SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમવાદ પક્ષમાં આગમથી વ્યવસ્થા કરનાર સ્વસમયના પ્રજ્ઞાપક આરાધક હોય છે અને અન્ય સિદ્ધાન્તના વિરાધક હોય છે. આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ પ્રમાણનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉક્ત પ્રતિપાદન એ અહીં સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે જૈનદર્શનના પ્રમાણ સંબંધી ચિંતન કેટલું પ્રામાણિક અને તર્કસંગત છે. જેનદર્શનની મૂળભૂત વિશેષતા એની અનેકાંત સંબંધી વિવેચના છે. નય, નિક્ષેપ, સપ્તભંગી, સ્યાદ્વાદ વગેરે જૈનદર્શનની મૌલિક વિચારસરણી છે. આમનો સંક્ષિપ્ત પરિચય આગળ આપવામાં આવેલ છે. F3 (નવવાદ) તત્ત્વોના અધિગમ માટે શાસ્ત્રકારોએ પ્રમાણ અને નયને સાધન બતાવ્યું છે. પ્રમાણના સંબંધમાં પહેલાં (આગળ) લખાઈ ચૂક્યું છે, માટે અહીં નયના વિષયમાં વિચારણા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. નય પદ્ધતિ જૈનદર્શનની પૂર્ણતઃ મૌલિક વિચારશૈલી છે. અન્ય દર્શનોમાં ક્યાંય નય વિષયક ચિંતન દૃષ્ટિગોચર નથી થતું. અન્ય સમસ્ત દર્શન પોત-પોતાની એકદેશીય વિચારધારાને જ પરિપૂર્ણ માનીને એનું સમર્થન કરે છે, જ્યારે જૈનદર્શનના અનંત ધર્માત્મક સ્વરૂપને દૃષ્ટિગત રાખીને એનાં વિવિધ રૂપોને વિભિન્ન દૃષ્ટિકોણોથી પ્રસ્તુત કરે છે. જૈન દૃષ્ટિ પરસ્પર વિરોધી પ્રતીત થતા વિચારોમાં અવિરોધનું બીજ ખોજે (શોધે) છે અને એમાં સમન્વય સ્થાપિત કરે છે. જૈનદર્શનની અનેકાંત દૃષ્ટિ, વિભિન્ન-વાદીઓની પરસ્પર વિરોધી માન્યતાઓને અલગ-અલગ નયની એકાંગી દૃષ્ટિના રૂપમાં સ્વીકૃતિ આપીને આંશિક સત્યના રૂપમાં એમને માન્યતા પ્રદાન કરે છે. દાર્શનિક જગતના વિવાદોને ઉકેલવાની વિલક્ષણ તથા અભુત શક્તિ જૈનદર્શનની અનેકાંત દૃષ્ટિ અને નય પદ્ધતિમાં સમાયેલ છે. ખંડ-ખંડમાં વિભક્ત સત્યને જૈનદર્શનની અનેકાંત દષ્ટિ એક અખંડ સત્યનું, પરિપૂર્ણ સત્યનું સ્વરૂપ પ્રદાન કરે છે. જૈનદર્શન અનુસાર પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. એ અનંત ધર્મોને જ્યારે અભેદ દૃષ્ટિથી પૂર્ણ રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને જ્યારે એ અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને લઈને ચિંતન કરવામાં આવે છે ત્યારે તે જ્ઞાન નયના નામથી ઓળખાય છે. પ્રમાણ વસ્તુના પૂર્ણ રૂપને ગ્રહણ કરે છે અને નય, પ્રમાણ દ્વારા ગૃહીત વસ્તુના એક અંશને જાણે છે, પ્રમાણજ્ઞાન વસ્તુને સમગ્ર ભાવથી ગ્રહણ કરે છે, એમાં અંશ વિભાજન કરવાની તરફ એનું લક્ષ્ય નથી હોતું. જેમ “આ ઘડો છે” આ જ્ઞાનમાં પ્રમાણ ઘડાને અખંડ ભાવથી - એના રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે અનંત ગુણોનો વિભાગ ન કરીને પૂર્ણ રૂપથી જાણે છે, જ્યારે નય એનું વિભાજન કરીને “રૂપવાન ઘટ” “રસવાન્ ટ વગેરે (૨૫૦) છે જન જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy