SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુને નિર્દોષ રૂપથી પ્રતિપાદિત કરવાની શૈલીને સ્યાદ્વાદ કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મ રહેલ છે. એમનું સમગ્ર પ્રતિપાદન શબ્દ દ્વારા નથી થઈ શકતું. માટે જ્યારે એની સાથે સ્યા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે એનાથી આ ધ્વનિત થાય છે કે આ ધર્મ વસ્તુનો કથંચિત્ ધર્મ છે - એના સિવાય પણ એમાં અન્ય અનેક અનંત ધર્મ છે, પરંતુ એમની વિવેક્ષા નથી કરવામાં આવી. જો એ શબ્દની સાથે “ચાતુ' શબ્દ લગાડવામાં નથી આવતો તો એનો અર્થ થશે કે તે વિવક્ષિત ધર્મ જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં અન્ય ધર્મ નથી. આ કથન સમ્યક નથી હોઈ શકતું. જેમ કે જો માત્ર “અસ્તિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો એનો અર્થ થશે પદાર્થમાં અસ્તિત્વ જ છે. અન્ય ધર્મોનો સદ્ભાવ એનાથી પ્રગટ નથી થતો. પરંતુ આ વસ્તુનું અપૂર્ણ પ્રતિપાદન હશે. એનાથી વિપરીત જો “સ્યા અસ્તિ કહેવાય તો એનો અર્થ થશે પદાર્થ કથંચિત્ અસ્તિત્વવાળો છે. એનાથી એ પ્રગટ થાય છે કે એમાં રહેનાર નાસ્તિત્વ વગેરે શેષ અનંત ધર્મોનો પણ ત્યાં સદ્ભાવ છે. અસ્તિત્વની પ્રધાનરૂપમાં વિવેક્ષા છે અને નાસ્તિત્વ વગેરેની ગૌણ રૂપમાં. આ રીતે સ્યાદ્વાદ, વસ્તુ તત્ત્વના સમ્યક્ પ્રતિપાદની નિર્દોષ શૈલી છે. અન્ય દર્શનકારોએ અનંત ધર્માત્મક વસ્તુના એક-એક ધર્મને પકડીને એને જ વસ્તુ માની લેવાની ભૂલ કરી છે. જેમ કે બૌદ્ધદર્શન વસ્તુના ક્ષણિક પર્યાયને જ સમગ્ર વસ્તુ માની લે છે અને વસ્તુના દ્રવ્યાત્મક નિત્ય પક્ષનાં સર્વથા અસ્વીકાર કરે છે. વેદાંત તથા સાંખ્ય દર્શન વસ્તુને સર્વથા નિત્ય - કૂટસ્થ નિત્ય માનીને એની ક્ષણિક પર્યાયોનો સર્વથા નિષેધ કરે છે. નૈયાયિક વૈશેષિક દર્શન જો કે વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ બંનેને માને છે, છતાં તે કોઈને સર્વથા નિત્ય અને કોઈ વસ્તુને સર્વથા અનિત્ય માને છે. સાથે તે પદાર્થના નિત્યત્વ અને અનિત્યત્વને પદાર્થથી સર્વથા ભિન્ન માને છે, જ્યારે તે વસ્તુનું તાદામ્ય સ્વરૂપ છે. તે દર્શનકાર પરસ્પર વિરોધી અને એકાંગી પક્ષને લઈને પરસ્પરમાં વિવાદ કરે છે. એમનો આ વિવાદ અંધગજ ન્યાયની જેમ છે. જેમ સાત અંધ વ્યક્તિઓએ હાથીના પગ, પૂંછડી, સૂંઢ, પેટ વગેરે એક-એક અંગને પકડીને એ અનુસાર જ હાથીનું અલગ-અલગ રૂપથી પ્રતિપાદન કરવું શરૂ કર્યું. કોઈ કહેવા લાગ્યું – “હાથી સાંબેલા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - હાથી થાંભલા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - ‘દોરડા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - “ઢોલ જેવો છે.' કોઈ એકબીજાની વાતને સ્વીકારવા તૈયાર નથી, બધા પોત-પોતાની વાતમાં મક્કમ રહ્યા - ઝઘડતા રહ્યા અને પોત-પોતાને જ સાચો માનતા રહ્યા. ત્યાં એક દેખતા માણસે એ બધાંની વાતો સાંભળી અને કહ્યું : “ભાઈઓ ! તમે બધાં બરાબર સમજ્યા છો, પણ તે અપૂર્ણ સમજ્યા છો. હાથી થાંભલા જેવો પણ છે, દોરડા જેવો પણ છે, સાંબેલા જેવો પણ છે અને ઢોલ જેવો પણ છે. તમે હાથીના એક-એક અંગને પકડીને એવું સમજી બેઠા છો. વાસ્તવમાં હાથીનું સાચું સ્વરૂપ ત્યારે જ બને છે જ્યારે તમારા બધાની વાતોને જોડી દેવામાં આવે અને તમે બધા એકબીજાની વાતથી સંમત થાઓ. એક-એક અંગ અલગ-અલગ રહીને શરીર નથી કહેવાતું. આખું અંગ સંયુક્ત રહીને જ શરીરની સંજ્ઞા બને છે. એમ (૨૬૪) DOOOOOOOOOOOOOOX જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy