SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કે - “સદ્ભૂત અર્થમાં વિશેષ ધર્મનો નિશ્ચય કરવો ધારણા છે.’” જેમ કે સ્થાણુમાં પુરુષના ધર્મનો નિષેધ કરવો અવાય છે અને એમાં સ્થાણુના ધર્મનો નિશ્ચય કરવો ધારણા છે. આ કથન દૂષિત છે, કારણ કે કોઈ જ્ઞાતાને તદન્ય વ્યતિરેક માત્રથી નિશ્ચય થાય છે. જેમ કે એમાં (સ્થાણુમાં) શિરઃકંડૂયન વગેરે પુરુષ-ધર્મ નથી જોવા મળતા, માટે આ સ્થાણુ છે. કોઈ શાતાને વસ્તુમાં જોવા મળતા ધર્મને નિશ્ચયથી માત્ર કેવળ અન્વયથી વસ્તુનો બોધ થાય છે - જેમ કે આ સ્થાણુ જ છે, કારણ કે વલ્લીકા ઉત્સર્પણ વગેરે ધર્મનો અન્વય છે. કોઈ પ્રતિપત્તાને અન્વય-વ્યતિરેક ઉભય રૂપથી વસ્તુનો બોધ થાય છે. આ ત્રણેય પ્રકારથી થનારો બોધ અવાય જ છે, ધારણા નથી. જો પૂર્વ વ્યાખ્યાકારોની વાત માનવામાં આવે કે વ્યતિરેક અવાય છે અને અન્વય ધારણા છે, તો એમના મતથી મતિજ્ઞાનના પાંચ ભેદ પ્રાપ્ત થાય છે - ચાર તો - અવગ્રહ-ઈહાઅવાય-ધારણા અને પાંચમો ભેદ સ્મૃતિ. ઉક્ત પ્રકારોની વ્યાખ્યા કરવાથી સ્મૃતિનો અંતર્ભાવ ધારણામાં નહિ હોય, માટે એને અલગથી મતિજ્ઞાનનો ભેદ માનવો પડશે, જે યથાર્થ નથી. વસ્તુ-સ્થિતિ એ છે કે ધારણાની આગમોક્ત વ્યાખ્યા માનવાથી જ મતિજ્ઞાનના ઉક્ત ચાર ભેદ સંગત થાય છે. અવિચ્યુતિ - વાસના અને સ્મૃતિના રૂપથી ધારણા ત્રણ પ્રકારની છે, પરંતુ ધારણા સામાન્યની અપેક્ષા ત્રણેયનો સમાવેશ ધારણારૂપ એક ભેદમાં જ થઈ જાય છે. જેમ કે અવગ્રહના બે ભેદ - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ છે, પરંતુ અવગ્રહ સામાન્યને નાતે અવગ્રહના એક ભેદમાં જ બંનેનો સમાવેશ થઈ જાય છે. માટે અવગ્રહ, ઈહા-અવાય-ધારણા એ જ મતિજ્ઞાનના ચાર યથાર્થ ભેદ છે. સ્મૃતિની પ્રમાણતા જિજ્ઞાસા થઈ શકે છે કે ધારણાના ત્રણ રૂપ માનવામાં આવ્યા છે - અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. એમાંથી અવિચ્યુતિ અને સ્મૃતિ રૂપ જ્ઞાનના ભેદગ્રાહી હોવાથી પ્રમાણ નથી થઈ શકતા. બીજી વખત પ્રવૃત્ત અવાય દ્વારા સાધ્ય-વસ્તુ નિશ્ચય રૂપ કાર્ય (પ્રથમ વખત પ્રવૃત્ત અવાય દ્વારા (સાધ્ય) સાધિત થઈ ચૂક્યા છે, જે કાર્ય) કરી નાખવામાં આવ્યા છે એને જ પુનઃ કરવામાં પ્રવૃત્ત થવું શોભાપ્રદ નથી, એ તો પિષ્ટ-પેષણ છે. સ્મૃતિ પણ પૂર્વોત્તર કાળમાં માનેલી વસ્તુના વિષયમાં હોય છે, તો એ પ્રમાણ કેવી રીતે થઈ (હોઈ) શકે છે ? એમ નથી કહી શકાતું કે પૂર્વોત્તર કાળમાં અગૃહીત વસ્તુના એકત્વને ગ્રહણ કરવાથી સ્મૃતિ-પ્રમાણ છે, કારણ કે પૂર્વોત્તર કાળમાં જોયેલી વસ્તુ કાળ વગેરેના ભેદથી ભિન્ન થવાના કારણે એકરૂપ થઈ જ શકતી નથી. વાસના પણ સંસ્કાર રૂપ હોવાથી પ્રમાણ નથી. આખરે સંસ્કાર શું છે ? સ્મૃતિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે, સ્મૃતિ જ્ઞાનને પેદા કરવાની શક્તિ છે કે વસ્તુનો વિકલ્પ છે ? એમાં આદિના બે પક્ષ અયુક્ત છે, કારણ કે એ જ્ઞાન રૂપ નથી અને અહીં જ્ઞાનના ભેદોનો વિચાર પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ અયુક્ત છે, કારણ કે જ્ઞાનરૂપ નથી અને અહીં જ્ઞાનના ભેદોનો વિચાર પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ અયુક્ત ૧૮૦ જિણધો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy