SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ અને વાદિદેવ સૂરીએ પ્રત્યક્ષ-પરોક્ષની પરિભાષાને નવીન રૂપ આપ્યું. એમણે ક્રમશઃ વિશવમ્ પ્રત્યક્ષ વિશવમ્ પરોક્ષમ,” “પણ પ્રત્યક્ષ સ્પષ્ઠ પરોક્ષદ્' કહીને સિદ્ધાંત પક્ષના લોક પક્ષની સાથે સમન્વયનો પ્રયાસ કર્યો છે. આગળ ચાલીને પ્રત્યક્ષ અને પરોક્ષની આ જ પરિભાષાઓ પ્રચલિત થઈ ગઈ. પરોક્ષ પ્રમાણના ક્યાંક બે ભેદ અનુમાન અને આગામે બતાવ્યા છે અને ક્યાંક પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે. તે પાંચ ભેદ આ પ્રકાર છે : પરોક્ષના પાંચ ભેદ ૧. સ્મરણ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪. અનુમાન અને પ. આગમ. ઉક્ત પાંચ ભેદોમાં પરોક્ષ પ્રમાણના બધા ભેદ-પ્રભેદ સમાવિષ્ટ થઈ જાય છે. ૧. સ્મરણ : સંસ્કારનો ઉદ્બોધ થવાથી સ્મરણ ઉત્પન્ન થાય છે. આ અતીતકાલીન પદાર્થને વિષય કરે છે. એમાં “તતુ’ શબ્દનો ઉલ્લેખ અવશ્ય હોય છે. જો કે સ્મરણના વિષયભૂત પદાર્થ સામે નથી, છતાં તે આપણા પૂર્વ અનુભવનો વિષય તો હતો જ. એ અનુભવના દેઢ સંસ્કાર આપણને સાદેશ્ય વગેરે અનેક નિમિત્તોથી એ પદાર્થને મનમાં છલકાવી દે છે. આ સ્મરણના કારણે જ જગતના સમસ્ત લેણ-દેણ વગેરે વ્યવહાર ચાલી રહ્યા છે. વ્યાપ્તિ-સ્મરણ વગર અનુમાન અને સંકેત-સ્મરણ વગર કોઈ પ્રકારના શબ્દનો પ્રયોગ જ નથી થઈ શકતો. ગુરુ-શિષ્ય વગેરે સંબંધ, પિતા-પુત્રભાવ તથા અન્ય અનેક પ્રકારના પ્રેમ-કરુણા વગેરે મૂલક સમસ્ત જીવન-વ્યવહાર સ્મરણને આભારી છે. સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસની પરંપરા સ્મરણના સૂત્રથી જ આપણા સુધી આવી છે. જે દર્શનકાર સ્મૃતિને પ્રમાણ નથી માનતા તે એનું મૂળ કારણ સ્મૃતિના “ગૃહીત ગ્રાહી હોવું' બતાવે છે. એની અનુભવ પરતંત્રતા પ્રમાણ વ્યવહારમાં બાધક બતાવવામાં આવે છે. અનુભવ જે પદાર્થને જે રૂપમાં જાણે છે, સ્મૃતિ એનાથી વધુને નથી જાણતી અને ન એના કોઈ નવા અંશનો જ બોધ કરે છે. આ પૂર્વાનુભવની મર્યાદામાં જ સીમિત છે, પરંતુ ક્યારેક-ક્યારેક તો અનુભવથી ઓછી સ્મૃતિ થાય છે. જૈનદર્શન સિવાય અન્ય કોઈપણ દર્શને સ્મૃતિને સ્વતંત્ર પ્રમાણ નથી માન્યું. જગતના સમસ્ત વ્યવહાર સ્મૃતિની પ્રમાણતા અને અવિસંવાદ ઉપર ચાલી રહ્યા છે, ત્યારે તે એને અપ્રમાણ કહેવાનું સાહસ તો નહિ કરી શકે, પણ પ્રમાણનો વ્યવહાર સ્મૃતિ-ભિન્ન જ્ઞાનમાં કરવા માંગે છે. ધારણા નામનો અનુભવ પદાર્થને રૂમ' રૂપથી જાણે છે, જ્યારે સંસ્કારથી થનારી સ્મૃતિ એ જ પદાર્થને “તત્' રૂપથી જાણે છે માટે સ્મૃતિને એકાંત રૂપથી ગૃહીત ગ્રાહિણી પણ નથી કહી શકાતી. પ્રમાણતાના બે જ આધાર છે - ૧. અવિસંવાદી હોવું તથા ૨. સમારોપનો વ્યવચ્છેદ કરવો. સ્મૃતિની અવિસંવાદિતા સ્વતઃ સિદ્ધ છે, અન્યથા અનુમાનની પ્રવૃત્તિ, શબ્દ વ્યવહાર અને જગતના સમસ્ત વ્યવહાર નિર્મુળ થઈ જશે. હા, જે-જે સ્મૃતિમાં વિસંવાદ હોય એને (૨૪૨)0000000000000007 જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy