SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નિર્વિચિકિત્સા : ધર્મક્રિયાના ફળ પ્રતિ સંદેહ ન કરવો. નિર્વિચિકિત્સા આચાર છે. ધર્માચરણ કરતા કરતા આટલો સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી કંઈપણ ફળ દષ્ટિગોચર થયું નથી. ખબર નહિ કે આગળ પણ ફળ મળશે કે નહિ. આ રીતે અથવા અન્ય રીતિથી ધર્મક્રિયાના પ્રતિ સંદેહ કરવો વિચિકિત્સા છે. આવી વિચિકિત્સા કરવાથી આત્મા શંકાશીલ બને છે અને સાધનાના પ્રતિ સમુલ્લાસ પ્રગટ થતો નથી. સાધકના દિલમાં પાકો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જે હું ધર્મ-સાધના કરું છું તે એકાંત હિતકારી છે. ભલે તેનું સાક્ષાત્ ફળ હમણાં દષ્ટિગોચર ન મળે. ક્રિયાનું ફળ અવશ્ય હોય છે. જેમ ઉર્વશ ભૂમિમાં નાંખેલું બીજ પાણી આદિનો સંયોગ મળવાથી કાલાંતરે ફળ ઉત્પન્ન કરે છે, તેવી રીતે આત્મારૂપી ખેતરમાં વાવેલું ધર્મક્રિયારૂપી બીજ, શુભ પરિણામરૂપ જળનો યોગ મેળવીને કાળાંતરે યશોચિત સમય પર અવશ્ય ફળ આપે છે. લૌકિક ઉકિત છે - निष्फल होवे भामिनी, पादप निष्फल होय । करणी के फल जानता, कभी न निष्फल होय ॥ तथा च-या या क्रिया सा सा फलवती - ક્રિયાનું ફળ કદાપિ નષ્ટ નથી થતું. તેનું ફળ ક્યારે ને ક્યારે અવશ્ય મળે છે. આ રીતે મુમુક્ષુના હૃદયમાં પોતાની સાધનાના પ્રતિ, પોતાની ધર્મક્રિયાના પ્રતિ દઢ નિષ્ઠા અને આસ્થા હોવી જોઈએ. આવી આસ્થા હોય ત્યારે જ ધર્મક્રિયાના પ્રતિ સમુલ્લાસ અને ઉત્સાહ બન્યો રહે છે. તેથી ધર્મક્રિયાના ફળ પ્રતિ દઢ આસ્થા રાખવી નિર્વિચિકિત્સા નામના દર્શનનો આચાર છે. (૪) અમૂઢ દષ્ટિઃ અવિવેકી વ્યક્તિ સારા-ખોટામાં વિવેક કરી શકતી નથી. તે સોના અને પિત્તળને એક જ સમજે છે. તે કાચના ટુકડા અને મણિના અંતરને જાણતી નથી, તેથી તેની દૃષ્ટિમાં કાચના ટુકડા અને મણિ બંને સરખા માને છે. આ મૂઢ દૃષ્ટિ છે. આ રીતે જે વ્યક્તિ પ્રચલિત વિવિધ મત-મતાંતરોને એક જેવા સમજે છે, જે તત્ત્વ અને અતત્ત્વનો ભેદ કરી શકતો નથી, તે મૂઢ દૃષ્ટિ છે. ક્ષીર-નીરનો વિવેક કરવાની બુદ્ધિ સાધક અથવા મુમુક્ષુમાં હોવી જોઈએ. આવી વિવેક-બુદ્ધિના અભાવમાં સાધક અહીં-તહીં ઢળી જાય છે અને અસમંજસમાં પડીને ન તો અહીંનો રહે છે કે ન ત્યાંનો. તેનું ચિત્ત અસ્થિર અને ભ્રમિત બની રહે છે. તેથી સાધકને અમૂઢ દૃષ્ટિ હોવું જોઈએ. અર્થાત્ તેને એ આસ્થા હોવી જોઈએ કે વીતરાગ પરમાત્માએ જે દયામય સ્યાદ્વાદમય ધર્મ પ્રરૂપિત કર્યો છે તે અનુપમ છે, સર્વોત્કૃષ્ટ છે. તેની તુલનામાં અન્ય કોઈ એકાંતવાદી મત અથવા પંથે ટકી શકે નહિ. હંસની ચાંચ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, તેવી રીતે સમ્યગુદૃષ્ટિમાં તત્ત્વાતત્ત્વ અને સત્યાસત્યની બુદ્ધિ-વેવક હોવા જોઈએ. આવી વિવેકબુદ્ધિથી સંપન્ન હોવું જ અમૂઢ દૃષ્ટિ આચાર છે. (૫) ઉપવૃંહણઃ ગુણીજનોના સગુણોની શુદ્ધ મનથી પ્રશંસા કરવી અને વૈયાવૃત્ય આદિના દ્વારા તેનો ઉત્સાહ વધારવો ઉપવૃંહણ છે. સમ્યકત્વની પુષ્ટિના માટે આ મહત્ત્વપૂર્ણ (૧૨) છે જો કે જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy