SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આગમમાં જે “બધા જીવોના અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉદ્ઘાટિત રહે છે' એવું કહેવાય છે, એ જઘન્ય શ્રત છે. આ પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવોમાં હોય છે. તીન્દ્રિય વગેરે જીવોમાં આ શ્રુત-અક્ષર ક્રમશઃ વૃદ્ધિ કરતો સંપૂર્ણ શ્રુતજ્ઞાનીમાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. એકેન્દ્રિયથી લઈને સંપૂર્ણ શ્રુતજ્ઞાનીના વચ્ચે જે જીવ વર્તમાન છે, એમના શ્રુતજ્ઞાનમાં પ્રાયઃ ષટું સ્થાન પતિત તરતમતા જોવા મળે છે. આ મધ્યમ અક્ષરગ્રુત કહેવામાં આવે છે. અનક્ષરગ્રુત ઃ જે શબ્દ અભિપ્રાયપૂર્વક વર્ણનાત્મક નથી હોતો, પરંતુ ધ્વનિરૂપ હોય છે, એને અનક્ષરગ્રુત કહે છે. છીંકવું, ખાંસવું, ઉચ્છવાસ-નિશ્વાસ લેવો, ચુસકી લેવી, ફુત્કાર-ચિત્કાર વગેરે ધ્વનિઓથી પરાભિપ્રાય જાણવું અનક્ષરદ્યુત છે. છતા માથું હલાવવું, હાથ વગેરે દ્વારા ચેષ્ટાઓ કરવી વગેરે પણ પરના અભિપ્રાયને વ્યક્ત કરે છે, છતાં તે મૃત નથી કહી શકાતા. લોકરૂઢિથી જે ધ્વનિ રૂપ ચેષ્ટાઓ છે એના જ શ્રુત શબ્દ રૂઢ છે. માટે કર ચાલન, શિરોધનન વગેરે ચેષ્ટાઓ દશ્ય છે, શ્રાવ્ય નથી. જે શ્રાવ્ય છે, એ જ ચેષ્ટાઓ મૃતરૂપથી રૂઢ સમજવી જોઈએ. - સંજ્ઞીશ્રુત જે પંચેન્દ્રિય જીવોનું મન છે, એ સંશી કહેવાય છે. એમના શ્રતને સંજ્ઞીશ્રુત કહે છે. સંજ્ઞા ત્રણ પ્રકારની કહેવામાં આવી છે - (૧) દીર્ઘકાલિકી (૨) હેતુવાદોપદેશિકી દૃષ્ટિવાદોપદેશિકી. દીર્ઘકાલિકી સંજ્ઞા : ભૂતકાળનું સ્મરણ, અનાગતકાળનું ચિંતન અને વર્તમાન કાળની પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યાપાર જે સંજ્ઞા દ્વારા થાય છે, એ દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. અમુક કામ કરી લીધું, અમુક કરી રહ્યો છું, અમુક કામ આ પ્રકારથી કરીશ, આ પ્રકારનો વિચાર જે સંજ્ઞા દ્વારા થાય છે એ દીર્ઘકાલિકી સંજ્ઞા છે. આ સંજ્ઞા દેવ, નારક, ગર્ભજતિર્યંચમનુષ્યોમાં થાય છે. હેતુવાદોપદેશિકીઃ દેહનિર્વાહ-હેતુ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ માટે ઉપયોગી પ્રાયઃ વર્તમાનકાલિક વિચાર જ જે સંજ્ઞા દ્વારા થાય છે, એ હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે. આ કીન્દ્રિય વગેરેમાં પણ જોવા મળે છે. એની અપેક્ષાથી માત્ર એકેન્દ્રિય જીવ જ અસંશી છે. દષ્ટિવાદોપદેશિકી : અહીં દૃષ્ટિથી તાત્પર્ય સમ્યગુદર્શનથી છે. લાયોપથમિક વગેરે સમ્યકત્વ રૂપ વિશિષ્ટ સંજ્ઞા જેમને થાય છે એ જ આ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાથી સંજ્ઞી છે. આ દૃષ્ટિની અપેક્ષાથી મિથ્યાષ્ટિ અસંજ્ઞી છે. એકેન્દ્રિય વગેરે સંજ્ઞી કેમ નથી? જેમની સંજ્ઞા થાય છે એ જીવ-સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞા તો બધા જીવોમાં જોવા મળે છે તો બધા જીવ-સંજ્ઞી ભાવને પ્રાપ્ત થાય છે. આ પરિભાષા અનુસાર તો કોઈ જીવ અસંજ્ઞી રહી જતો નથી કારણ કે પ્રજ્ઞાપના વગેરે આગમોમાં બધા જીવોના દસ પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. જેમ કે કહ્યું છે - (૨૦૨)))))))))) )જિણધમો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy