SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નિરપેક્ષ છે. આ જ્ઞાન કેવળ છે અર્થાત્ પરિપૂર્ણ છે, એક છે. કેવળજ્ઞાન થયા પછી મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાન નથી રહેતું, એકલું કેવળજ્ઞાન જ રહે છે. જે રીતે સર્વશુદ્ધ પટમાં દેશશુદ્ધિ થતી નથી, એમ સર્વશુદ્ધ કેવળજ્ઞાન થવાથી દેશશુદ્ધ મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી રહેતું. સર્વજ્ઞતાની સિદ્ધિ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, માટે ભારે આવરણો હોવા છતાંય એ કોઈને કોઈ અંશમાં (બનેલો) રહે છે. જ્ઞાનને જ્યારે આત્માનો સ્વભાવ માનવામાં આવે છે અને આવરણોના કારણે ન્યૂનાધિક રૂપમાં એનું આચ્છન્ન અને આવૃત્ત હોવાનું સ્વીકારવામાં આવે છે, તો આ પણ સ્વીકારવું પડશે કે એ આવારક આવરણોના સર્વથા હટી જવાથી જ્ઞાન પોતાના સહજ તથા પરિપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે. જ્ઞાનનું પરિપૂર્ણ પ્રાગટ્ય જ સર્વજ્ઞતા છે. અજ્ઞાનનું કારણ જ્ઞાનાવરણ કર્મ છે. જ્યારે એ જ્ઞાનને આવૃત્ત કરનારું કારણ સર્વાશમાં હટી જાય છે, તો પછી અજ્ઞાનરૂપ કાર્ય કેવી રીતે રહી શકે છે ? અજ્ઞાનના ન રહેવાથી સર્વજ્ઞતા સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. અનુમાન-પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. સંસારવર્તી છદ્મસ્થ જીવોના જ્ઞાનમાં તરતમતા જોવા મળે છે, ચૂનાધિકતા જોવા મળે છે. જે વસ્તુમાં તરતમતા જોવા મળે છે, એનો પ્રકર્ષ પણ ક્યાંક જોવા મળવો જોઈએ. જેમ કે પૌલિક વસ્તુઓમાં હૂસ્તત્વદીર્ઘત્વની તરતમતા જોવા મળે છે, તો એનો પ્રકર્ષ પણ જોવા મળે છે. હૃસ્તત્વનો પ્રકર્ષ અણુમાં અને મહત્તાનો પ્રકર્ષ આકાશમાં જોવા મળે છે. એમ જ આપણા છમસ્થિક જ્ઞાનની અધિકતાના પ્રકર્ષ સર્વજ્ઞમાં અને જ્ઞાનની ન્યૂનતાના પ્રકર્ષ નિગોદ જીવમાં જોવા મળે છે. આ અનુમાન-પ્રમાણથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. અન્ય અનુમાનોથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. જેમ કે સૂમ, દૂરવર્તી અને અંતરિત પદાર્થ પણ કોઈના જ્ઞાનનો વિષય હોવો જોઈએ, કારણ કે તે શેય છે. જે-જે શેય હોય છે, એનો જ્ઞાતા કોઈ હોવો જ જોઈએ, જેમ કે ઘટ, પટ વગેરે વસ્તુઓના જ્ઞાતા દેવદત્ત વગેરે. સૂક્ષ્માન્તરિત તથા દૂરસ્થ પદાર્થ પણ ય છે તેથી એમનો પણ કોઈ જ્ઞાતા હોવો જોઈએ જે આ બધાનો જ્ઞાતા છે, એ જ સર્વજ્ઞ સર્વદર્શી છે. આ પ્રકારનાં અનેક પ્રમાણોથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. કેવળજ્ઞાનનો વિષય નંદી સૂત્ર'માં કહ્યું છે - 'तं समासओ चउव्विहं पण्णत्तं । तं जहा-दव्वओ, खित्तओ, कालओ, भावओ । तत्थ दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ-पासइ, खित्तओ णं केवल नाणी सव्वं खित्तं जाणइ-पासइ, कालओ णं केवलणाणी सव्वं कालं जाणइ પાસ, માવો નું સેવનના સર્વે માવે નાછું પાકું ? - નંદીસૂત્ર - ૨૨ (૨૨ મણિધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy