SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સર્વથા રૂપથી ભિન્ન કે અભિન્ન નથી, પરંતુ કથંચિત્ રૂપથી અલગઅલગ છે. તેથી ઉક્ત દોષને અવકાશ નથી. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પરમાં ભિન્ન છે, કારણ કે એનાં લક્ષણ ભિન્ન (અલગ) છે. અસત્ પર્યાયનું પેદા થવું ઉત્પાદ છે. સત્-પર્યાયનો નાશ થવો વ્યય છે. પર્યાયોના બદલવાથી પણ દ્રવ્યત્વનો ધ્રુવ અકબંધ રહેવો ધ્રૌવ્ય છે. જેના લક્ષણ અલગ-અલગ હોય છે, તે પરસ્પરમાં અલગ હોય છે. જેમ કે ઘટ-પટ વગેરે. ઉત્પાદ વગેરેનાં લક્ષણ અલગ છે, તેથી તે અલગ છે. ઉક્ત તર્કથી ઉત્પાદ વગેરે અલગ-અલગ સિદ્ધ થાય છે. ઉત્પાદ વગેરે પરસ્પર અભિન્ન છે, કારણ કે તે એકબીજા વગર નથી રહી શકતા. જેમ કે ઉત્પાદન એકલો નથી રહેતો, કારણ કે તે વ્યય અને ધ્રૌવ્યતાથી રહિત છે. જે વ્યય અને ધ્રૌવ્યતાથી રહિત હોય છે તે હોતો જ નથી. જેમ કે કાચબાની રુવાંટીને વિનાશ કે વ્યય એકલો નથી રહેતો - ઉત્પાદ ધ્રુવતાથી રહિત હોવાથી, કૂર્મરોમવતુ. ધ્રૌવ્ય એકલો નથી - ઉત્પાદ, વિનાશ કે વ્યયથી રહિત હોવાથી કર્મરોમવતુ. આ રીતે ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય એકબીજાને છોડીને નથી રહેતા. માટે તે પરસ્પર અભિન્ન છે. આ રીતે ઉત્પાદ વગેરેની ભિન્નતા અને અભિન્નતાની સિદ્ધિ થઈ જવાથી ઉત્પાદ વગેરે પરસ્પર કથચિંદ્ ભિન્ન-ભિન્ન છે, તેથી વસ્તુની ત્રયાત્મક્તામાં કોઈ સંદેહ નથી રહેતો. દ્રવ્ય-પર્યાયનું અવિભાજ્યત્વ વસ્તુનું સમગ્ર સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયોથી બનેલું છે. દ્રવ્ય ગુણ અને પર્યાયોનો આધાર છે, તથા ગુણ અને પર્યાય દ્રવ્યના આશ્રિત છે. ગુણ-પર્યાયો વગર દ્રવ્યનું અસ્તિત્વ નથી અને દ્રવ્ય વગર ગુણ-પર્યાયોનો કોઈ આધાર નથી. તેથી કહ્યું છે - THપર્યાયવદ્રવ્યમ્ - તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂત્ર-૩૭ આગમમાં પણ કહ્યું છે - गुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे ॥ - ઉત્તરા, અ-૨૮, ગા.-૬ દ્રવ્ય ગુણોનો આશ્રય-આધાર છે અને ગુણ પણ એક દ્રવ્યના આશ્રિત હોય છે. પર્યાય, ગુણ અને દ્રવ્ય ઉભયના આશ્રિત હોય છે. સારાંશ એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાય અવશ્યમેવ હોય છે. બીજું પણ કહ્યું છે - द्रव्यं पर्याय वियुतं, पर्यायाः द्रव्य वर्जिताः । क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ? ॥ પર્યાયથી રહિત દ્રવ્યને અને દ્રવ્યથી રહિત પર્યાયને ક્યાં, ક્યારે, કોણે, કઈ રીતે અથવા કયા પ્રમાણથી જોઈ છે? જવાબ હશે નહિ. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય ક્યારેય અલગ-અલગ (૨૨) )) ))) જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy