SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જોતાં ચાલે છે, એ જ રીતે જે જ્ઞાન ક્ષયોપશમ વિશેષથી પાછળના પ્રદેશને પ્રકાશમાન કરે છે એ માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન છે. પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન : જેમ કોઈ પુરુષ દીપિકા યાવત્ એનાથી શરાવ સ્થિત અગ્નિને પાર્શ્વભાગમાં રાખીને પાર્શ્વ ભાગમાં સ્થિત પદાર્થોને જોતાં-જોતાં જાય છે, એમ જ જે અવધિજ્ઞાન ક્ષયોપશમ વિશેષથી એક પાર્શ્વના અથવા બંને પાર્થના પદાર્થોને પ્રકાશિત કરે છે એ પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન છે. મધ્યગત અવધિજ્ઞાન ઃ જેમ કોઈ પુરુષ ઉલ્કા યાવત્ શરાવમાં સ્થિત અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે, તો એનઃ પ્રકાશમાં સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોને જોતાં જાય છે. આ રીતે જે અવધિજ્ઞાનથી ક્ષયોપશમ વિશેષથી સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોનું જ્ઞાન કરતા જાય છે એ મધ્યગત અવધિજ્ઞાન છે. એમાં તિર્યંચોને માત્ર અંતગત અવધિજ્ઞાન, મનુષ્યોને અંતગત, મધ્યગત અવધિજ્ઞાન તથા દેવ, નારક તથા તીર્થંકરોના મધ્યગત અવધિજ્ઞાન હોય છે. (૨) અનનુગામી : જે સાથે ન ચાલે પરંતુ જે સ્થાન પર અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, એ જ સ્થાનમાં સ્થિત થઈને રૂપી પદાર્થને જાણે અને ઉત્પત્તિસ્થાનને છોડી દેવાથી જ્ઞાન પણ લુપ્ત થઈ જાય છે, એ જ્ઞાન અનનુગામી છે. જેમ કે કોઈનું જ્યોતિષ જ્ઞાન એવું હોય છે કે પોતાના નિશ્ચિત સ્થાન ઉપર તો પ્રશ્નોનો સારી રીતે જવાબ આપી શકે છે, પણ બીજા સ્થાન પર નહિ. આ પ્રકારના પોતાના જ સ્થાન પર અવસ્થિત રહેનાર અવધિજ્ઞાનને અનનુગામી કહે છે. જેમ સાંકળથી બાંધેલો દીપક (દીવો) નિશ્ચિત સ્થાન પર જ પ્રકાશ આપી શકે છે, અન્યત્ર નહિ, એમ જ આ અનુગામી અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું છે ત્યાં જ રહીને જાણી શકે છે, અન્યત્ર નહિ. મનુષ્ય અને તિર્યંચને અનુગામી તથા અનનુગામી અવધિજ્ઞાન થઈ શકે છે. (૩) વર્ધમાન : જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અલ્પ વિષયવાળા થતા-થતા પરિણામ વિશુદ્ધિ સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાને લઈને ઉત્તરોત્તર વધતું રહે અર્થાત્ અધિકાધિક વિષયવાળા થતા જાય છે, એને વર્ધમાન કહેવાય છે. જેમ દીવાસળીથી પેદા થયેલી ચિનગારી (તણખો) સૂકા બળતણના સંયોગથી ક્રમશઃ વધતી જાય છે, એમ જ જે અધિજ્ઞાન ઉત્તરોત્તર વધતું જાય છે, એ વર્ધમાન અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં થાય છે. (૪) હીયમાન : જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અધિક વિષયવાળા હોય, પરંતુ પરિણામોની અશુદ્ધિના કારણે જે ક્રમશઃ અલ્પ, અલ્પતર, અલ્પતમ વિષયવાળો થઈ જાય એ હીયમાન અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં હોય છે. ૨૧૪ જિણધો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy