SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સોળ રહી જાય છે. ઊતરતા આરામાં બે હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય રહી જાય છે. તથા પાસળીઓ આઠ રહી જાય છે. આ આરામાં છ સંહનન, છ સંસ્થાન હોય છે. પરંતુ ઊતરતા આરામાં સેવાર્તા સંહનન અને હુંડક સંસ્થાન રહી જાય છે. આ આરામાં મનુષ્યોને બે વાર ખાવાની ઇચ્છા થાય છે. પૃથ્વીનો સ્વાદ પ્રારંભમાં થોડો ઠીક પરંતુ ઊતરતા આરામાં કુંભારની રાખના સમાન થઈ જાય છે. આ આરામાં જન્મેલાને મોક્ષ નથી થતો તેથી ચાર જ ગતિ હોય છે. પાંચમાં આરામાં ઉત્તરોત્તર અશુભતા વધતી જાય છે. બધી શુભ વાતોની હીનતા અને અશુભ વાતોની વૃદ્ધિ જોવા મળે છે. તદનુસાર નિમ્નલિખિત હીનતાઓ જોવા મળે છે. (૧) નગર ગામ સમાન બની જાય છે. (૨) ગામ સ્મશાન જેવું થઈ જાય છે. સુકુલોત્પન્ન દાસ-દાસી બને છે. (૪) રાજા યમની જેમ ક્રૂર દંડ દેનાર હોય છે. (૫) કુલવાન સ્ત્રીઓ દુરાચારિણી હોય છે. (૬) પુત્ર, પિતાની આજ્ઞાભંગ કરનાર હોય છે. (૭) શિષ્ય, ગુરુની નિંદા કરનાર હોય છે. (૮) સુશીલ મનુષ્ય દુઃખ ઉઠાવે છે. (૯) કુશીલ મનુષ્ય સુખી હોય છે. (૧૦) સાપ, વીંછી, ડોંસ, મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ અધિક હોય છે. (૧૧) દુષ્કાળ બહુ પડે છે. (૧૨) બ્રાહ્મણ લોભી થઈ જાય છે. (૧૩) હિંસાનો ધર્મ બતાવનાર બહુ હોય છે. (૧૪) એક મતના અનેક મતાંતર થઈ જાય છે. (૧૫) મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૧૬) દેવદર્શન દુર્લભ થઈ જાય છે. (૧૭) વૈતાઢ્ય પર્વતના વિદ્યાધરોની વિદ્યાનો પ્રભાવ મંદ પડી જાય છે. (૧૮) દુગ્ધ વગેરે સરસ વસ્તુઓની સ્નિગ્ધતા ઓછી થઈ જાય છે. (૧૯) પશુ અલ્પાયુ થઈ જાય છે. (૨૦) પાખંડીઓની પૂજા થયા છે. (૨૧) ચોમાસામાં સાધુઓની સ્થિતિના યોગ્ય ક્ષેત્ર ઓછું થઈ જાય છે. (૨૨) સાધુની બાર અને શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું પાલન કરનાર કોઈ નથી રહેતું. ચક્રવર્તીની ઋદ્ધિ ૩૮૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy