SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ' શબ્દનો અર્થ થાય છે - સાર. અહીં મોક્ષમાર્ગમાં એ જ અર્થ અભિપ્રેત છે. એમ તો તત્ત્વનો અર્થ સામાન્ય રૂપથી અનાદિ-અનંત સ્વતંત્ર મૌલિક પદાર્થ પણ કરવામાં આવે છે, પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તત્ત્વથી અર્થ છે મોક્ષમાર્ગમાં ઉપયોગી તે તથ્યો જેમને જાણવા જરૂરી છે. મોક્ષમાર્ગમાં જે તથ્યોની આવશ્યકતા હોય છે, તે જ અધ્યાત્મની દૃષ્ટિએ સારભૂત છે, માટે એમને જ “તત્ત્વ'ની સંજ્ઞા આપી છે. જૈન શાસ્ત્રોએ એવાં નવ તત્ત્વો બતાવ્યાં છે, જેનું મોક્ષમાર્ગમાં ખૂબ જ મહત્ત્વ છે અને જેને જાણવું પ્રત્યેક મુમુક્ષુ માટે ખૂબ જ આવશ્યક છે. “સ્થાનાંગ સૂત્ર'ના નવમા સ્થાનમાં કહ્યું છે - नव सब्भावपयत्था पण्णत्ता, तं जहा-जीवा अजीवा, पुण्णं, पावो, आसवो, संवरो, निज्जरा, बन्धो मुक्खो । - ઠાણાંગ, ઠાણા-૯, સૂત્ર-૬૬૫ સદ્ભાવ પદાર્થ અર્થાત્ તત્ત્વ નવ કહેવાયા છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આચાર્ય ઉમાસ્વાતિએ “તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વ બતાવ્યાં છે - जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । - તત્ત્વાથ, અ-૧,ટૂ-૪ તત્ત્વ સાત છે - જીવ, અજીવ, આમ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આગમોક્ત પુણ્ય અને પાપ તત્ત્વને આસ્રવ કે બંધ તત્ત્વના અંતર્ગત માનીને તત્ત્વાર્થ સૂત્રકારે સાત તત્ત્વો કહ્યા છે. સૂત્રકારે પુણ્ય અને પાપ તત્ત્વને ક્રમશઃ શુભ આસ્રવ અને અશુભ આસ્રવ કે શુભ બંધ અને અશુભ બંધ માનીને એમનો પૃથક નિર્દેશ નથી કર્યો. એનાથી પુણ્ય-પાપની તાત્વિકતામાં કોઈ અંતર નથી આવતું. માત્ર નિર્દેશનું અંતર છે. માટે જૈન પરંપરામાં પ્રાયઃ નવ તત્ત્વોનો જ સ્થાન-સ્થાન પર ઉલ્લેખ મળે છે. આ નવ તત્ત્વોનું ક્રમશઃ વર્ણન કરવું અભીષ્ટ છે. તેથી યથાસ્થાન એમની પરિભાષા અને ભેદ વગેરેનું કથન કરવામાં આવશે. અહીં સૌપ્રથમ જીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. જીવ એક સ્વતંત્ર મૌલિક તત્ત્વ છે. એમનું લક્ષણ ઉપયોગ કે ચેતના છે. આ ચૈતન્ય જીવનો અસાધારણ ગુણ છે. આ અસાધારણ લક્ષણ દ્વારા તે અન્ય સમસ્ત જડ દ્રવ્યોથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખે છે. આગમમાં કહ્યું છે - “વમો નવો નવે”. ભગવતી શતક-૨, ઉદ્દે-૧૦ “Mવો ૩વા ન#િg ”- ઉત્તરા., એ.-૨૮, ગાથા-૧૦ તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - ઉપયોો નક્ષ ” - તત્ત્વાર્થ, અ-૨, સૂ-૮ [જીવ તત્ત્વ ઃ એક વિવેચન .00 0.00 000 0.0(૨૮૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy