SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઔષધિઓથી સાફ કરવાથી એટલું શુદ્ધ થઈ જાય છે કે ખાનારને બિલકુલ નશો આવતો નથી, બીજો ભાગ અર્ધશુદ્ધ અને ત્રીજો ભાગ અશુદ્ધ રહી જાય છે. એ રીતે દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વ-મોહનીયના ત્રણ પુંજોમાંથી એક પુંજ એટલો શુદ્ધ થઈને જાય છે કે તેમાં સમ્યક્ત્વ ઘાતક રસ રહેતો નથી. બીજો પુંજ અડધો શુદ્ધ અને ત્રીજો અશુદ્ધ જ રહી જાય છે. ઔપમિક સમ્યક્ત્વનો સમય પૂર્ણ થવાથી જીવના પરિણામાનુસાર ઉક્ત ત્રણ પુંજોમાંથી કોઈ એક અવશ્ય ઉદયમાં આવે છે. પરિણામોના શુદ્ધ રહેવાથી શુદ્ધ-પુંજ ઉદયમાં આવે છે, તેનાથી સમ્યક્ત્વનો ઘાત થતો નથી. તે સમય પ્રગટ થનાર સમ્યક્ત્વને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. જીવના પરિણામ અવિશુદ્ધ રહેવાથી બીજા પુંજનો ઉદય થાય છે અને જીવ મિશ્ર-દૃષ્ટિ કહેવાય છે. પરિણામોના અશુદ્ધ થવાથી અશુદ્ધ-પુંજનો ઉદય થાય છે, અને એ સમય જીવ પુનઃ મિથ્યા-દૃષ્ટિ થઈ જાય છે. અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતાદ્ધામાં જીવ શાંત-પ્રશાંત, સ્થિર અને આનંદમય થાય છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકાઓ શેષ રહેવાથી કોઈ-કોઈ ઔપમિક સમ્યક્ત્વવાળા જીવના ચઢતાં પરિણામોમાં બાધા પડી જાય છે, તેની શાંતિ-ભંગ થઈ જાય છે. એ સમય અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી જીવ સમ્યક્ત્વ પરિણામને છોડીને મિથ્યાત્વની બાજુ ઝૂકી જાય છે, જ્યાં સુધી તે મિથ્યાત્વને પ્રાપ્ત કરતો નથી, અર્થાત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઔપમિક સમ્યક્ત્વવાળો જીવ જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ થઈ શકે છે, બીજો નહિ. સમ્યગ્દર્શન-પ્રાપ્તિનાં બોધક દૃષ્ટાંત ત્રણ કરણો દ્વારા સમ્યગ્દર્શન લાભની સ્થિતિને સુગમતાથી સમજાવવા માટે આચાર્યોએ આઠ ઉદાહરણ બતાવ્યા છે नदी पहजर वत्थजल पिपलिया पुरिस कोहवा चेव । सम्मदंसणलंभे एते अट्ठ उ उदाहरणा ॥ પર્વતીય નદીના (૧) પથ્થર, (૨) પથ, (૩) જ્વર, (૪) વસ્ત્ર, (૫) જળ, (૬) પિપીલિકા (૭) પુરુષ અને (૮) કોદ્રવ - આ આઠ ઉદાહરણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને સમજાવવામાં ઉપયોગી છે. (૧) પર્વતીય નદીનો પથ્થર : યથાપ્રવૃત્તિકરણને સમજવા માટે પર્વતીય નદીના પથ્થરનું ઉદાહરણ છે. જેમ કે પર્વતીય નદીનો પથ્થર ચટ્ટાનથી ટકરાઈને તથા જળપ્રવાહના વેગથી આઘાત-પ્રત્યાઘાતને મેળવતા ગોળ બની જાય છે. આ રીતે યથાપ્રવૃત્તિ-કરણના પ્રભાવથી જીવ અનાભોગ દશામાં સુદીર્ઘ કર્મ સ્થિતિઓનો ક્ષય કરી નાખે છે અને ગ્રંથિ દેશ સુધી પહોંચી જાય છે. (૨) પથનું દષ્ટાંત : જેમ કોઈ માર્ગ-ભૂલેલી વ્યક્તિ કોઈ માર્ગના જ્ઞાતાને પૂછીને ખરા માર્ગ પર આવે છે અને કોઈ સ્વયમેવ ઊહાપોહ કરીને ખરા માર્ગને જાણી લે છે. ૧૨૦ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy