SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચો જેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને બાકી એક હજાર યોજનના પોલારમાં નારકી જીવ રહે છે. નરકાવાસની ભીંતો પર બિલના આકારના યોનિસ્થાન (નારકીઓના ઉત્પન્ન થવાના સ્થાન) બનેલા છે. પાપી પ્રાણી એ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થનાર નારકી જીવ (૧) ત્યાંના અશુદ્ધ પુગલોનો આહાર ગ્રહણ કરીને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. (૨) ગ્રહણ કરેલ પુગલોના વૈક્રિયક-શરીરના રૂપમાં પરિણત કરે છે. ત્યારે શરીરની પર્યાપ્તિ પૂર્ણ થાય છે. (૩) શરીરથી ઇન્દ્રિયોના આકાર બનવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પછી ઇન્દ્રિયોથી વાયુને ગ્રહણ કરે છે અને છોડે છે. ત્યારે શ્વાસોચ્છવાસની પર્યાપ્તિ પૂરી થાય છે. (૪-૬) પછી મન અને ભાષા પર્યાપ્તિથી પૂર્ણ થાય છે. તેના પછી બિલના નીચે રહેલી કુંભીઓ નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. કુંભીઓ ચાર પ્રકારની છે - (૧) ઊંટની ગર્દનની જેવી આડી-અવળી (૨) ઘીની કૂપી જેવી જેનું મુખ સાંકડું અને અધોભાગ પહોળો હોય છે. (૩) ડબ્બા જેમ ઉપર-નીચે સમાન પરિમાણવાળી (૪) અફીણના ડોડા જેવી પેટ પહોળું અને મુખ સાંકડું. ઉક્ત ચાર પ્રકારની કુંભીઓમાંથી કોઈ એક કુંભમાં પડ્યા પછી નારકી જીવનું શરીર ફૂલી જાય છે. જેના લીધે તે તેમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. કુંભીની અંદર તડબૂચ, મતીરાની બહાર દેખાતી ચારે બાજુની રેખાઓની જેમ લાગેલી છરીઓની તીક્ષ્ણ ધાર ચારે બાજુથી તેને ખેંચે છે. અને તે નારકી જીવ વેદનાથી છટપટાય છે. એ સમય પર ધાર્મિક દેવ તેને ચીપિયા અથવા સાણસીથી પકડીને ખેંચે છે. નારકી જીવના શરીરના ટુકડેટુકડા થઈને તેમાંથી નીકળે છે. તેનાથી નારકી જીવને ઘોર વેદના થાય છે, પરંતુ તે મરતો નથી. પારાના ટુકડાની જેમ તે ટુકડા ફરીથી જોડાઈ જાય છે અને શરીર પૂર્વવત્ થઈ જાય છે. નારકી જીવોની અને અનપવર્તનીય આયુના કારણ તે સ્થિતિ પૂર્ણ થવાના પહેલા મરી શકતા નથી. નારકી જીવોની વેદનાઓ ઃ નરકના જીવોને પ્રધાન રૂપથી ત્રણ પ્રકારની વેદનાઓ થાય છે - ૧. ક્ષેત્રકૃત-વેદના ૨. પરસ્પરોટીરિત-વેદના ૩. અસુરોટીરિત-વેદના. અસુરદારિત વેદના ત્રીજા નરકભૂમિ સુધી જ હોય છે, તેથી આગળનાં ચાર નરકોમાં બે પ્રકારની વેદના જ હોય છે. પરંતુ વેદનાની તીવ્રતા ઉત્તરોત્તર વધે છે. પ્રથમ નરકથી બીજા નરકમાં બે પ્રકારની વેદના થાય છે. આ ક્રમથી બધાથી વધુ વેદના સાતમા નરકમાં થાય છે. ૧. ક્ષેત્રકૃત-વેદના: નરકભૂમિઓમાં ક્ષેત્ર-સ્વભાવથી ઠંડી-ગરમીના ભયંકર દુઃખ છે, ભૂખ-તરસનું દુઃખ અતિ તીવ્ર છે. ભૂખ એટલી પજવે છે કે અગ્નિની જેમ સર્વ ભક્ષણથી પણ શાંત થતી નથી. [ ચાર ગતિઓનું વર્ણન છે તે ૩૩
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy