાય છે. એમાંથી છ રાગ અને છત્રીસ રાગિણીઓ નીકળે છે. જેમ કે મધ્યાહ્નનો સૂર્ય બધાને પોત-પોતાના માથા પર દેખાય છે. એમ જ તે ચંદ્રમા પણ સર્વાર્થસિદ્ધિ નિવાસી બધા દેવોને પોત-પોતાના માથા ઉપર પ્રતીત થાય છે. ઉક્ત પાંચેય વિમાનોમાં શુદ્ધ સંયમનું પાલન કરનાર, સાધુ ઉત્પન્ન થાય છે. તે દેવ ત્યાં જ્ઞાન વગેરેમાં નિમગ્ન રહે છે. જ્યારે એમને કોઈ પ્રકારનો સંશય થાય છે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને મનુષ્ય લોકમાં વિચરતા તીર્થકર ભગવાનને વંદના-નમસ્કાર કરીને પ્રશ્ન પૂછે છે. ભગવાન એ પ્રશ્નના જવાબને મનોમય પગલોમાં પરિણત કરે છે. તે દેવ પોતાના અવધિ જ્ઞાનથી એમને ગ્રહણ કરી લે છે અને એમના પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. પાંચેય અનુત્તર વિમાનવાસી દેવ એકાંત સમ્યગુદૃષ્ટિ છે. ચાર અનુત્તર વિમાનોના દેવ દ્વિચરમ હોય છે. અર્થાત્ વિજય વગેરે અનુત્તર વિમાનોમાં જીવ બે વારથી વધુ ઉત્પન્ન નથી થતા, તેથી તે વિજય વગેરે વિમાનોના માટે દ્વિચરમ્ છે - વિનય વિષ કિર: ' પરંતુ મનુષ્યભવ વગેરે માટે તે જીવ ચિરમ નથી. ત્યાંથી નીકળીને તે સંખ્યાત ભવ પણ કરી શકે છે. જેમ કે “પન્નવણા સૂત્રમાં વિજય વગેરે ૪ અનુત્તર વિમાનવાસી દેવોના ભાવિ દ્રવ્યેન્દ્રિયોનો ઉલ્લેખ કરતાં ૮, ૧૬, ૨૪ યાવતુ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સંખ્યાત દ્રવ્યેન્દ્રિયોથી એ જ સમજવું જોઈએ કે તે બે જન્મ કરીને મોક્ષ જતા જ રહેશે એવું નથી, અપિતુ સંખ્યાત ભવ કરીને પણ મોક્ષમાં જઈ શકે છે. ઉત્તરોત્તર અધિકતા અને હીનતા : નીચે-નીચેના દેવોથી ઉપર-ઉપરના દેવ-સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યા વિશુદ્ધિ, ઇન્દ્રિય વિષય અને અવધિ વિષયમાં વધુ હોય છે અને ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનની અપેક્ષાથી ઉપર-ઉપરના દેવોમાં હીનતા જોવા મળે છે. (૧) સ્થિતિ : એના વિષયમાં પહેલાં જાણકારી આપવામાં આવી ચૂકી છે. એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ઉપર-ઉપરના દેવોની આયુસ્થિતિ અધિક-અધિક થઈ જાય છે. (૨) પ્રભાવ : અનુગ્રહ-નિગ્રહ કરવાનું સામર્થ્ય, અણિમા-મહિમા વગેરે સિદ્ધિઓનું સામર્થ્ય, બીજાઓથી કામ કરાવવાનું બળ - આ બધું પ્રભાવ અંતર્ગત આવે છે. આ પ્રભાવ ઉપર-ઉપરના દેવોમાં અધિક છે, છતાંય એમાં ઉત્તરોત્તર અભિમાન અને સંક્લેશ પરિણામ ઓછું હોવાથી તે પોતાના પ્રભાવનો ઉપયોગ ઓછો કરે છે. (૩) સુખ : ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય વિષયોનો અનુભવ કરવો સુખ છે. આ સુખ ઉપરઉપરના દેમાં અધિક હોય છે, કારણ કે ઉત્તરોત્તર ક્ષેત્ર સ્વભાવજન્ય શુભ પુદ્ગલ પરિણામની પ્રકૃષ્ટતા હોય છે. (૪) ધુતિ ઃ શરીર, વસ્ત્ર અને આભરણ વગેરેની દીપ્તિને યુતિ કહે છે. આ દ્યુતિ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે. [ ઊર્ધ લોક ) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 (૪૧૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy