SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ લોકના આકારના વિષયમાં એક ઉપમા દ્વારા બતાવ્યું છે કે - જેમ જમીન પર એક માટીનો દીપક ઊંધો રાખવામાં આવે અને તેના ઉપર બીજો દીપક સીધો રાખવામાં આવે અને તેના પર ત્રીજો દીપક પછી ઊંધો રાખવામાં આવે તો તેનો જેવો આકાર બને છે તેવો જ આકાર લોકનો છે. પગ ફેલાવીને અને કમર પર બંને હાથ રાખીને નાચતા ભોપાના આકારની ઉપમા પણ લોકના આકાર દેવા માટે આપવામાં આવે છે. તાત્પર્ય એ છે કે આ લોક નીચે સાત રજ્જુ પહોળો છે. પછી ઉપર અનુક્રમથી એક-એક પ્રદેશ ઓછો-પહોળો થતાં થતાં સાત રજુની ઊંચાઈ પર - બંને દીપકોની સંધિના સ્થાન પર એક રાજૂ પહોળો રહી જાય છે. તેનાથી આગળ અનુક્રમથી પહોળાઈ વધતી ગઈ અને સાડા ત્રણ રાજૂ (નીચેથી ૧૦૧૧ રાજૂ)ની ઊંચાઈ પર બીજા અને ત્રીજા દિપકની સંધિ પર પાંચ રાજૂ પહોળો હોય છે. આનાથી આગળ ઘટતો-ઘટતો અંતિમ ભાગમાં ત્રીજા દીપકના અંતિમ ભાગ પર એક રાજૂ પહોળો રહે છે. આ રીતે સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી સીધો ૧૪ રાજૂ લાંબો છે. જેમ વૃક્ષ બધી બાજુથી ત્વચા(છાલ)થી વેષ્ઠિત હોય છે. આ રીતે સંપૂર્ણ લોક ત્રણ પ્રકારના વલયોથી વેષ્ટિત છે. પહેલું વલય ઘનોદધિ(જામેલા પાણી)નું છે. બીજું વલય ઘનવાત (જામેલી હવાનું છે. ત્રીજું વલય તનુવાયુ (પાતળી હવા)નું છે. લોકસ્થિતિનું સ્વરૂપ “ભગવતી સૂત્ર'માં આ પ્રકાર બતાવ્યું છે. - 'भंते त्ति भगवं गोयमे समणं जाव एवं वयासी-कतिविहाणं भंते ! लोयट्ठिती पण्णत्ता ? गोयमा ! अट्टविहा लोयद्विती पण्णता, तं जहा-आगास पइट्ठिए वाए १. वायपइटिए उदही, २. उदतीपइट्ठिया पुढवीइ, पुढविपइट्ठिया तसा थावरा पाणा, ४. अजीवा जीव पइट्ठिया, ५. जीवा कम्म पइट्ठिया, ६. अजीवा जीव संगहिया, ७. जीवा कम्म संगहिया। से केणटेणं भंते ! एवं वुच्चइ-अट्ठविहा जीवा जाव कम्म संगहिया ? गोयमा ! से जहानामए केइ पुरिसे वत्थिमाडोवेहं, वत्थिमाडोविता उप्पि सितं बंधई २. मज्झेणं गंठिं बंधई २. उवरिल्लं गंठिमुयइ २. उवरिल्लं देसं वामेइ उवरिल्लं देसं वामेता उपरिल्लं देसं आउकायस्स पूरेई २ उप्पिसितं बंधइ २, मज्झिल्लं गंठिंमुयइ से णं गोयमा ! से आउकाए तस्स वाउकायस्स उप्पि उवरितले चिट्ठइ ? इंता चिट्ठइ से तेणटेणं जाव जीवा कम्म संगहिया । से जहां वा केइ पुरिसे वत्थिमाडोवेइ २ कडीए बंधइ २. अत्थाहमतारमयोरसियंसि उदगंति ओगाहेज्जा, से नूणं गोयमा ! से पुरीसे तस्स आउकायस्स उवरिमल्ले चिट्ठइ ? हंता चिट्ठइ, एवं वा अट्ठविहा लोयट्ठिई जाव जीवा कम्म संगहिया ।' - ભગવતી સૂત્ર, શતક-૧ ઉદ્દેશક-૬, સૂત્ર-૪ * ત્રસનાડીથી બહાર ત્રાસજીવ આ ત્રણ વિશિષ્ટ કારણોથી જણાય છે : (૧) કોઈ ત્રસ જીવે નાડીની બહાર સ્થાવર જીવના રૂપમાં ઉત્પન્ન થનારી આયુ બાંધી હોય, તે મરણાન્તિક સમુઘાત કરીને આત્મપ્રદેશોને ત્રસનાડીથી બહાર ફેલાવે છે. (૨) ત્રસજીવ આયુ પૂર્ણ કરીને જ્યારે વિગ્રહ ગતિથી ત્રસનાડીની બહાર જાય છે. (૩) કેવળી સમુદ્યાત કરતા સમય જ્યારે કેવળીના આત્મપ્રદેશ ચોથા-પાંચમામાં સંપૂર્ણ લોકમાં ફેલાઈ જાય છે. - આ ત્રણ કારણ કદાવિક હોય છે. (૩૩) છે. જિણધમો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy