________________
એમનો ઉલ્લેખ કરીને એમને નમસ્કાર કરવામાં આવે છે. આ તીર્થંકરોને જિન' તથા ‘અર્હન્ત’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. વિદ્વાન પાઠકોના અવલોકન માટે અહીં કેટલાક વેદમંત્રોને હિન્દી અનુવાદ સહિત આપવામાં આવ્યા છે.
(1) आदित्या त्वमसि आदित्य सद आसीत् अस्तभ्राद्यां वृषभो तरिक्षं जमिमीते वरीमाणं । पृथ्व्यिाः आसीत् विश्वा भुवनानि सम्रड्विश्वे तानि वरुणस्य व्रतानि ॥ ઋગ્વેદ-૩૦, અ-૩૦
અર્થ : “તું અખંડ પૃથ્વી મંડળના સાર ત્વચા સ્વરૂપ છે, પૃથ્વી તળનું ભૂષણ છે. એવા હે વૃષભનાથ સમ્રાટ ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.” (२) मख्त्यं वृषभं वावृधानमकवारि दिव्यशासनभिद्र विश्वा साहम वसे नूतनायोग्रासदोदा मिहंतायेमः ॥ ઋગ્વેદ ૩૬/અ.૪-૬-૮-૬-૨-૨૦ અર્થ : “ ભો યજમાન લોકો ! આ યજ્ઞમાં દેવોના સ્વામી સુખ સંતાનવર્ધક દિવ્ય આજ્ઞાશાળી, અપાર જ્ઞાન બળદાતા વૃષભનાથ ભગવાનનું આહ્વાન કરો.”
(3) मरुत्वान् इन्द्र वृषभो रणायपि वासो मनुध्व जध्वं मदाय आसिचत्व जठरे મા, ऊर्मित्वा राजासि प्रतिपत् सुताना ॥ ઋગ્વેદ ૩૮-અ.૭-૩-૩-૧૧ અર્થ : “હે વૃષભનાથ ભગવાન ! ઉદરતૃપ્તિ માટે સોમરસના પિપાસુ મારા ઉદરમાં મધુધારા સિંચન કરો. તમે પોતાના પ્રજા રૂપ પુત્રોને
વિષમ સંસારથી તારવા માટે ગાડીની સમાન છો.'' (४) समिद्धस्य प्ररमहसो ग्रे वन्दे तवश्रियं वृषभोगम्भवा निसममध्वरेष्वध्यश ॥
-
૪-૧૨૨-૫-૨-૨૯
અર્થ : “ભો વૃષભદેવ ! આપ ઉત્તમ પૂજક છો, લક્ષ્મી આપો છો એ કારણે હું આપને નમસ્કાર કરું છું અને આ યજ્ઞમાં પૂજું છું.” (५) अर्हता ये सुदानवो नरो असो मिसा स प्रयज्ञं यज्ञियेभ्यो दिवो अर्चामरुद्भयः ॥
અ-૪, અ-૩, વર્ગ-૯
અર્થ “ જે મનુષ્યાકાર અનંત દાન દેનારો અને સર્વજ્ઞ અર્હત છે તે પોતાની પૂજા કરનારાઓના દેવોથી પૂજા કરાવે છે.'
(६) अर्हन्विभर्षि सायकानि धन्वार्हन्निष्कं यजतं विश्वरूपम् अर्हिन्निदं दयसे विश्वं भवभुवं न वा आगीयो रुद्रत्व दस्ति ॥ ઋગ્વેદ ૨-૩૩-૧૦
અર્થ : “ભો અર્હત દેવ ! તમે ધર્મરૂપી બાણોને, સદુપદેશ રૂપી ધનુષને, અનંત જ્ઞાન
:
વગેરે રૂપી આભૂષણોને ધારણ કરનાર છો. ભો અત્યંત ! તમે જગત્ પ્રકાશ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છો, સંસારના જીવોના રક્ષક છો. કામ, ક્રોધ વગેરે શત્રુ-સમૂહ માટે ભયંકર છો તથા આપ સમાન કોઈ અન્ય બળવાન નથી.’
૩૯૮
જિણધમ્મો