SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ માટે પણ અનુયોગ દેવાની વિધિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગુરુ સર્વપ્રથમ શ્રતનો સ્ત્રાર્થ સમજાવે. બીજી વારમાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ સહિત સૂત્રાર્થ સમજાવે. ત્રીજી વારમાં શંકા - સમાધાન સહિત વિસ્તાર સાથે સૂત્રાર્થ પ્રતિપાદન કરો. ગુરુગત તથા શિષ્યગત વિધિનું પાલન કરતા શ્રુતરૂપી મહાવિધાનનું આદાન-પ્રદાન કરવું જોઈએ. અસ્વાધ્યાય સૂત્ર-પઠનમાં નીચે આપેલા ૩૪ અનધ્યાય(અસ્વાધ્યાય)ને પણ ટાળી દેવા જોઈએ : આકાશ સંબંધી અસ્વાધ્યાય : (૧) મોટા તારાના તૂટવાથી (એક પહોર) (૨) દિશાઓ લાલ રંગની હોય ત્યાં સુધી (૩) અકાળમાં ગાજવું (૨ પહોર) (૪) અકાળમાં (દુષ્કાળ)માં વીજળી થવી (એક પહોર) (૫) વીજળીની ગડગડાટ હોય તો (બે પહોર) (૬) બાલચંદ્ર (સુદ પક્ષની પ્રતિપદાથી ત્રીજ સુધી નાનો ચંદ્રમાં રહે ત્યાં સુધી) (૭) આકાશમાં યક્ષાકાર હોય (૮) ધુમ્મસ કે કરા પડવાથી (૯) તુષારપાત હોય ત્યારે (૧૦) ધૂળથી આકાશ ઢંકાઈ જાય ત્યાં સુધી. ઔદારિક શરીર સંબંધી અસ્વાધ્યાય* : (૧) હાડકાં (૨) માંસ (૩) લોહી - એ ત્રણેય તિર્યંચ પંચેન્દ્રિયની હોય તો ૬૦ હાથ અંદર અને મનુષ્યના હોય તો ૧૦૦ હાથની અંદર અસ્વાધ્યાયના કારણે છે, એમનો કાળ ત્રણ પહોરનો છે, પરંતુ હત્યા કરવાથી મરેલા હોય તો એક દિવસ-રાતનો અસ્વાધ્યાય કાળ છે. (૪) વિષ્ઠા વગેરે દેખાતા હોય કે દુર્ગધ આવતી હોય તો (૫) સ્મશાનની પાસે (૬) ચંદ્રગ્રહણ (૭) સૂર્યગ્રહણ (૮, ૧૨ કે ૧૬ પહોર) (૮) રાજા, મંત્રી કે ઠાકોરના મરવાથી (૯) યુદ્ધ થવાથી (એની પાસે રહ્યા હોય તો) (૧૦) ઉપાશ્રયમાં કે નજીક, મનુષ્ય કે પશુનું શબ પડ્યું હોય તો. - અસ્વાધ્યાયજનક તિથિઓ : પાંચ પૂનમો - (૧) અષાઢી, (૨) ભાદરવી, (૩) અશ્વિની (આસો), (૪) કારતકી અને (૫) ચૈત્રી. તથા આ પાંચે પૂનમોના બીજા દિવસની વદિ પ્રતિપદાઓ એ દસ દિવસ. સંધિકાળ (૧) સૂર્યોદય, (૨) સૂર્યાસ્ત, (૩) મધ્યાહ્ન અને (૪) મધ્ય રાત્રિ(મધરાત)ના સમયે બે-બે ઘડી સુધી. (નોંધઃ એમાં જે કાળનો નિયમ બતાવ્યો, એમાં આચાર્યોમાં મતભેદ છે.) ઉપરોક્ત અવસ્થાઓને ટાળીને ભાવપૂર્વક સૂત્ર સ્વાધ્યાય કરવા જોઈએ. એનાથી કર્મોની નિર્જરા થાય છે અને પર્યાયો નિર્મળ બની જાય છે. [ શ્રુતજ્ઞાનના ભેદ D DOOOOOOOOOOO (૨૦૧૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy